By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભયાનક સ્પીડમાં આવતી મર્સિડીઝ હવામાં ઉછળી હતી અને રાઉન્ડઅબાઉટ પર અથડાયા બાદ બે કાર પર કૂદી પડી હતી
    1 day ago
    કૅનેડા,ભારતીયો માટે ખુશ ખબર, કેનેડાની H-1B વિઝાને લઈ મોટી જાહેરાત
    2 days ago
    પીએમ મોદીએ યુક્રેન પર મોટો સંદેશ મોકલ્યો કારણ કે તેઓ પુતિનને કહે છે કે ભારત આજે તટસ્થતાને બદલે શાંતિનું સમર્થન કરે છે
    2 days ago
    યુએસ એરફોર્સનું F-16 ફાલ્કન ફાઈટર જેટ કેલિફોર્નિયાની ડેથ વેલીમાં ક્રેશ થયું, પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો
    3 days ago
    પુતિનની ભારત મુલાકાત: ICC ધરપકડ વોરંટની ચિંતા કાર્ય વિના પ્રવાસ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શશી થરુરે મેરિટલ રેપને ક્રાઈમ ગણાવતું બિલ રજૂ કરતાં ચર્ચા
    1 day ago
    આજે ઇન્ડિગોની 400 અને 4 દિવસમાં 2000+ ફ્લાઇટ્સ રદ્દ
    1 day ago
    ઇન્ડિગો કામગીરી સ્થિર થવાનું શરૂ કરે છે, ભાડાં હળવા થવાની શક્યતા છે
    1 day ago
    ઇં-1ઇ વિઝા માટે સોશિયલ મીડિયા તપાસ ફરજિયાત: ટ્રમ્પનો કડક આદેશ
    2 days ago
    મેલેરિયાથી 6.10 લાખના મોત, 28.2 કરોડ નવા કેસ, બે ટેકનિકથી 10 લાખને બચાવાયા : ઠઇંઘનો 2024નો રિપોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી-રુટ: સચિન તેંડુલકરના ત્રણ મોટા રેકોર્ડ ખતરામાં! કોહલી અને રુટે ઐતિહાસિક વ્યક્તિઓ પર દબાણ વધાર્યું
    1 day ago
    વોર્મ-અપ ભૂલથી પિચ અને બોલને વિચિત્ર દ્રશ્યોમાં અટવાયા બાદ WBBL મેચ ત્યજી દેવામાં આવી
    1 day ago
    આ ભારતીય-અમેરિકન અબજોપતિ વિરાટ કોહલીના આરસીબીને હસ્તગત કરવા માટે સૌથી આગળ છે.
    2 days ago
    7 છગ્ગા 8 ચોગ્ગા, 47 બોલમાં સદી… IPLની હરાજી અગાઉ સરફરાઝ ખાનનું તોફાની પ્રદર્શન
    4 days ago
    એક મિલિયન પળમાં એક: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બીજી મેચમાં ભારત સતત 20મી ODI ટોસ હારી ગયું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    1 week ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    1 week ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    1 week ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    2 weeks ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સહજાનંદે સમજાવ્યું કે “જુદા-જુદા દેશોમાં ભગવાનના ઘણા અવતાર થયા છે,
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સહજાનંદે સમજાવ્યું કે “જુદા-જુદા દેશોમાં ભગવાનના ઘણા અવતાર થયા છે,
TALK OF THE TOWNરાજકોટ

સહજાનંદે સમજાવ્યું કે “જુદા-જુદા દેશોમાં ભગવાનના ઘણા અવતાર થયા છે,

Khaskhabar Editor
Last updated: 2025/03/12 at 4:45 PM
Khaskhabar Editor 9 months ago
Share
10 Min Read
SHARE

સહજાનંદે સમજાવ્યું કે “જુદા-જુદા દેશોમાં ભગવાનના ઘણા અવતાર થયા છે, એક ખ્રિસ્તીઓ માટે, ભૂતકાળમાં બીજો હિંદુઓ માટે,’ અને પછી એક સંકેત જેવું કંઇક ઉમેરતાં તેમણે કહ્યું કે કૃષ્ણ અથવા સૂર્યનો બીજો અવતાર તેમનામાં (સહજાનંદમાં) થયો હતો

