921 ખાનગી શાળાઓમાં 6,640 આર્થિક નબળા બાળકો ધો.1માં પ્રવેશ મેળવી ધો.8 સુધી ફ્રી એજયુકેશન મેળવી શકશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળાઓમાં 25% બેઠક પર ગરીબ અને જરૂરિયાત વાળા બાળકોને ધોરણ-1માં મફત પ્રવેશ માટે RTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ આજે જાહેર કરવામાં આવેલી છે. 28મી ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી વાલીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા રૂ. 1.20 લાખ તો શહેરી વિસ્તારમાં આવક મર્યાદા રૂ. 1.50 લાખ રાખવામાં આવેલી છે. જેમાં અલગ-અલગ 13 કેટેગરીમાં અગ્રતા આપવામા આવશે. રાજકોટ શહેર અને જિલ્લામાં વર્ષ 2025માં 921 ખાનગી શાળાઓમાં 6,640 વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં એડમિશન મેળવી શકશે.
ગત વર્ષે 2024માં કુલ 804 ખાનગી શાળાઓમા 4,487 બેઠક પર જ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓના પ્રવેશ થયા હતા. ગત વર્ષ કરતા પ્રવેશપાત્ર ખાનગી શાળાઓની સંખ્યામાં 117 તો વિદ્યાર્થીઓની ઇન્ટેક કેપેસિટીમાં 2,153નો વધારો થયો છે. જેથી, વધુ વિદ્યાર્થીઓ RTE હેઠળ એડમિશન મેળવી શકશે અને ધોરણ-1થી 8 સુધી ખાનગી શાળાઓમાં ફ્રી એજ્યુકેશન મેળવી શકશે, જેનો ખર્ચ સરકાર ઉઠાવશે.રાજકોટ શહેરમાં RTE હેઠળ વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે તે માટે આ વર્ષે 2025માં 592 ખાનગી શાળાઓમાં 4,453 સીટ છે એટલે કે આટલી બેઠક ઉપર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. જેની સામે ગત વર્ષ 2024 માં 589 ખાનગી શાળાઓમાં 3,713ની ઇન્ટેક કેપેસિટી હતી એટલે કે ગત વર્ષ કરતાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવી શકાય તેવી શાળાઓમાં 3નો વધારો થયો છે જ્યારે ઇન્ટેક કેપેસિટી પણ 740 વધી છે. જ્યારે જિલ્લા પંચાયત હસ્તકની તાલુકા વિસ્તારમાં આવેલી ખાનગી શાળાઓમાં વર્ષ 2025માં 329 ખાનગી શાળાઓમાં 2,187 સીટ છે. જેની સામે ગત વર્ષે 2024માં 215 શાળાઓમાં 774 ઇન્ટેક કેપેસિટી હતી એટલે કે અહીં પણ 11 તાલુકાની ખાનગી શાળાઓમાં 114નો વધારો થયો છે, જ્યારે પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ 1,413નો વધારો નોંધાયો છે.
જ્યારે બંને થઇને એટલે કે રાજકોટ શહેર અને જિલ્લામાં વર્ષ 2025માં 921 ખાનગી શાળાઓમાં 6,640 વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં એડમિશન મેળવી શકશે. ગત વર્ષે 2024માં કુલ 804 ખાનગી શાળાઓમા 4,487 બેઠક પર જ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓના પ્રવેશ થયા હતા.
મહત્વની વાત એ છે કે, વર્ષ 2023-24થી ગુજરાત સરકાર દ્વારા એવો નિયમ ગણવામાં આવ્યો હતો કે, જે બાળકોને 1 જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તેઓને જ ધોરણ-1માં પ્રવેશ આપવો. જેની અસર વર્ષ 2024-25ના એડમિશનમાં જોવા મળી અને રાજ્યમાં ધોરણ-1માં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો અને તેથી તેની અસર સ્વરૂપે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઅતોની સંખ્યા પણ ઘટી હતી. કારણકે 6 વર્ષ પૂર્ણ ન થયા હોય તેઓને બાલવાટિકામાં પ્રવેશની જાહેરાત કરવામાં આવી હતી..
- Advertisement -
28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકશે
જોકે, આ વર્ષે 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકશે. જેની જાહેરાત આજે ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક ડો. એમ. આઈ. જોષી દ્વારા કરવામાં આવેલી છે. વાલીઓ વિિંાં://િયિં.જ્ઞિાલીષફફિિ.ંભજ્ઞળ વેબસાઈટ પરથી ફોર્મ ભરી શકશે. જેમાં 1 જૂન, 2025ના 6 વર્ષ પૂર્ણ થતા હોય એવા બાળકો જ ધોરણ-1માં પ્રવેશપાત્રતા ધરાવે છે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.