સંસ્થાએ યુનિવર્સિટીનો લોગો અનાવરણ કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢની અગ્રણી શૈક્ષણિક સંસ્થા નોબલ ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યૂશન્સને ગુજરાત સરકાર દ્વારા નોબલ યુનિવર્સિટી તરીકે સૈધ્દ્ધાંતિક માન્યતા મળતા યુનિવર્સિટીના લોગોનું અનાવરણ કરાયું હતું.
- Advertisement -
જૂનાગઢના ભેસાણ રોડ સ્થિત નોબલ ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યૂટ વર્ષ 2007 થી શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર રહી કાર્ય કરી રહી છે. સંસ્થા દ્વારા શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપવાની સાથે વિવિધ ક્ષેત્રમાં ઉપલબ્ધીઓ પણ મેળવી છે. તાજેતરમાં સંસ્થા અનેક મૂલ્યાંકનમાથી પસાર થઈ જરૂરી માપદંડો જેવા કે શિક્ષણ, સંચાલન, અને માળખાગત સુવિધા માં ઉચ્ચતમ માપદંડો સાથે ખરી ઉતરતા, ગુજરાત સરકાર દ્વારા તા.31 માર્ચ 2022 ના રોજ સંસ્થા ને સૈધ્દ્ધાંતિક રીતે નોબલ યુનિવર્સિટી તરીકે માન્યતા આપવામાં આવી છે. નોબલ યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે નવા સોપાન સિદ્ધ કરવાના હેતુની શરૂઆતના ભાગ રૂપે નોબલ યુનિવર્સિટીના ઓફિશિયલ લોગો અનાવરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી સમયમાં નોબલ યુનિવર્સિટી દ્વારા વિવિધ શૈક્ષણિક ક્ષેત્રો જેવા કે ડિપ્લોમા- ડિગ્રી એંજિનિયરિંગ, મેનેજમેંટ, ફાર્મસી, નર્સિંગ, હોમિયોપેથી, આયુર્વેદિક, બી. એસ. સી. – એમ. એસ. સી., વેટરનરી, કોમ્પુટર એપ્લિકેશન અને બી. એડ વગેરેમાં મહત્તમ ફાળો રહેશે. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ નિલેષભાઈ ધૂલેશિયા, ઉપપ્રમુખ ગિરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી વી. પી. ત્રિવેદી, કો-મેનેજિંગ ટ્રસ્ટી કે. ડી. પંડ્યા, ટ્ર્સ્ટી ડો. મનીષભાઈ ત્રિવેદી હાજર રહ્યાં હતાં.