– 20 ડીસેમ્બર 2023 થી જ મહોત્સવ શરૂ કરી દેવાશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે 1લી જાન્યુઆરીએ રામમંદિર તૈયાર થઈ જવાની અને ખુલ્લુ મુકવાની જાહેરાત કર્યાના બીજા જ દિવસે મંદીર ટ્રસ્ટ દ્વારા એવુ જાહેર કરવામાં આવ્યુ છે કે રામમંદિરમાં ભગવાન રામની મુર્તિની પ્રતિષ્ઠા 14 મી જાન્યુઆરીએ કરવામાં આવશે.
- Advertisement -
શ્રીરામ જન્મભુમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપતરાયે જણાવ્યું હતું કે, 14 જાન્યુઆરી 2024 ના રોજ રામમંદિરમાં ભગવાનની મુર્તિનું સ્થાપન કરવામાં આવશે. તેઓએ જણાવ્યું હતું કે મંદિરના ગર્ભગૃહનું બાંધકામ-નિર્માણ ડીસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જવાની સંભાવના છે. ડીસેમ્બર 2023 થી જ રામમંદિર નિર્માણ ખુલ્લુ મુકાવાની ઉજવણી શરૂ કરી દેવામાં આવશે અને 14 મી જાન્યુઆરીના મકર સંક્રાતિ સુધી ચાલુ રહેશે.
તેઓએ કહ્યું કે, 14 મી જાન્યુઆરી 2024 ના દિવસે જ મંદિરમાં ભગવાન શ્રીરામની નવી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવશે. નવી પ્રતિમા 9 ફૂટ ઉંચાઈએ મુકવામાં આવશે.સુર્યના કિરણો પ્રતિમાના કપાળે પડે તેવી રીતે સ્થાપન કરવા માટે વિવિધ સંસ્થાઓનાં નિષ્ણાંતોની કમીટી પણ બનાવવામાં આવી છે.
અયોધ્યા રામમુર્તિનો વિવાદ દાયકાઓ સુધી ચાલ્યા બાદ સર્વોચ્ચ અદાલતમાં તેનો ઉકેલ આવ્યો હતો. અયોધ્યા ભગવાન રામનું જન્મસ્થળ હોવાના ચુકાદા બાદ ટ્રસ્ટ મારફત વિરાટ મંદિર નિર્માણનો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો હતો. ગૃહમંત્રી અમીત શાહે તે 1લી જાન્યુઆરી 2024 ના રોજ તૈયાર થઈ જવાનું જાહેર કર્યા બાદ ટ્રસ્ટ દ્વારા 14 મી જાન્યુઆરીની તારીખ જાહેર કરવામાં આવી હતી.
- Advertisement -