By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયાનું પગલું, વ્હોટ્સઍપ્પ અને ટેલિગ્રામ કોલ પર બેન
    3 days ago
    ટ્રમ્પ આવેશમાં આવીને નિર્ણય લે છે! ‘અમેરિકા પર વિશ્વાસ ન કરી બ્રિક્સ સાથે જોડાવ’: જેફરી સૅક્સ
    3 days ago
    પનામા કેનાલ પર યુએનમાં ચીન અને અમેરિકા વચ્ચે ટક્કર: દુનિયાભરનો 6 ટકા સમુદ્રી વ્યાપાર આ નહેરથી થાય છે
    5 days ago
    તો ભારત સામે યુદ્ધ લડવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં: પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ધમકી
    5 days ago
    અફઘાનિસ્તાન સરહદ પર પાકિસ્તાની સેનાએ 50 આતંકવાદીઓને ઠાર માર્યા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘અમે વિવાદ નહીં, ઉકેલ ઈચ્છીએ છીએ’ રખડતાં કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
    3 days ago
    70 દેશોની જેલોમાં 10,574 ભારતીયો કેદ
    3 days ago
    જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટતાં વિનાશક દૃશ્યો, 10થી વધુ લોકોના મોતની આશંકા
    3 days ago
    કાલથી શરૂ થશે 1 વર્ષ સુધી ચાલે તેવા FASTag Pass, ખરીદવાની જાણો આ સિમ્પલ પ્રોસેસ
    3 days ago
    ફરિયાદી ગોડસેના સગા: રાહુલ ગાંધીએ સાવરકરની ટિપ્પણી પર જીવનો ખતરો હોવાનો દાવો કર્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ
    3 days ago
    8 વર્ષના રિલેશન બાદ રોનાલ્ડો અને જોર્જિના કરશે લગ્ન, સગાઈની તસ્વીર થઈ વાઈરલ
    5 days ago
    દેવયાનીબા ઝાલાએ વર્લ્ડ એથ્લેટિક્સ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું
    5 days ago
    દુષ્કર્મના આરોપમાં પાકિસ્તાની બેટ્સમેનની ધરપકડ, PCBએ સસ્પેન્ડ કરીને કડક કાર્યવાહી કરી
    1 week ago
    ક્રિકેટરોનું વર્કલોડ મેનેજમેન્ટ હવે બોર્ડ નક્કી કરશે
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ચાલો આજે જાણીએ બચ્ચન પરિવારની વહુ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની નેટવર્થ વિશે
    6 days ago
    કપિલ શર્માના કેનેડા કાફેમાં મહિનામાં બીજી વાર 25થી વધુ ગોળીબાર
    1 week ago
    હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની દિલ્હીમાં હત્યા કરાઈ
    1 week ago
    કાજોલે હિન્દી બોલવાની સ્પષ્ટ ના પાડતા, સોશિયલ મીડિયામાં થઈ ટ્રોલ
    2 weeks ago
    ફિલ્મી કરિયર ઝીરો પણ સંપત્તિની વાત કરવામાં આવે તો 500 કરોડનો માલિક છે અરબાઝ ખાન
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો
    3 days ago
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    1 week ago
    રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહુર્ત સવારથી શરૂ
    1 week ago
    ભારત સિવાયમાં બીજા આ દેશોમાં પણ ઉજવાય રક્ષાબંધન
    2 weeks ago
    રાખડી આકર્ષિત તો દેખાય છે પણ શું રંગથી પણ કાઈ ફરક પડે છે ? ચાલો જાણીએ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
    3 days ago
    શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
    3 days ago
    રીબડા પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરાવનાર મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહ કેરળથી ઝડપાયો
    5 days ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેન વિક્રમ પુજારાએ જરૂરિયાત વગર એક ડઝન સ્કૂલ પાડીને નવી બનાવી
    6 days ago
    લોધિકાના હરિપર તરવડા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા, લાખો ટન ખનીજચોરીની આશંકા
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સહજાનંદે સમજાવ્યું કે “જુદા-જુદા દેશોમાં ભગવાનના ઘણા અવતાર થયા છે,
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સહજાનંદે સમજાવ્યું કે “જુદા-જુદા દેશોમાં ભગવાનના ઘણા અવતાર થયા છે,
TALK OF THE TOWNરાજકોટ

