રણબીર કપૂરે તેના અને આલિયા ભટ્ટના રિલેશન વિશે ખૂલીને વાત કરી હતી અને શેર કર્યું હતું કે બ્રહ્માસ્ત્ર ફિલ્મનો શિવ તેના જ પાત્રની જેમ ઈશા પર નિર્ભર છે,
બૉલીવુડ અભિનેતા રણબીર કપૂર આજકાલ તેમની પર્સનલ અને પ્રોફેનશનલ લાઈફને લઈને ઘણા ચર્ચમાં બની રહ્યા છે. અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ દિવસોમાં તેમની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ વન – શિવ’ ની સફળતાનો આનંદ માણી રહ્યા છે. ટૂંક સમયમાં બંને માતા-પિતા બનવા જઈ રહ્યા છે અને એવામાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટએ તેમની ફિલ્મ માટે સતત સમર્થન આપવા બદલ તેમના ચાહકોનો આભાર પણ માણ્યો હતો. હાલ જ એક ઇંટરવ્યૂમાં રણબીર કપૂરે તેના અને આલિયા ભટ્ટના રિલેશન વિશે ખૂલીને વાત કરી હતી અને શેર કર્યું હતું કે શિવ તેના જ પાત્રની જેમ ઈશા પર નિર્ભર છે, રણબીર પણ વાસ્તવિક જીવનમાં આલિયા પર નિર્ભર છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
હું આલિયા પર ખૂબ જ નિર્ભર છું
મીડિયા સાથેની વાતચીતમાં રણબીરે કહ્યું હતું કે, “મને ખૂબ ગર્વ છે કે હું એક સ્વતંત્ર વ્યક્તિ છું અને હું અલગ છું પણ હું આલિયા પર ખૂબ જ નિર્ભર છું. હું સવારે ઊઠીને બાથરૂમમાં નથી જતો કે ખાવાનું નથી ખાતો જયાં સુધી મને ખબર ન પડે કે તે ક્યાં છે. મારા માટે ખૂબ જ જરૂરી છે કે આલિયા મારી સાથે હોય. જણાવી દઈએ કે રણબીર અને આલિયા ‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પર મળ્યા હતા અને આ વર્ષની શરૂઆતમાં બંને એ લગ્ન કરી લીધા હતા.
View this post on Instagram
મારા પણ સારા અને ખરાબ દિવસો હોય છે
રણબીર કપૂરે શેર કર્યું હતું કે તેમના સંબંધોની તુલના શિવ અને ઈશાના કાલ્પનિક સંબંધો સાથે ન કરી શકાય. સાથે એમને એમ ઓન કહ્યું હતું કે, ‘દરેક લોકોની જેમ મારા પણ સારા અને ખરાબ દિવસો હોય છે પરંતુ પોતાને સારું બનાવવાની ચાહત હોવી જોઈએ.’ સાથે એમને એમ પણ કહ્યું કે સંબંધો નિભાવવા મુશ્કેલ છે અને તેના પર સતત કામ કરવાની જરૂર છે. એ જ સમયે આલિયાએ પણ એ સમયે કહ્યું હતું કે, “કોઈપણ સંબંધમાં થોડા સમય પછી, એક એવો સમય આવે છે જ્યારે તમે એકબીજાને પૂર્ણ કરો. મને લાગે છે કે અમારા સંબંધોની સૌથી સારી બાબત એ છે કે અમે અલગ અલગ જ સારા છીએ પણ અમે એક સાથે આવીએ ત્યારે ખૂબ જ સારા છીએ.”આલિયાએ એ પણઆ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે રણબીર તેના પર ખૂબ જ નિર્ભર છે અને તેના વિના કંઈ કરી શકતો નથી.