‘એન ઈન્ટ્રોડક્શન ટુ સ્વામિનારાયણ હિન્દુઈઝમ’ અંગ્રેજી પુસ્તકનાં અનુવાદનો ભાગ-2

- Advertisement -

મિટિંગમાં સહજાનંદે આ વિસ્તારમાં ચાલી રહેલા તેમના કેટલાક પ્રોજેક્ટ્સ માટે હેબરના સમર્થન અને બ્રિટિશ સરકારના અધિકારીઓ સાથે સારો પ્રભાવ મેળવવાની આશા સાથે વિનંતી કરી. મીટિંગ પછી તેમણે વડતાલ ખાતે લક્ષ્મી-નારાયણના મંદિર માટે અને એક નિવાસસ્થાન અને હોસ્પિટલ માટે આર્થિક સહાય મેળવવા હેબરની મદદની વિનંતી કરી. હેબરે મંદિરના નિર્માણ માટે કોઈ ટેકો આપવાનો ઇનકાર કર્યો, પરંતુ બોમ્બેના ગવર્નર શ્રી એલ્ફિન્સ્ટોનને હોસ્પિટલ અને રેસિડેન્સ હોલ માટે સમર્થનની વિનંતી પહોંચાડવા તે સંમત થયા. ચર્ચા અને અસંમતિનો મુખ્ય મુદ્દો ભગવાનના સિદ્ધાંત વિશે હતો. સહજાનંદે ઈશ્ર્વરની અભિવ્યક્તિ વિશે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે એક અલગ હિંદુ સ્વરૂપ બનાવવામાં આવ્યું હતું તેને સ્વીકારવા હેબર સંમત નહોતા થયા. સહજાનંદ સ્વામીએ એ સ્વરૂપ વિશે જે સમજાવ્યું તેના માટે હેબરે ખ્રિસ્તી ધર્મનો એ પ્રચલિત વાક્ય સમૂહ બોલી સંભળાવ્યો, એક ભગવાનમાં, સ્વર્ગ અને પૃથ્વી પરની બધી વસ્તુઓના નિર્માતા, જેમણે બધી જગ્યા ભરી દીધી, દરેક વસ્તુનું સમર્થન કર્યું અને તેનું સંચાલન કર્યું, અને ખાસ કરીને, જેઓ તેને ખંતપૂર્વક શોધતા હતા તેમના હૃદયમાં વસવાટ કર્યો.” અર્થાત સહજાનંદ સ્વામીએ જે એક ઈશ્ર્વરની વાત કરી તે આ ખ્રિસ્તી વિચારથી મળતી હતી,
આ લેખ એક અંગ્રેજી પુસ્તકનો અંશ છે. ‘એન ઈન્ટ્રોડક્શન ટુ સ્વામિનારાયણ હિન્દુઈઝમ’ નામનાં પુસ્તકનાં આ પ્રકરણનો અનુવાદ ડૉ. કૌશિક ચૌધરીએ કર્યો છે. ડૉ.ચૌધરીએ સ્વામિનારાયણ સંપ્રદાયના કરતૂતો પર લખેલાં પુસ્તકનો ફોટો પણ અહીં આપ્યો છે.

