ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. ડો. કમલસિંહ ડોડિયાના અધ્યક્ષ સ્થાને યોજાનારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધીરાણ સહકારી મંડળીની છત્રીસમી વાર્ષિક સાધારણ બુધવાર, તા.11 ના રોજ મળશે. આ પ્રસંગે રાજકોટ નાગરિક સહકારી બેંક ડાયરેક્ટર અને પૂર્વ ચેરમેન નલિનભાઇ વસા મુખ્ય મેહમાન પદે ઉપસ્થિત રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળી દ્વારા તાજેતરમાં નિવૃત થયેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગણિત શાસ્ત્ર ભવનના પૂર્વ અધ્યક્ષ પ્રો. સમીર વૈદ્ય, તથા રસાયણ શાસ્ત્ર ભવનના વડા પ્રો. હિતેન્દ્ર જોષીનો ગરિમાપૂર્ણ અભિવાદન સમારોહ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. કમલસિંહ ડોડિયાના અધ્યક્ષ સ્થાને તા.11 ને બુધવારના રોજ ત્રણ કલાકે ગુજરાતી ભવનના સેમીનાર હોલમાં યોજાશે.
- Advertisement -
આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે રાજકોટ નાગરિક સહકારી બેંકના ડાયરેક્ટર અને પુર્વ ચેરમેન નલિનભાઈ વસા ઉપસ્થિત રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીની છત્રીસમી વાર્ષિક સાધારણ સભા, સાથોસાથ વય મર્યાદાને કારણે નિવૃત થનાર અધ્યાપકોના અભિવાદન સમારોહને સફળ બનાવવા માટે અધ્યાપકોની સહકારી મંડળીના પ્રમુખ પ્રો.જયદીપસિંહ ડોડિયા, ઉપપ્રમુખ પ્રો. જે.એ. ભાલોડીયા, મંત્રી પ્રો. વી.જે. કનેરીયા, સહમંત્રી ડો.યોગેશ જોગસણ, ખજાનચી ડો.રંજનબેન ખૂંટ, કારોબારી સભ્યો પ્રો.સંજય ભાયાણી, પ્રો.આર.બી. ઝાલા, પ્રો.અતુલભાઈ ગોસાઈ, પ્રો.નિકેશ શાહ, ડો. રેખાબા જાડેજા, ડો. મનીષ શાહ, ડો.અશ્વિનભાઈ સોલંકી અને ડો.ભરતભાઈ ખેર જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમના ઉદઘોષક તરીકે મનોવિજ્ઞાન ભવનના વડા પ્રો. યોગેશ જોગસણ ફરજ બજાવશે.