ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં ફેરબદલ જોવા મળે છે ક્યારે ઢાબરયું વાતાવરણ તો ક્યારેક પવનની ગતિ તેજ જોવા મળી રહી છે. ત્યારે ગિરનાર પર્વત પર છેલ્લા આમ તો એક મહિનાથી રોપ-વે અનિશ્ચિત ચાલે છે. એમાં છેલ્લા પાંચ દિવસથી ગિરનાર પર્વત પર મીની આંધી સાથે વાદળો ઘેરાયેલ જોવા મળે છે. અને પવનની ગતિ 80 થી 90 કિમિની ઝડપે ફુંકાતા આજે પાંચમા દિવસે પણ રોપ-વે બંધ રાખવાનો નિર્ણય કંપની તરફથી લેવામાં આવ્યો છે.
એક તરફ વિદ્યાર્થીઓનું વેકેશન ચાલે છે અને લોકો દૂર દૂર થી રોપ-વેની સફર ગિરનાર યાત્રા અને કુદરતી સૌંદર્યની માજા માણવા પધારતા પ્રવાસીઓને પરત ફરવું પડે છે જયારે સશક્ત લોકો ગિરનાર સીડી ચઢીને યાત્રા કરે છે જયારે થોડા દિવસો પેહલા પવનની ગતિ સામાન્ય હતી ત્યારે રોપ-વે કંપની તરફથી માત્ર ઉપર અંબાજી મંદિર સુધી વન-વે ટિકિટ આપવામાં આવતી હતી રિટર્ન ટિકિટ આપતા ન હતા કારણ કે ક્યારે પવનની ગતિ વધી જાય અને રોપ-વે બંધ કરવો પડે જેના લીધે પણ પ્રવાસીઓ અવઢવમાં જોવા મળ્યા હતા જોકે હજુ વરસાદના કોઈ એંધાણ નથી પણ પવનની ગતિ જૂનાગઢ શહેરમાં 14 કિલોમીટર આસપાસ નોંધાઈ છે જયારે ભેજનું પ્રમાણ 75 ટકા અને 26 થી 27 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે.