કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીની મોટી જાહેરાત
જો અકસ્માતનો ભોગ બનનારનો વાહનનો વીમો છે તો વીમા કંપની સારવારનો ખર્ચ ઉઠાવશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.8
- Advertisement -
દેશમાં વધતા જતા માર્ગ અકસ્માતોને લઇને ઘાયલોને વિનામૂલ્યે કેશલેસ સારવાર અપાવવાની નવી યોજના સરકારે જાહેર કરી છે. જે મુજબ જો અકસ્માતનો ભોગ બનનારના વાહનનો વીમો છે તો વીમા કંપની સારવારનો ખર્ચ ઉપાડશે જો વીમો નથી તો કેન્દ્ર સરકાર અકસ્માત પીડિત માટે રૂા. 1.પ લાખ સુધીની કેશલેસ સારવાર અપાવશે.
આ અંગેની વિગત મુજબ દેશમાં માર્ગ અકસ્માતોના વધી રહેલા ઘટનાને ધ્યાને લઈ કેન્દ્ર સરકારે એક મહત્વની પહેલ હાથ ધરી છે. કેશલેસ ટ્રીટમેન્ટ ઓફ રોડ એક્સિડન્ટ વિક્ટિમ્સ સ્કીમ 2025 નામે શરૂ કરવામાં આવેલી નવી યોજના અંતર્ગત હવે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે સહાય મળશે.
આ યોજના અંતર્ગત, જે કોઇ વ્યક્તિ વાહન અકસ્માતમાં ઘાયલ થાય છે તેને સાત દિવસની અંદર કોઇપણ માન્ય સરકારી હોસ્પિટલે પણ જઈને રૂા.1.5 લાખ સુધીની મફત સારવાર મળી શકશે. ખાસ વાત એ છે કે, જો અકસ્માત કરનાર વાહનનું ઈન્શ્યોરન્સ છે તો ખર્ચ વિમા કંપની ઉપાડશે અને જો નહીં હોય તો કેન્દ્ર સરકાર તેનો ખર્ચ ઉપાડશે.
મોટા શહેરોની સાથે સાથે નાના ગામડાંમાં પણ આ યોજના લાગુ કરવા માટે કામ ચાલુ થઈ ચૂક્યું છે. સરકારની આ પહેલના કારણે અનેક પીડિતોને તાત્કાલિક સારવાર મળવી વધુ સહેલી બનશે. કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ યોજના માટે વર્ષ 2025-26માં 272 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો છે. કોઈપણ માન્ય સરકારી અથવા માન્ય ખાનગી હોસ્પિટલમાં આ સારવાર મળશે. હોસ્પિટલ ગઇંઅ (ગફશિંજ્ઞક્ષફહ ઇંયફહવિં ઈવિંજ્ઞિશિું) દ્વારા ઓળખાયેલી હોવી જોઈએ. અકસ્માત થયાના 7 દિવસની અંદર સારવાર શરૂ કરવી પડશે. જો અકસ્માત કરનાર વાહનનું વીમો (ઈંક્ષતીફિક્ષભય) છે, તો તે ખર્ચ વીમા કંપની ઉપાડશે. જો વીમો નથી, તો કેન્દ્ર સરકાર ખર્ચ ભોગવશે.