દર વર્ષ વિજયાદશમીના અવસર પર સંઘનો સ્થપના દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે નાગપુરમાં શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં મોહન ભાગવતે હાજરી આપી હતી, અને શસ્ત્ર પૂજન કર્યુ હતું. આ કાર્યક્રમમાં પર્વતારોહક અને બે વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પદ્મશ્રી સંતોષ યાદવ મુખ્ય અતિથિ રૂપે હાજર રહ્યાં હતા.
Religion-based population imbalance is an important subject not to be ignored. Population imbalances lead to changes in geographical boundaries.Alongside the differences in birth rate, conversions by force,lure or greed & infiltration are also big reasons: RSS chief Mohan Bhagwat pic.twitter.com/E5oGt8oK8O
- Advertisement -
— ANI (@ANI) October 5, 2022
આ અવસર પર સંઘના પ્રમુખ મોહન ભાગવતએ નાગપુરના રેશમીબાગમાં સંઘના કાર્યકર્તાને સંબોધિત કરતા કહ્યું કે, શક્તિ તો શુભ અને શાંતિનું પ્રતિક છે. મોહન ભાગવતએ સ્ત્રીઓની સ્થિતિ વિશે વાત કરતાં કહ્યું કે, આપણે તેમને જગતજનની માનીએ છિએ, પરંતુ તેમણે પૂજા ઘરમાં બંધ કરી દઇએ છિએ, જે યોગ્ય નથી. માતૃશ્કિતના જાગરણના કાર્યક્રમના પોતાના પરિવારથી પ્રારંભ કરવો પડશે, નિર્ણયો લેવામાં મહિલાઓએ જ સાબિત કરવી પડશે.
- Advertisement -
તેમણે વધુમાં જણાવ્યું કે, દુનિયામાં ભારતની પ્રતિષ્ઠામાં વધારો થયો છે. આપણે શ્રીલંકાને તેમના આર્થિક સંકટમાં મદદ કરી. યૂક્રેનમાં અમેરિકા અને રશિયાના યુદ્ધમાં પોતાના હિતને સૌથી આગળ રાખ્યું. રાષ્ટ્રીય સુરક્ષાના કેસમાં આપણે સતત સફળ થતા રહ્યાં છિએ, અને સ્વાવલંબી બન્યા છિએ. આ નવા પરિવર્તન વિશે સાંભળીને મને પણ પ્રસન્નતા થઇ છે.
#WATCH | Population imbalance leads to changes in geographical boundaries… Population control & religion-based population balance is an imp subject that can no longer be ignored…So a holistic population policy should be brought & should be equally applicable to all: RSS chief pic.twitter.com/hYU6itnO47
— ANI (@ANI) October 5, 2022
જનસંખ્યા અસંતુલનથી આજે બની રહ્યા છે નવા દેશ
જનસંખઅયાના મુદા પર વાત કરતાં સંઘના પ્રમુખે જણાવ્યું કે, જનસંખ્યા એક બોજ છે, પરંતુ આ સાધન પણ બની શકે છે. જનસંખ્યા નિયંત્રણની સાથે- સાથે વિસ્તાર આધાર પર જનસંખ્યાનું સંતુલન પણ એક મહત્વનો વિષય છે, જેને નજરઅંદાજ કરી શકાય નહીં. તેમણે સચેત કરતાં કહ્યું કે, એક ભૂભાગમાં જનસંખ્યાનું સંતુલન બગડતું પરિણામ છે, જે ઇન્ડોનેશિયાથી ઇસ્ટ તિમોર, સુડાનથી દક્ષિણ સુડાન તેમજ સર્બિયાથી કોસોવા નામથી નવા દેશો બની ગયા. તેમણે કહ્યું કે, જનસંખ્યા નીતિના ગંભીર મંથન પછી તૈયારી કરવી જોઇએ, અને તેને લાગુ કરવી જોઇએ.
The concept of Hindu Rashtra is being discussed all over. Many agree with the concept but are opposed to the word ‘Hindu’ & prefer to use other words. We don't have any issue with that. For the clarity of concept – we will keep emphasizing the word Hindu for ourselves: RSS chief pic.twitter.com/5c2zi7QSeo
— ANI (@ANI) October 5, 2022
હિંદુસ્તાન એક હિંદુ રાષ્ટ્ર છે, પરંતુ…
તેમણે હિંદુત્વ પર જણાવ્યું કે, હું મારા સંબોધનમાં હિન્દુ અને હિંદુસ્તાન પર ચર્ચા કરૂ છું. હિંદુ સ્તાન એક હિંદુ રાષ્ટ્ર છે, પરંતુ અમારો કોઇ સાથે વિરોધ નથી. અમારે કોઇને દેખાડવું નથી, પરંતુ જોડવું છે. બનવું એવું છે કે અમને કોઇ જીતી શકે નહીં.
મોહન ભાગવતે રોજગારી વિશે વાત કરતાં કહ્યું કે, રોજગારીનો અર્થ નોકરી છે લોકો નોકરીની પાછળ જ ભાગી રહ્યાં છે, અને એ પણ સરકારી નોકરી. જો આવી જ રીતે લોકો દોડશે તો, કોને નોકરી મળશે? કોઇ પણ સમાજમાં સરકારી કે પ્રાઇવેટ મળીને વધુમાં વધુ 10, 20, 30 ટકા નોકરી હોય છે. બોકી બધા લોકોએ પોતાનું કામ કરવું પડે છે. આ પછી આપણે જાતે પ્રયત્ન કરવા પડે છે. આ દિશામાં સ્ટાર્ટઅપ ઉત્તમ વિકલ્પ છે.