યુક્રેન એરફોર્સે પણ કર્યો દાવો- 47 મિસાઇલ તોડી પાડી
ખાસ-ખબર સંવાદદાતા
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન જર્મનીએ 25 જાન્યુઆરીએ પોતાની લેપર્ડ-2 ટેન્ક યુક્રેનને આપવાનો નિર્ણય કર્યો છે. એ બાદ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, 25-26 જાન્યુઆરીએ રશિયાના સૈનિકોએ યુક્રેનનાં શહેરો પર 55 મિસાઈલ ઝીંકી હતી, જેમાં 12 લોકોનાં મોત થયાં હતાં. યુક્રેન એરફોર્સે દાવો કર્યો છે કે તેણે 55માંથી 47 મિસાઈલોને તોડી પાડી છે. યુક્રેન સ્ટેટ ઇમર્જન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, રાજધાની કિવમાં 20 મિસાઇલ પડી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે ખેરસોન, હલેવાખા સહિત 11 વિસ્તારમાં મિસાઈલો પડી, જેમાં 35 ઈમારત નષ્ટ થઈ ગઈ. આ દરમિયાન અન્ય 11 લોકો ઘાયલ થયા હતા. રશિયાના હુમલામાં અનેક ઘર નષ્ટ થઈ ગયાં. મિસાઈલ હુમલા બાદ હલેવાખામાં જે જગ્યાએ મિસાઈલ પડી ત્યાં વિનાશ જોવા પોતાનાં ઘરોમાંથી લોકો બહાર નીકળી રહ્યા છે. રશિયન હુમલા બાદ કિવના ઘણા વિસ્તારોમાં પાવર ફેઇલ થઈ ગયો હતો. એ બાદ વીજ કંપનીના કર્મચારીઓને વીજળી ફરીથી ચાલુ કરવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. કેટલીક રશિયન મિસાઇલો કિવના ઔદ્યોગિક વિસ્તારમાં પડી હતી. આ તસવીરમાં પોલીસકર્મીઓ મૃતદેહને વાહનમાં રાખતા જોઈ શકાય છે. યુક્રેનનું કહેવું છે કે રશિયા હવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી રહ્યું છે. 26 જાન્યુઆરીએ રશિયાના સૈનિકોએ યુક્રેનના ઓડેસા શહેર પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન કેટલીક મિસાઈલ ત્યાં બનેલા પાવર પ્લાન્ટ પર પડી હતી. આ મિસાઈલ હુમલામાં પાવર પ્લાન્ટ નષ્ટ થઈ ગયો. 25 જાન્યુઆરીએ જ ઞગઊજઈઘએ આ શહેરને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી. ઞગઊજઈઘએ કહ્યું હતું કે એની યુનિવર્સલ વેલ્યુ છે. એને કાળા સમુદ્રનું મોતી પણ કહેવામાં આવે છે.