ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યના રેશન કાર્ડ ધારકોને અનાજનો પુરવઠો ચાલુ રાખવો હોય તો 10 મે સુધી રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવી લેવા પુરવઠા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
રેશન કાર્ડ ધારકોને પુરવઠા વિભાગની ઝોનલ કચેરીઓ, પોસ્ટ ઓફિસ, રેશનિંગના દુકાનદારો અને માય રેશન નામની એપ્લિકેશનથી પણ ઈ-કેવાયસી કરાવી શકશે. જો કે મોટી સંખ્યામાં કાર્ડ પારકો બાકી હોવાથી આ સમય મર્યાદા લંબાવી આપવા માગ ઉઠી છે. પુરવઠા તંત્ર દ્વારા રેશનિંગના દુકાનદારોને પણ નિયત સમય મર્યાદા સુધી અનાજ મેળવતા તમામ ! એનએફએસએ (નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ) રેશનકાર્ડ ધારકોના પીડી પ્લસ દ્વારા ઈ કેવાયસી કરી લેવા જણાવ્યું છે. આ મુદત પછી જે સભ્યએ ઈ-કેવાયસી કરાવ્યું નહીં હોય તે રેશનિંગનું અનાજ મેળવવાને પાત્ર રહેશે નહીં તેવી તાકિદ પણ અંદરખાને દુકાનદારોને પુરવઠા તંત્ર દ્વારા આપવામાં આવી છે.