સહજાનંદે સમજાવ્યું કે “જુદા-જુદા દેશોમાં ભગવાનના ઘણા અવતાર થયા છે,

Khaskhabar Editor
Last updated: 2025/03/12 at 4:45 PM
Khaskhabar Editor 5 months ago
Share
10 Min Read
SHARE

સહજાનંદે સમજાવ્યું કે “જુદા-જુદા દેશોમાં ભગવાનના ઘણા અવતાર થયા છે, એક ખ્રિસ્તીઓ માટે, ભૂતકાળમાં બીજો હિંદુઓ માટે,’ અને પછી એક સંકેત જેવું કંઇક ઉમેરતાં તેમણે કહ્યું કે કૃષ્ણ અથવા સૂર્યનો બીજો અવતાર તેમનામાં (સહજાનંદમાં) થયો હતો

‘એન ઈન્ટ્રોડક્શન ટુ સ્વામિનારાયણ હિન્દુઈઝમ’ અંગ્રેજી પુસ્તકનાં અનુવાદનો ભાગ-2

- Advertisement -

મિટિંગમાં સહજાનંદે આ વિસ્તારમાં ચાલી રહેલા તેમના કેટલાક પ્રોજેક્ટ્સ માટે હેબરના સમર્થન અને બ્રિટિશ સરકારના અધિકારીઓ સાથે સારો પ્રભાવ મેળવવાની આશા સાથે વિનંતી કરી. મીટિંગ પછી તેમણે વડતાલ ખાતે લક્ષ્મી-નારાયણના મંદિર માટે અને એક નિવાસસ્થાન અને હોસ્પિટલ માટે આર્થિક સહાય મેળવવા હેબરની મદદની વિનંતી કરી. હેબરે મંદિરના નિર્માણ માટે કોઈ ટેકો આપવાનો ઇનકાર કર્યો, પરંતુ બોમ્બેના ગવર્નર શ્રી એલ્ફિન્સ્ટોનને હોસ્પિટલ અને રેસિડેન્સ હોલ માટે સમર્થનની વિનંતી પહોંચાડવા તે સંમત થયા. ચર્ચા અને અસંમતિનો મુખ્ય મુદ્દો ભગવાનના સિદ્ધાંત વિશે હતો. સહજાનંદે ઈશ્ર્વરની અભિવ્યક્તિ વિશે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે એક અલગ હિંદુ સ્વરૂપ બનાવવામાં આવ્યું હતું તેને સ્વીકારવા હેબર સંમત નહોતા થયા. સહજાનંદ સ્વામીએ એ સ્વરૂપ વિશે જે સમજાવ્યું તેના માટે હેબરે ખ્રિસ્તી ધર્મનો એ પ્રચલિત વાક્ય સમૂહ બોલી સંભળાવ્યો, એક ભગવાનમાં, સ્વર્ગ અને પૃથ્વી પરની બધી વસ્તુઓના નિર્માતા, જેમણે બધી જગ્યા ભરી દીધી, દરેક વસ્તુનું સમર્થન કર્યું અને તેનું સંચાલન કર્યું, અને ખાસ કરીને, જેઓ તેને ખંતપૂર્વક શોધતા હતા તેમના હૃદયમાં વસવાટ કર્યો.” અર્થાત સહજાનંદ સ્વામીએ જે એક ઈશ્ર્વરની વાત કરી તે આ ખ્રિસ્તી વિચારથી મળતી હતી,
આ લેખ એક અંગ્રેજી પુસ્તકનો અંશ છે. ‘એન ઈન્ટ્રોડક્શન ટુ સ્વામિનારાયણ હિન્દુઈઝમ’ નામનાં પુસ્તકનાં આ પ્રકરણનો અનુવાદ ડૉ. કૌશિક ચૌધરીએ કર્યો છે. ડૉ.ચૌધરીએ સ્વામિનારાયણ સંપ્રદાયના કરતૂતો પર લખેલાં પુસ્તકનો ફોટો પણ અહીં આપ્યો છે.