વર્ષ 1824માં સહજાનંદ સ્વામીએ લખેલી શિક્ષાપત્રીમાં તે ભગવાન કૃષ્ણને જ પોતાના આરાધ્ય અને પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ઈશ્ર્વર કહી પંચદેવ ઉપાસના કરવાનું કહે છે, પણ તે પછી લખાયેલા વચનામૃતોમાં પોતે જ સર્વોપરી પુરુષોત્તમ ઈશ્ર્વર હોવાની વાતો સામે આવવા લાગે છે

પણ હેબર હિંદુ સિદ્ધાંતો સાથે પૂરતા વાકેફ હતા. તેમણે પૂછ્યું કે શું સહજાનંદે બ્રહ્મનો ઉલ્લેખ કર્યો. સહજાનંદે જવાબ આપ્યો, જે છે અને જે એક જ છે તેને ઘણા નામો હોઈ શકે છે, અને તે આપવામાં આવ્યા છે, પરંતુ અમે અને અન્ય હિંદુઓ તેને બ્રહ્મ કહે છે. હેબરે આને એકેશ્ર્વરવાદના પ્રકાર તરીકે સ્વીકાર્યું. પણ તે ખ્રિસ્તી પશ્ર્ચિમનો એકેશ્ર્વરવાદ ન હતો.
હેબરને સહજાનંદના સ્પષ્ટીકરણથી આશ્ર્ચર્ય થયું કે કૃષ્ણ ભગવાનનું એક સ્વરૂપ છે, જેની તેઓ પૂજા કરતા હતા, અને સાથે સહજાનંદ પોતાને પણ ભગવાનનું સ્વરૂપ માનતા હતા. સહજાનંદે તેમની માન્યતાને સમજાવ્યું કે “જુદા જુદા દેશોમાં ભગવાનના ઘણા અવતાર થયા છે, એક ખ્રિસ્તીઓ માટે, ભૂતકાળમાં બીજો હિંદુઓ માટે,’ અને પછી એક સંકેત જેવું કંઇક ઉમેરતાં તેમણે કહ્યું કે કૃષ્ણ અથવા સૂર્યનો બીજો અવતાર તેમનામાં (સહજાનંદમાં) થયો હતો. આ સંકેત આપી સહજાનંદ સ્વામીએ હેબરને એક ચિત્ર ભેંટ આપ્યું જેમાં વચ્ચે શ્ર્વેતદ્વીપપતિ વાસુદેવ ઊભા હતા, અને બાજુમાં નર-નારાયણ ઋષિ તેમને પંખો નાખતા હતા.

