ચારેય જિલ્લાઓના કલેક્ટર્સ અને મ્યુનિસિપલ કમિશનરોએ ક્ષેત્રિય વિકાસનો રોડમેપ રજૂ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ
સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારના આર્થિક વિકાસ માટે પ્રાદેશિક આર્થિક માસ્ટર પ્લાન તૈયાર કરવા ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (જી.આર.આઈ.ટી) દ્વારા સોમનાથ ખાતે રિજિયોનલ સ્ટેકહોલ્ડર્સનો ક્ધસલ્ટેશન વર્કશોપ યોજાયો હતો. જેમાં સાગરકાંઠાના ચાર જિલ્લા
જૂનાગઢ, સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના કલેકટરશ્રીઓ અને મ્યુનિસિપલ કમિશનરશ્રીઓએ સહભાગી થઈને ક્ષેત્રિય આર્થિક વિકાસનું મનોમંથન કર્યું હતું.
પ્રગતિશીલ, સશક્ત, સમૃદ્ધ અને ટકાઉ ભારતનું નિર્માણ કરવા માટે વિકસિત ભારતના વિઝન-2047ના સંકલ્પને સાકાર કરવા માટે જૂનાગઢ, સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ પોતાની પાસે રહેલી ક્ષમતાઓનો વિસ્તાર કરીને ગુજરાતના વિકાસમાં કઈ રીતે મહત્વપૂર્ણ યોગદાન આપી શકે તેનું મનોમંથન કરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન.વી ઉપાધ્યાયે સૌને આવકારી જણાવ્યું હતું કે,ગીર સોમનાથ જિલ્લો મત્સ્યસંપદાના મૂલ્યવર્ધન સાથે ધાર્મિક અને નૈસર્ગિક પારંપરિક ચિકિત્સાના કેન્દ્ર તરીકે ઉભરવાનું સામર્થ્ય ધરાવે છે. જરૂૂર છે માત્ર આ દિશામાં વિચાર કરી આગળ વધવાની.
- Advertisement -
તેમણે વધુમાં જણાવ્યું કે, ગીર સોમનાથ જિલ્લો એ મત્સ્યોદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર છે. વેરાવળમાં આશરે 100થી વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. આ કોલ્ડ સ્ટોરેજ સહિત માછીમારીના ઉદ્યોગમાં 97 હજારથી વધુ મહિલાઓ જોડાયેલી છે. જિલ્લાનો મત્સ્યોદ્યોગનો બિઝનેસ 7 હજાર કરોડનો છે.
તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, જિલ્લામાં એવું કહેવાય છે કે, જો માછીમારીની સિઝન સારી તો જિલ્લામાં તેજી અને માછીમારીના ધંધામાં જો મંદી તો જિલ્લામાં પણ મંદી જોવા મળે છે. પરંતુ કોલ્ડ સ્ટોરેજની ચેઈન ડેવલપ કરીને, મત્સ્યોદ્યોગમાં મૂલ્યવર્ધન કરીને, તેજી-મંદીનો માહોલ સર્જાય જ નહીં તે પ્રકારનું વાતાવરણ ઊભું કરીને ક્ષેત્રિય આર્થિક વિકાસને ચોક્કસ નવો આયામ આપી શકાશે. તેવો વિશ્ર્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
ગીર સોમનાથ જિલ્લો કેરી અને નાળિયેરીના ઉત્પાદનમાં અગ્રેસર છે. કેસર કેરીને જી.આઈ.ટેગિંગ પણ મળેલું છે. જિલ્લાની કેસર કેરીને મળેલા જી.આઈ.ટેગીંગનું મિકેનિઝમ વિકસે અને તેનું યોગ્ય માર્કેટિંગ કરી એક્સપોર્ટ થાય તેમજ કેરીનો પલ્પ ચાર મહિનાની જગ્યાએ વધુ સમય સુધી જળવાય તે માટેના વૈજ્ઞાનિક કદમો લઈને કેરી અને કેરીના રસને વિદેશ સુધી પહોંચાડી શકાય તેવા ચેઈનનિર્માણની જરૂૂરિયાત વર્ણવી હતી.
આ ઉપરાંત, તેમણે નારિયેળી અને નારિયેળીના છેલ્લામાં છેલ્લા વધેલા ભાગોનો વધુ સારી રીતે ઉપયોગ કરીને તેની ઉપયોગીતા વધારી આર્થિક વૃદ્ધિ માટે ઉપયોગ કરી શકાય તે દિશામાં આગળ વધવાની જરૂૂરિયાત પણ તેમણે વર્ણવી હતી.
કલેક્ટરએ તુલસીશ્ર્યામમાં ગરમ પાણીના ઝરાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, તુલસીશ્ર્યામમાં પણ પ્રવાસન સ્થળ તરીકે વિકસવાની અપાર તકો છે. જ્યાં ભાલકા, પ્રાચી, ઉના, તુલસીશ્ર્યામ એક પ્રવાસન સર્કિટ તરીકે વિકસી શકે.