વર્ષ 1824માં સહજાનંદ સ્વામીએ લખેલી શિક્ષાપત્રીમાં તે ભગવાન કૃષ્ણને જ પોતાના આરાધ્ય અને પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ઈશ્ર્વર કહી પંચદેવ ઉપાસના કરવાનું કહે છે, પણ તે પછી લખાયેલા વચનામૃતોમાં પોતે જ સર્વોપરી પુરુષોત્તમ ઈશ્ર્વર હોવાની વાતો સામે આવવા લાગે છે

પણ હેબર હિંદુ સિદ્ધાંતો સાથે પૂરતા વાકેફ હતા. તેમણે પૂછ્યું કે શું સહજાનંદે બ્રહ્મનો ઉલ્લેખ કર્યો. સહજાનંદે જવાબ આપ્યો, જે છે અને જે એક જ છે તેને ઘણા નામો હોઈ શકે છે, અને તે આપવામાં આવ્યા છે, પરંતુ અમે અને અન્ય હિંદુઓ તેને બ્રહ્મ કહે છે. હેબરે આને એકેશ્ર્વરવાદના પ્રકાર તરીકે સ્વીકાર્યું. પણ તે ખ્રિસ્તી પશ્ર્ચિમનો એકેશ્ર્વરવાદ ન હતો.
હેબરને સહજાનંદના સ્પષ્ટીકરણથી આશ્ર્ચર્ય થયું કે કૃષ્ણ ભગવાનનું એક સ્વરૂપ છે, જેની તેઓ પૂજા કરતા હતા, અને સાથે સહજાનંદ પોતાને પણ ભગવાનનું સ્વરૂપ માનતા હતા. સહજાનંદે તેમની માન્યતાને સમજાવ્યું કે “જુદા જુદા દેશોમાં ભગવાનના ઘણા અવતાર થયા છે, એક ખ્રિસ્તીઓ માટે, ભૂતકાળમાં બીજો હિંદુઓ માટે,’ અને પછી એક સંકેત જેવું કંઇક ઉમેરતાં તેમણે કહ્યું કે કૃષ્ણ અથવા સૂર્યનો બીજો અવતાર તેમનામાં (સહજાનંદમાં) થયો હતો. આ સંકેત આપી સહજાનંદ સ્વામીએ હેબરને એક ચિત્ર ભેંટ આપ્યું જેમાં વચ્ચે શ્ર્વેતદ્વીપપતિ વાસુદેવ ઊભા હતા, અને બાજુમાં નર-નારાયણ ઋષિ તેમને પંખો નાખતા હતા.