- Advertisement -

આમ, ક્રમશ: બ્રિટિશ સહાય અને સબંધોની મદદથી સહજાનંદ સ્વામીનું વર્ચસ્વ અને ચકાચાંદ ભર્યો પ્રભાવ વધતો ગયો, અને તેમણે એક પછી એક કુલ છ મંદિરો બનાવ્યા. હેબરના પ્રસંગ પરથી એ મૂળ રહસ્ય પરથી પડદો ઉઠતો દેખાય છે. એજ કે વર્ષ 1824માં સહજાનંદ સ્વામીએ લખેલી શિક્ષાપત્રીમાં તે ભગવાન કૃષ્ણને જ પોતાના આરાધ્ય અને પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ઈશ્ર્વર કહી પંચદેવ ઉપાસના કરવાનું કહે છે, પણ તે પછી લખાયેલા વચનામૃતોમાં પોતે જ સર્વોપરી પુરુષોત્તમ ઈશ્ર્વર હોવાની વાતો સામે આવવા લાગે છે. આ પરિવર્તન શિક્ષાપત્રી લખ્યા પછી આવેલું જણાય છે. અને અહીં એ સંભાવના જણાય છે કે એ પરિવર્તન 1825 માં વડતાલના લક્ષ્મી નારાયણ મંદિરના નિર્માણ દરમિયાન અને તે પછી આવ્યું છે. હેબરે સહજાનંદ સ્વામીના ઈશ્ર્વરની સંકલ્પનાને એકેશ્ર્વરવાદ રૂપે ખ્રિસ્તી સ્વરૂપ જેવો માન્યો, પણ હજી તે અલગ હોવાનું કહીને વડતાલ મંદિરમાં જમીન આપવાનો ઇનકાર કરી દીધો. પણ સાથે હોસ્પિટલ અને રેસિડન્સ હોલ માટે આર્થિક મદદ આપી એ ઈશારો પણ આપ્યો કે જો સહજાનંદ તેમના એકેશ્ર્વરવાદને હજી વધુ ખ્રિસ્તી સ્વરૂપ નજીક લઇ આવે તો અંગ્રેજ અમલદારો અને ખ્રિસ્તી પાદરીઓ ખુશ થઈને વધુ મદદ કરી શકે. અને કદાચ એટલે જ જયારે 1825 માં વડતાલ લક્ષ્મી-નારાયણ મંદિર તૈયાર થયું ત્યારે સહજાનંદ સ્વામીએ લક્ષ્મી નારાયણની મૂર્તિના બાજુમાં પોતાની મૂર્તિ રૂપે બીજી એક મૂર્તિ મુકાવી, અને તેને હરિકૃષ્ણ મહારાજ નામ આપ્યું. વડતાલના સ્વામીઓ આજે તેમના પ્રવચનોમાં કહે છે કે તે સમયે જ સહજાનંદ સ્વામીએ કહ્યું હતું કે ‘જયારે લોકો આ મંદિરમાં તેમના ઇષ્ટ દેવ એવા લક્ષ્મી-નારાયણના દર્શન કરવા આવે ત્યારે ધીરે ધીરે તેમની એ હરિકૃષ્ણ મહારાજ રૂપે તેમનામાં (સહજાનંદમાં) સર્વોપરી ઈશ્ર્વર તરીકેની શ્રદ્ધા દ્રઢ થાય એ માટે એ મૂર્તિ ત્યાં સ્થાપી છે.’ આમ, આ આખા સનાતન વિરોધી વિકૃત સંપ્રદાયના નિર્માણનું મૂળ એ ક્ષણમાં મળે છે.
આ રીતે પોતાના અંગ્રેજ અમલદારો અને ખ્રિસ્તી બિશપોને સહજાનંદ સ્વામી પાછળ લગાવી ગવર્નર જ્હોન માલકમે ગુજરાતમાં સહજાનંદ સ્વામીને તૈયાર કરી ઙફડ્ઢ ઇશિફિંક્ષક્ષશભફ સ્થાપ્યું. અને જ્યારે એ કાર્ય પૂરું થઈ ગયું ત્યારે નિવૃત્ત થતાં પહેલાં 1830 ના ફેબ્રુઆરી મહિનામાં તે સહજાનંદ સ્વામીને મળવા જ્હોન માલકમ પહેલીવાર રાજકોટ આવ્યા, એ પણ એટલા માટે કારણકે સહજાનંદ સ્વામી ગંભીર માંદગીમાં પટકાયેલા હતા. એ વિશે રેયમોન્ડ વિલિયમ્સ પુસ્તકમાં લખે છે, ‘28 ફેબ્રુઆરી, 1830 ના રોજ રાજકોટ ખાતે સર જ્હોન માલ્કમ અને સ્વામિનારાયણની મિટિંગ થઈ, જે ગુજરાતમાં બ્રિટિશ કંટ્રોલ અને સ્વામિનારાયણ હિંદુઈઝમના સહજાનંદ સ્વામીની વધતી લોકપ્રિયતાથી સ્વાભાવિક બની ચૂકી હતી. આ મિટિંગ તે પહેલાં બ્રિટિશ અમલદારો તથા ખ્રિસ્તી પાદરીઓની સ્વામિનારાયણના ધાર્મિક નેતાઓ સાથે થયેલી અનેક બેઠકોનું પરિણામ હતી. આ મિટિંગ સહજાનંદ સ્વામીની આખરી માંદગીના સમયમાં થઈ અને તે તેમની આખરી મુલાકાતોમાંથી એક હતી. તે (જૂનમાં સહજાનંદ સ્વામીના મૃત્યુ) પછી ડિસેમ્બરમાં જ્હોન માલ્કમ પણ બ્રિટન પાછા આવી ગયા. તે બંનેની મિટિંગે એ તાકતોને ગતિ આપી જેમણે ભારતના રાજનૈતિક, સામાજિક અને સાંસ્કૃતિક પરિદૃષ્યને મહત્વપૂર્ણ રૂપથી પ્રભાવિત કર્યું. એ તાકતોએ બ્રિટન અને સમગ્ર આધુનિક સંક્રમણ નેટવર્કમાં જ્યાં પણ ગુજરાતમાંથી સ્થળાંતર થયું છે ત્યાં બંને તરફ પ્રભાવ પાડવાનું ચાલુ રાખ્યું છે.’
આ સાથે રેયમોન્ડ વિલિયમ્સ પુસ્તકમાં લખે છે કે ‘ગુજરાતીઓ લાંબા સમયથી બ્રિટિશ શાસન અને સહજાનંદના મંત્રાલયના જોડાણને ઓળખે છે. તે સમયની એક જૂની ગુજરાતી કહેવત છે; “ટોપી બ્રિટિશની હેલ્મેટ અને તિલક સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા કપાળ પર કરવામાં આવતી નિશાની એકસાથે આવ્યા, અને તેઓ એકસાથે જ જશે.” અંગ્રેજો આવ્યા અને ગુજરાતમાં પ્રચંડ પરિવર્તનના એજન્ટ હતા. તેમનો વારસો સર્વત્ર સ્પષ્ટ છે, પરંતુ તેઓ અદૃશ્ર્ય થઈ ગયા છે. ગુજરાતમાં અને હવે ઈંગ્લેન્ડમાં પણ તિલક ખૂબ જ પુરાવામાં છે, અને સહજાનંદ દ્વારા સ્થાપિત ધાર્મિક સંસ્થા ગુજરાતના ધાર્મિક જીવનમાં અને જ્યાં પણ ગુજરાતીઓ છે ત્યાં મુખ્ય બળ બની રહી છે.’

