બજેટમાં રોજગારી સર્જનનો મુદ્દો મહત્વનો રહ્યો હતો ત્યારે…
બધાને સારું વેતન નથી અને સામાજીક સુરક્ષા પણ નથી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27
- Advertisement -
આ વખતે રજૂ કરવામાં આવેલ બજેટમાં રોજગાર સર્જન સૌથી મોટો મુદ્દો રહ્યો હતો. સરકારે જાહેરાત કરી હતી કે આગામી પાંચ વર્ષમાં રોજગાર સર્જન માટે બે લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.આ જાતિઓનું મુખ્ય ધ્યાન પગારદાર નોકરીઓ પેદા કરવા પર હશે. જો કે ભારતીય અર્થવ્યવસ્થામાં પહેલાથી જ મોજૂદ પગારદાર નોકરીઓની સ્થિતિ પર વિચાર કરવો જરૂરી છે. આંકડા બતાવે છે કે પગારદાર નોકરીઓની સ્થિતિ દેશમાં પહેલાથી સારી નથી.પગારદાર નોકરીઓનો ભાગ અનેક વર્ષોથી સ્થિર: સામયિક શ્રમ બળ સર્વેક્ષણ 2022-23ના અનુસાર ભારતના કુલ કાર્યબળમાં પગારદાર નોકરીઓની ભાગીદારી 20.9 ટકા છે, જો તેને કુલ શ્રમબળમાં જોવામાં આવે તો આવા લોકોની ભાગીદારી માત્ર 20.2 ટકા જ છે. રાષ્ટ્રીય જનસંખ્યા આયોગના 1 જુલાઈ 2022ની વસ્તી અનુમાનના આધારે ભારતની અનુમાનીત શ્રમશક્તિ 58.5 કરોડ છે. તેમાં પગારદાર નોકરીઓની સંખ્યા 11.8 કરોડ છે.
સર્વેક્ષણના આંકડા 2017-18થી જ ઉપલબ્ધ છે. જે મુજબ પગારદાર નોકરીઓનો ભાગ ઘણી હદે સ્થિર રહ્યો છે. પગારદાર નોકરીઓમાં શહેરી ક્ષેત્રોમાં કુલ ભાગ 56 ટકા છે. મુખ્ય ત્રણ ક્ષેત્રો, પ્રશાસન, રક્ષા અને અન્ય સેવાઓ જેમકે વ્યાપાર, હોટલ, પરિવહન, સ્ટોરેજ, સંચાર અને નિર્માણમાં 84 ટકા પગારદાર નોકરીઓ છે. વિરોધાભાસ એ છે કે આ ક્ષેત્રોમાં દેશના કુલ શ્રમિકોના માત્ર 38 ટકા છે.સર્વેક્ષણ ડેટામાં પગાર વાળી નોકરીઓમાંથી 10 ટકાથી ઓછામાં 50 હજાર રૂપિયા કે તેથી વધુની માસિક આવક બતાવાઈ છે. બે તૃતિયાંશથી વધુની આવક વાસ્તવમાં 20 હજાર રૂપિયા દર માસથી પણ ઓછી છે. પગારવાળી અનેક નોકરીઓમાં સામાજીક સુરક્ષાની જોગવાઈ નથી. માત્ર 44 ટકાને જ કોઈને કોઈ રૂપે સામાજીક સુરક્ષાની જોગવાઈ મળેલી છે.
પુરુષો પાસે 76 ટકા નોકરી: સર્વેના યુનિટ સ્તરીય ડેટા મુજબ 76 ટકા પગારદાર નોકરીઓ પુરુષો પાસે છે, તેમાં એક તૃતીયાંશ લોકો એવા છે, જેમની પાસે કમ સે કમ સ્નાતકની ડિગ્રી છે, જયારે 31 ટકા એવા કર્મચારી છે, જેમની વય 30 વર્ષથી ઓછી છે.