- Advertisement -

આમ, ક્રમશ: બ્રિટિશ સહાય અને સબંધોની મદદથી સહજાનંદ સ્વામીનું વર્ચસ્વ અને ચકાચાંદ ભર્યો પ્રભાવ વધતો ગયો, અને તેમણે એક પછી એક કુલ છ મંદિરો બનાવ્યા. હેબરના પ્રસંગ પરથી એ મૂળ રહસ્ય પરથી પડદો ઉઠતો દેખાય છે. એજ કે વર્ષ 1824માં સહજાનંદ સ્વામીએ લખેલી શિક્ષાપત્રીમાં તે ભગવાન કૃષ્ણને જ પોતાના આરાધ્ય અને પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ઈશ્ર્વર કહી પંચદેવ ઉપાસના કરવાનું કહે છે, પણ તે પછી લખાયેલા વચનામૃતોમાં પોતે જ સર્વોપરી પુરુષોત્તમ ઈશ્ર્વર હોવાની વાતો સામે આવવા લાગે છે. આ પરિવર્તન શિક્ષાપત્રી લખ્યા પછી આવેલું જણાય છે. અને અહીં એ સંભાવના જણાય છે કે એ પરિવર્તન 1825 માં વડતાલના લક્ષ્મી નારાયણ મંદિરના નિર્માણ દરમિયાન અને તે પછી આવ્યું છે. હેબરે સહજાનંદ સ્વામીના ઈશ્ર્વરની સંકલ્પનાને એકેશ્ર્વરવાદ રૂપે ખ્રિસ્તી સ્વરૂપ જેવો માન્યો, પણ હજી તે અલગ હોવાનું કહીને વડતાલ મંદિરમાં જમીન આપવાનો ઇનકાર કરી દીધો. પણ સાથે હોસ્પિટલ અને રેસિડન્સ હોલ માટે આર્થિક મદદ આપી એ ઈશારો પણ આપ્યો કે જો સહજાનંદ તેમના એકેશ્ર્વરવાદને હજી વધુ ખ્રિસ્તી સ્વરૂપ નજીક લઇ આવે તો અંગ્રેજ અમલદારો અને ખ્રિસ્તી પાદરીઓ ખુશ થઈને વધુ મદદ કરી શકે. અને કદાચ એટલે જ જયારે 1825 માં વડતાલ લક્ષ્મી-નારાયણ મંદિર તૈયાર થયું ત્યારે સહજાનંદ સ્વામીએ લક્ષ્મી નારાયણની મૂર્તિના બાજુમાં પોતાની મૂર્તિ રૂપે બીજી એક મૂર્તિ મુકાવી, અને તેને હરિકૃષ્ણ મહારાજ નામ આપ્યું. વડતાલના સ્વામીઓ આજે તેમના પ્રવચનોમાં કહે છે કે તે સમયે જ સહજાનંદ સ્વામીએ કહ્યું હતું કે ‘જયારે લોકો આ મંદિરમાં તેમના ઇષ્ટ દેવ એવા લક્ષ્મી-નારાયણના દર્શન કરવા આવે ત્યારે ધીરે ધીરે તેમની એ હરિકૃષ્ણ મહારાજ રૂપે તેમનામાં (સહજાનંદમાં) સર્વોપરી ઈશ્ર્વર તરીકેની શ્રદ્ધા દ્રઢ થાય એ માટે એ મૂર્તિ ત્યાં સ્થાપી છે.’ આમ, આ આખા સનાતન વિરોધી વિકૃત સંપ્રદાયના નિર્માણનું મૂળ એ ક્ષણમાં મળે છે.
આ રીતે પોતાના અંગ્રેજ અમલદારો અને ખ્રિસ્તી બિશપોને સહજાનંદ સ્વામી પાછળ લગાવી ગવર્નર જ્હોન માલકમે ગુજરાતમાં સહજાનંદ સ્વામીને તૈયાર કરી ઙફડ્ઢ ઇશિફિંક્ષક્ષશભફ સ્થાપ્યું. અને જ્યારે એ કાર્ય પૂરું થઈ ગયું ત્યારે નિવૃત્ત થતાં પહેલાં 1830 ના ફેબ્રુઆરી મહિનામાં તે સહજાનંદ સ્વામીને મળવા જ્હોન માલકમ પહેલીવાર રાજકોટ આવ્યા, એ પણ એટલા માટે કારણકે સહજાનંદ સ્વામી ગંભીર માંદગીમાં પટકાયેલા હતા. એ વિશે રેયમોન્ડ વિલિયમ્સ પુસ્તકમાં લખે છે, ‘28 ફેબ્રુઆરી, 1830 ના રોજ રાજકોટ ખાતે સર જ્હોન માલ્કમ અને સ્વામિનારાયણની મિટિંગ થઈ, જે ગુજરાતમાં બ્રિટિશ કંટ્રોલ અને સ્વામિનારાયણ હિંદુઈઝમના સહજાનંદ સ્વામીની વધતી લોકપ્રિયતાથી સ્વાભાવિક બની ચૂકી હતી. આ મિટિંગ તે પહેલાં બ્રિટિશ અમલદારો તથા ખ્રિસ્તી પાદરીઓની સ્વામિનારાયણના ધાર્મિક નેતાઓ સાથે થયેલી અનેક બેઠકોનું પરિણામ હતી. આ મિટિંગ સહજાનંદ સ્વામીની આખરી માંદગીના સમયમાં થઈ અને તે તેમની આખરી મુલાકાતોમાંથી એક હતી. તે (જૂનમાં સહજાનંદ સ્વામીના મૃત્યુ) પછી ડિસેમ્બરમાં જ્હોન માલ્કમ પણ બ્રિટન પાછા આવી ગયા. તે બંનેની મિટિંગે એ તાકતોને ગતિ આપી જેમણે ભારતના રાજનૈતિક, સામાજિક અને સાંસ્કૃતિક પરિદૃષ્યને મહત્વપૂર્ણ રૂપથી પ્રભાવિત કર્યું. એ તાકતોએ બ્રિટન અને સમગ્ર આધુનિક સંક્રમણ નેટવર્કમાં જ્યાં પણ ગુજરાતમાંથી સ્થળાંતર થયું છે ત્યાં બંને તરફ પ્રભાવ પાડવાનું ચાલુ રાખ્યું છે.’
આ સાથે રેયમોન્ડ વિલિયમ્સ પુસ્તકમાં લખે છે કે ‘ગુજરાતીઓ લાંબા સમયથી બ્રિટિશ શાસન અને સહજાનંદના મંત્રાલયના જોડાણને ઓળખે છે. તે સમયની એક જૂની ગુજરાતી કહેવત છે; “ટોપી બ્રિટિશની હેલ્મેટ અને તિલક સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા કપાળ પર કરવામાં આવતી નિશાની એકસાથે આવ્યા, અને તેઓ એકસાથે જ જશે.” અંગ્રેજો આવ્યા અને ગુજરાતમાં પ્રચંડ પરિવર્તનના એજન્ટ હતા. તેમનો વારસો સર્વત્ર સ્પષ્ટ છે, પરંતુ તેઓ અદૃશ્ર્ય થઈ ગયા છે. ગુજરાતમાં અને હવે ઈંગ્લેન્ડમાં પણ તિલક ખૂબ જ પુરાવામાં છે, અને સહજાનંદ દ્વારા સ્થાપિત ધાર્મિક સંસ્થા ગુજરાતના ધાર્મિક જીવનમાં અને જ્યાં પણ ગુજરાતીઓ છે ત્યાં મુખ્ય બળ બની રહી છે.’