પણ અહીં ગુજરાતી સમાજના સાચા ચિત્રને અને ગુજરાતીઓની સાચી લાગણીને સમજવામાં આ અંગ્રેજ લેખકે થાપ ખાધી છે. કારણકે આ જૂની કહેવત એક આખા સમાજની ગૂંગળામણ બતાવી રહી છે. અને આજે આ પુસ્તકમાં બતાવેલી આ સંપ્રદાયની જે વિકૃતિ આપણે જોઈ રહ્યા છીએ એનું જ નિર્માણકાર્ય આજથી બસો વર્ષના આપણા એ ગુજરાતી પૂર્વજો સહન કરી રહ્યા હતા. વિદેશી સત્તા અને પોતાના ધર્મથી વિપરીત સંપ્રદાયની મીલીભગતથી સમાજમાં ઊભી થયેલી બેચેની અનુભવાય છે એ કહેવતમાં. એક આખો સમાજ એક કહેવતનો ટેકો લઈને પ્રતીક્ષા કરવાની હિંમત મેળવી રહ્યો છે કે એક દિવસ આ સમય જતો રહેશે. પણ આ પુસ્તકના બીજા પ્રકરણમાં જોયેલી વિકૃતિ પછી એ કઠોર સત્ય આપણી સામે આવે છે કે એ સમય પૂર્ણ રીતે ક્યારેય ગયો જ નહિ. કારણકે સહજાનંદ સ્વામીના એ સંપ્રદાયને નવી નવી ટોપીઓ સાથે જોડાવવાની અને તેનો ઉપયોગ કરવાની ફાવટ આવી ગઈ. સ્વતંત્રતા પછી કોંગ્રેસ, અને ત્યારબાદ ભાજપ. અને આજે બિલકુલ બસો વર્ષ પછી 2017 થી આ લખાઈ રહ્યું છે ત્યારે 2024 સુધી ગુજરાતના સનાતની સમાજમાં એજ ગૂંગળામણ છે જે 1817 થી 1830 વચ્ચે અને તે પછી હતી. ફરક ખાલી એટલો છે કે ટોપી સ્વરૂપે અંગ્રેજ અમલદારો અને ખ્રિસ્તી પાદરીઓના સ્થાને ભાજપ અને હિંદુ સંગઠનો આવી ગયા છે. અને છેલ્લા સાતેક વર્ષથી આજનો ગુજરાતી સમાજ એ જૂની કહેવતનો જ મર્મ બીજા શબ્દોમાં કહે છે. આજે તે કહે છે, ‘આ તો આ સંપ્રદાયને અત્યારની સત્તાનો સંપૂર્ણ ટેકો છે, એટલે આ બધું પાખંડ ચાલે જાય છે. જે દિવસે આ સરકાર નહીં હોય તે દિવસે એનો પણ પાપનો ઘડો ભરાઈ જશે.’

