ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
રાજકોટ જિલ્લામાંથી તેમજ અન્ય જિલ્લામાંથી પગપાળા યાત્રીઓ દ્વારિકાધીસના દર્શન અર્થે ખુબ મોટા પ્રમાણમાં જતા હોય છે. જેમાં અમદાવાદ રોડ ઉપર થી પસાર થતા યાત્રોઓની પાછળ માર્ગદર્શન અક્સમાત થી બચી શકાય તે હેતુ થી યાત્રીઓના બેગ તેમજ લાકડી ઉપર રેડિયમ રીફલેકટર લગાડવામાં આવેલ. રાજકોટ આર ટી ઓ કેતન ખપેડ અને શ્રી જેવી શાહ દ્વારા આશરે 47 જેટલાં યાત્રીને રસ્તા ઉપર શું તકેદારી રાખવી તે બાબતે સમજ આપવામાં આવી હતી. તેઓ સાથે લઇ ને ચાલતા વાહનોની પાછળ પણ રેડિયમ રીફલેકટર લગાડવામાં આવેલ તેમજ સેવા ભાવિ કેમ્પ ઉપર પણ રેડિયમ રીફલેકટર આપવામાં આવેલ અને ત્યાં ઉપસ્થિત લોકોને પણ સમજ આપવામાં આવેલ કે રસ્તા ઉપર ચાલતી વખતે શું શું તકેદારી રાખવી.