પણ અહીં ગુજરાતી સમાજના સાચા ચિત્રને અને ગુજરાતીઓની સાચી લાગણીને સમજવામાં આ અંગ્રેજ લેખકે થાપ ખાધી છે. કારણકે આ જૂની કહેવત એક આખા સમાજની ગૂંગળામણ બતાવી રહી છે. અને આજે આ પુસ્તકમાં બતાવેલી આ સંપ્રદાયની જે વિકૃતિ આપણે જોઈ રહ્યા છીએ એનું જ નિર્માણકાર્ય આજથી બસો વર્ષના આપણા એ ગુજરાતી પૂર્વજો સહન કરી રહ્યા હતા. વિદેશી સત્તા અને પોતાના ધર્મથી વિપરીત સંપ્રદાયની મીલીભગતથી સમાજમાં ઊભી થયેલી બેચેની અનુભવાય છે એ કહેવતમાં. એક આખો સમાજ એક કહેવતનો ટેકો લઈને પ્રતીક્ષા કરવાની હિંમત મેળવી રહ્યો છે કે એક દિવસ આ સમય જતો રહેશે. પણ આ પુસ્તકના બીજા પ્રકરણમાં જોયેલી વિકૃતિ પછી એ કઠોર સત્ય આપણી સામે આવે છે કે એ સમય પૂર્ણ રીતે ક્યારેય ગયો જ નહિ. કારણકે સહજાનંદ સ્વામીના એ સંપ્રદાયને નવી નવી ટોપીઓ સાથે જોડાવવાની અને તેનો ઉપયોગ કરવાની ફાવટ આવી ગઈ. સ્વતંત્રતા પછી કોંગ્રેસ, અને ત્યારબાદ ભાજપ. અને આજે બિલકુલ બસો વર્ષ પછી 2017 થી આ લખાઈ રહ્યું છે ત્યારે 2024 સુધી ગુજરાતના સનાતની સમાજમાં એજ ગૂંગળામણ છે જે 1817 થી 1830 વચ્ચે અને તે પછી હતી. ફરક ખાલી એટલો છે કે ટોપી સ્વરૂપે અંગ્રેજ અમલદારો અને ખ્રિસ્તી પાદરીઓના સ્થાને ભાજપ અને હિંદુ સંગઠનો આવી ગયા છે. અને છેલ્લા સાતેક વર્ષથી આજનો ગુજરાતી સમાજ એ જૂની કહેવતનો જ મર્મ બીજા શબ્દોમાં કહે છે. આજે તે કહે છે, ‘આ તો આ સંપ્રદાયને અત્યારની સત્તાનો સંપૂર્ણ ટેકો છે, એટલે આ બધું પાખંડ ચાલે જાય છે. જે દિવસે આ સરકાર નહીં હોય તે દિવસે એનો પણ પાપનો ઘડો ભરાઈ જશે.’

