ક્રાઈમ બ્રાન્ચે છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ આદરી
સુરતના બે ભાઈઓ, કર્ણાટકના એક શખ્સનું નામ પણ ખુલ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રોયલ એકેડેમીના સંચાલક આણી ટોળકીએ જેતપુરના વિદ્યાર્થીને NEETમાં સારા માર્ક અપાવવા 30 લાખ પડાવ્યાં બાદ સારા માર્ક ન આવતાં અને રૂપીયા પણ પરત ન આપી છેતરપીંડી આચરતાં ક્રાઈમ બ્રાન્ચમાં ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
જેતપુરમાં અમરનગર રોડ પર સોમનાથ સોસાયટીમાં રહેતાં તુષારભાઈ અરવીંદભાઈ વેકરીયા ઉ.40એ ધોરાજીના રાજેશ હરી પેથાણી, ઉદયપુરના ધવલ સંઘવી, રાજકોટના વિપુલ મૂળશંકર તેરૈયા, સુરતના પ્રકાશ મૂળશંકર તેરૈયા અને કર્ણાટકના મનજીત જૈન બેલગામ સામે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, જેતલસર ગામમાં બોઇલના ગઠ્ઠા બનાવવાનુ તથા મશીન રીપેરીંગનું કામ કરે છે 2024માં તેનો દિકરો દ્રિજ રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ રોયલ એકેડમીમાં ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતો હોય અને તેને એમબીબીએસ હોમ્યોપેથી આયુર્વેદીક મેડિકલ એન્ટ્રેસ (ગઊઊઝ) પરીક્ષામાં સારા માર્ક અપાવવા હોય જે બાબતે રોયલ એકેડમી સ્કુલના ચેરમેન રાજેશ પેથાણીને વાત કરતાં તેણે કહેલ કે, એવા એક ભાઈને હું ઓળખુ છુ, જે આવી પરીક્ષાઓમાં વધારે માર્ક અપાવવાનું કામ કરી આપે છે જેના માટે 60 લાખ થશે તેમ વાત કરી રાજેશ પેથાણીએ ધવલ સંઘવી સાથે વાત કરાવેલ અને ધવલને કહેલ કે, મારાથી આટલા બધા રૂપિયા થઇ શકે તેમ નથી, તો તેમને કહેલ કે, તમે અત્યારે દશ લાખ રૂપિયાની સગવડતા કરી રાખો બાદમાં વધ ઘટ હુ મારી રીતે જોઇ લઇશ.
- Advertisement -
જેથી ફરીયાદીએ દીકરાના ભવિષ્યને લઇ રૂપિયા આપવાનુ નકકી કરેલ અને રાજેશ પેથાણીને રાજકોટમાં એપ્રીલ-2024માં 10 લાખ રોકડા આપેલ અને મહિનાના છેલ્લા વિકમાં 20 લાખ રાજેશ પેથાણીને રાજકોટ ખાતે રોકડા આપેલ હતા તેઓએ રાજેશ મારફતે ધવલ સંધવીને પોતાના દીકરાને NEETની પરીક્ષામા સારા માર્ક અપાવવા માટે 30 લાખ આપેલ હતા આ સારા માર્ક માટે રાજેશ પેથાણી મારફતે ધવલ સંઘવી સાથે વાત કરેલ હોય અને તેઓના કહેવા મુજબ દિકરાનું બેલગાવ કર્ણાટક ખાતે પરીક્ષા સેન્ટર આવે એટલે મેડિકલ એન્ટ્રેસ (ગઊઊઝ) પરીક્ષા ફોર્મ ભરેલ ત્યારે બેલગાવનું કરન્ટ એડ્રેસ બતાવેલ હતું, જેથી પરીક્ષા સેન્ટર બેલગાવ આવેલ હતું.
