1965 અને 1971ના યુધ્ધમાં કચ્છના રણમાં ભારતીય સેનાના રાહબર બન્યાં હતાં રણછોડ પગી
ખાસ-ખબર સંવાદદાતા
‘એક માણસનું સૈન્ય’ નામથી રણછોડ પગી પર પાઠ રવજી ગબાની દ્વારા લખવામાં આવ્યો છે. પાઠયપુસ્તક મંડળ દ્વારા આ વર્ષે ધોરણ 7ના ગુજરાતી વિષયના પુસ્તકમાં સુધારો કરાતા આ પાઠ ઉમેરવામાં આવ્યો છે. પ્રથમવાર ગુજરાતના અભ્યાસક્રમમાં કચ્છના રણછોડ પગીનો ઉલ્લેખ થયો છે અને તેનો પાઠ ઉમેરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, બનાસકાંઠાના સરહદી વિસ્તારના રણછોડ રબારીએ ભારતીય સેનાને અનેક મદદ કરી હતી.દેશમાં અકમાત્ર નાગરિકના નામે ગુજરાતમાં ચેક પોસ્ટ છે જેનું નામ રણછોડદાસ પગી પોસ્ટ છે.
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1965 અને 1971ના યુદ્ધ દરમિયાન કચ્છના રણમાં ભારતીય સેના માટે ગાઈડની ભૂમિકા ભજવનાર જાંબાઝ રણછોડ પગીની વીરતાને બિરદાવી છે. શ્રી વડવાળા મંદિર દૂધરેજ ધામના મહંત કનીરામદાસજી મહારાજે લખેલા પત્રનો જવાબ આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, સાધારણ સંજોગોમાંથી આવતા અસાધારણ નાયકોના શૌર્યનું ઉચિત સન્માન થાય તે તેમની સરકારની પ્રાથમિકતા રહી છે.
રણછોડ પગી 1965 અને 1971ના યુદ્ધના એ ગુમનામ નાયકોમાના એક છે જેની આજની પેઢીને જાણકારી નથી. એમની પાસે એક ખાસ હુન્નર હતું જેના કારણે એમણે બંને યુદ્ધમાં અગત્યની ભૂમિકા ભજવી હતી. રણછોડ પગી કચ્છના રણમાં ઊંટના પગના નિશાન જોઇને જણાવી દેતા કે ઊંટ પર કેટલા લોકો સવાર છે, એટલું જ નહીં માણસના પગન નિશાન જોઈ એમના કદ કાઠી વિષે પણ તેઓ જાણકારી આપી શકતા હતા.
એમની આ વિલક્ષણ પ્રતિભાને કારણે એમણે ભારતીય સેના માટે યુદ્ધમાં ગાઈડની ભૂમિકા નિભાવી હતી અને દુશ્મનોની હિલચાલની જાણકારી આપતા રહેતા હતા.