પણ ના આજનો ગુજરાતી સમાજ એ જાણે છે ના આજના સત્તાધીશ પક્ષો કે આ સંપ્રદાયનો ઉદભવ જ આ રમતથી થયો છે. પૈસા, ભોગ અને સત્તાની લાલચથી આ સંપ્રદાયના સ્થાનોએ સલામો ભરવામાં પોતાનું સૌભાગ્ય સમજવાવાળા ભાજપ અને સાથી સંગઠનો એ નથી જાણતા કે તેમના જેવી તો ઘણી ટોપીઓ આ સંપ્રદાયે ફેરવી દીધી, અને તેમનો નંબર ત્રીજો છે. જ્હોન માલકમ એમને સત્તા અને ચર્ચની મીલીભગતથી સમાજ પર આધિપત્ય ભોગવાનો એ યુરોપીય માર્ગ બતાવી ગયો છે. અને એમાં પાવરધો બનેલો આ સંપ્રદાય તમારો ઉપયોગ સનાતન ધર્મ અને તેના આરાધ્ય ઈશ્ર્વરોને નષ્ટ કરવા કરી રહ્યો છે.

You Might Also Like

માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો

શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો

ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિરમાં લલિત ત્રિભંગી મુદ્રામાં બિરાજતાં ભગવાન શ્રીકૃષ્ણ

સોમવારે રામનાથ મહાદેવ મંદિરેથી બપોરે 3.30 કલાકેથી 102મી વર્ણાંગી નીકળશે

રાજકોટ શહેર ભાજપ કાર્યાલયે 79મા સ્વાતંત્ર્ય પર્વે વજુભાઈ વાળાના હસ્તે તિરંગાને સલામી

TAGGED: Sahajanand, SWAMINARAYAN
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 7 જિલ્લામાં સિવિયર હીટવેવની આગાહી: કચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં તો રાત્રે પણ ઊંઘ બગાડે તેવી સ્થિતિ
Next Article સ્કૂલ ઑફ સાયન્સ કે સ્કૂલ ઑફ રેગિંગ ?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

વઢવાણ: પુત્રની સારવાર માટે ગયેલા પરિવારના રહેણાંક મકાનમાં ચોરી

khaskhabarrajkot khaskhabarrajkot 3 days ago
માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિરમાં લલિત ત્રિભંગી મુદ્રામાં બિરાજતાં ભગવાન શ્રીકૃષ્ણ
સોમવારે રામનાથ મહાદેવ મંદિરેથી બપોરે 3.30 કલાકેથી 102મી વર્ણાંગી નીકળશે
રાજકોટ શહેર ભાજપ કાર્યાલયે 79મા સ્વાતંત્ર્ય પર્વે વજુભાઈ વાળાના હસ્તે તિરંગાને સલામી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો

khaskhabarrajkot khaskhabarrajkot 3 days ago
TALK OF THE TOWNરાજકોટ

શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો

khaskhabarrajkot khaskhabarrajkot 3 days ago
રાજકોટ

ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિરમાં લલિત ત્રિભંગી મુદ્રામાં બિરાજતાં ભગવાન શ્રીકૃષ્ણ

khaskhabarrajkot khaskhabarrajkot 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?