ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષ સ્થાને રન ફોર યુનિટી નું આયોજન સરદાર પટેલ સ્ટેચ્યુ. બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ રોડ, રાજકોટ ખાતે સવારે 7 કલાકે કરવામાં આવ્યું છે. “રન ફોર યુનિટી”ની શરૂઆત ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી નિમિતે કરાવી હતી. આ દિવસ હવે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.



 
                                 
                              
        

 
         
        