વર્ષ 2024 મેડિકલ એન્ટ્રેસ (NEET) પરીક્ષા આપવા માટે દિકરા સાથે બેલગાવ ગયેલ પરંતુ ધવલની વાત ઉપર વિશ્વાસ ન આવતા દિકરાને તેની રીતે જ પરીક્ષા આપવા માટે સમજાવેલ હતો તેમના દિકરાએ આ પરીક્ષા કોઈપણ સેટીંગ વગર તેમની જાતે પરીક્ષા આપેલ જેમાં તેને 460 માર્ક્સ આવેલ જેથી જે રાજેશ પેથાણી મારફતે ધવલ સંઘવી સાથે વાત થયેલ તે મુજબ કોઈ સેટીંગ થયેલ નહી અને દિકરાને સારા માર્ક આવેલ નહી, તેથી આ પરીક્ષામાં સારા માર્ક માટે રાજેશ પેથાણીને આપેલ રૂપિયા પરત માંગતા તેઓએ કહેલ કે, રૂપિયા તો ધવલને આપી દિધેલ છે, જેથી ધવલ સાથે ફોનમાં વાત કરેલ અને રૂ. 30 લાખ પરત માંગતા મને ઉપરથી પરત આવે એટલે તમને આપી દઇશ તેમ કહેલ પરંતુ ઘણો સમય થઇ ગયેલ પરંતુ રૂપિયા પરત આવેલ નહી જે બાદ ધવલને ફોન કરેલ પરંતુ તે ફોન ઉપાડતો ન હોય જેથી જુલાઇ-2024 માં તેમના ઘરે ઉદયપુર શોભાપુરા સર્કલ, રૂપરત્ન એપાર્ટમેન્ટ, અગીયારમા માળે ગયેલ અને ત્યાં તપાસ કરતા જાણવા મળેલ કે, ધવલ નાથદ્વારા શ્રીનાથજી ભગવાનના મંદીરે ગયેલ છે. જેથી ત્યાંથી નાથદ્વારા ગયેલ અને ત્યાં પણ ધવલ ભેગો થયેલ નહી અને ફોન કરતા ધવલ કોઇ સરખો જવાબ આપતો ન હતો બે મહીના બાદ પણ રૂપિયા પરત નહી મળતા, રાજેશ પેથાણીને મળેલ અને રૂપિયા પરત અપાવવા માટે કહેલ તો તેઓએ ધવલ સંધવીને વાત કરેલ તો જણાવેલ કે, તેમણે આ રૂપિયા વિપુલ તેરૈયા તેમજ તેના ભાઈ પ્રકાશ તેરૈયાને આપેલ છે અને તેઓ રૂપિયા પરત આપતા નથી જેથી હું તમને રૂપીયા આપી શકતો નથી થોડા દિવસ બાદ ધવલ સંધવી, વિપુલ તેરૈયા, પ્રકાશભાઈ તેરૈયા રાજકોટ રાજેશ પેથાણીની રોયલ એકેડમી ખાતે આવેલ અને ફરિયાદીને મળી થોડો સમય માંગેલ અને ચિંતા ન કરતા તમને તમારા રૂપિયા પરત મળી જશે. સમય જતાં રૂપિયા મળેલ નહી જેથી તેરૈયા બંધુને ફોન કરી મારા રૂપિયા આપવાનુ કહેતા તેઓએ કહેલ કે, આ રૂપિયા મનજીત જૈન કે જેઓ કર્ણાટક બેલગાવના છે તેમને આપેલ છે, જે પરત આપતો નથી એટલે આ રૂપિયા તમને પરત આપી શકતા નથી તે રૂપિયા પરત આવે એટલે અમે તમને પરત આપી દઈશ. પરંતુ ઘણો સમય પસાર થઈ જતા રૂપિયા પરત આવેલ નહી જેથી આરોપીઓએ મળી તેઓના દિકરાને એમબીબીએસ મેડિકલ એન્ટ્રેસ (ગઊઊઝ)ની પરીક્ષામાં સારા માર્ક અપાવવાનું કહીં રૂ 30 લાખ લીધેલ હોય જે રૂપિયા પરત ન કરી છેતરપીંડી આચરતાં ફરીયાદ નોંધાવી હતી.બનાવ અંગેની ફરીયાદ પરથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુનો નોંધી પીએસઆઈ એ. એન.પરમાર અને ટીમે આરોપીને સકંજામાં લેવાં તજવીજ હાથ ધરી છે.