પણ ના આજનો ગુજરાતી સમાજ એ જાણે છે ના આજના સત્તાધીશ પક્ષો કે આ સંપ્રદાયનો ઉદભવ જ આ રમતથી થયો છે. પૈસા, ભોગ અને સત્તાની લાલચથી આ સંપ્રદાયના સ્થાનોએ સલામો ભરવામાં પોતાનું સૌભાગ્ય સમજવાવાળા ભાજપ અને સાથી સંગઠનો એ નથી જાણતા કે તેમના જેવી તો ઘણી ટોપીઓ આ સંપ્રદાયે ફેરવી દીધી, અને તેમનો નંબર ત્રીજો છે. જ્હોન માલકમ એમને સત્તા અને ચર્ચની મીલીભગતથી સમાજ પર આધિપત્ય ભોગવાનો એ યુરોપીય માર્ગ બતાવી ગયો છે. અને એમાં પાવરધો બનેલો આ સંપ્રદાય તમારો ઉપયોગ સનાતન ધર્મ અને તેના આરાધ્ય ઈશ્ર્વરોને નષ્ટ કરવા કરી રહ્યો છે.

You Might Also Like

ધુળેટીની ભૂલ સુધરી: ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખમાં ફેરફાર, ધો. 10-12ની પરીક્ષાઓની નવી તારીખો જાહેર!

જૈન સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા તા. 22થી 27 સુધી નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

રાજકોટથી દિલ્હીના ભાવ આસમાને: ભાડું રૂ. 25થી 40 હજાર સુધી પહોંચી જતાં મુસાફરોમાં દેકારો

ગોંડલના રાજકુમાર જાટના મોત મામલે ગણેશ ગોંડલનો થશે નાર્કો ટેસ્ટ

મેડિકલની છાત્રાને લગ્નની લાલચ આપી તાલાલાના શખ્સે વારંવાર આચર્યું દુષ્કર્મ

TAGGED: Sahajanand, SWAMINARAYAN
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 7 જિલ્લામાં સિવિયર હીટવેવની આગાહી: કચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં તો રાત્રે પણ ઊંઘ બગાડે તેવી સ્થિતિ
Next Article સ્કૂલ ઑફ સાયન્સ કે સ્કૂલ ઑફ રેગિંગ ?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બસ સ્ટેન્ડ રોડ ઉપર જર્જરિત ઈમારતનો બીજા માળનો રવેશ તૂટી પડયો: સદનસીબે જાનહાનિ ટળી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વેરાવળના વિવિધ સ્થળો પર સઘન તપાસ
વેરાવળ ખાતે શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક યોજાઈ
કોડીનાર તાલુકાના બરડા ગામ ખાતે કલેક્ટર ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ
જૂનાગઢમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયા દ્વારા મહાશિવરાત્રી મેળો અને ખેડૂતલક્ષી કામગીરીની સમીક્ષા
બે થેલી ખાતર પણ ભેળસેળવાળું મળતાં ખેડૂતોમાં રોષ સાથે આક્ષેપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ધુળેટીની ભૂલ સુધરી: ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખમાં ફેરફાર, ધો. 10-12ની પરીક્ષાઓની નવી તારીખો જાહેર!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

જૈન સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા તા. 22થી 27 સુધી નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટથી દિલ્હીના ભાવ આસમાને: ભાડું રૂ. 25થી 40 હજાર સુધી પહોંચી જતાં મુસાફરોમાં દેકારો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?