ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજુલાની કાન્હા વિશ્વ વિદ્યાલય ચર્ચામાં આવી છે. અહીં શાળાના ટ્રસ્ટીઓ દ્વારા સ્કૂલની માન્યતા મેળવવા માટે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યાની રજૂઆત જાગૃત નાગરીકે કરતા ચકચાર મચી જવા પામી છે. કાન્હા વિશ્વ વિદ્યાલય નિયમ મુજબની નહીં હોવાની રાજુલાના જાગૃત નાગરિક જગદીશભાઇ ઝાંખરા દ્વારા લેખીતમાં અમરેલી જીલ્લાના ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શિક્ષક અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. રાજુલાના ડુંગર રોડ ઉપર આવેલ કાન્હા વિશ્વ વિદ્યાલય શાળાની મંજુરી ખોટી રીતે લેવામાં આવી છે. તેમજ શાળા મંજુરી માટે સ્કુલ બિલ્ડિંગમા બેસવા લાયક સક્ષમ અધિકારીનું બીયુપી સર્ટિફિકેટ નથી. આ બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે તે જેતે સમયે રહેણાંક હેતુથી બનાવેલું હોય જેથી બિલ્ડીંગના રૂમો સરકારી નિયમો અનુસાર શાળાના ક્લાસ નહીં હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.
- Advertisement -
વધુમા જણાવેલ કે, આ શાળાની ફાયર સેફ્ટી સર્ટીફીકેટ કોઈપણ સુવિધા નહીં હોવાથી સરકારના ફાયર સેફ્ટીના અમલનો ભંગ થતો હોય તો કોઈ આગ લાગવાના અથવા તો બીજી કોઈપણ બનાવો બંને તો આનું જવાબદારી કોણ ? તેવો સવાલ ઉઠ્યો છે. અને સ્કૂલો બનાવવાની સરકારના નિયમ મુજબના ક્લાસરૂમ હોવા જોઈએ તે નિયમ અનુસાર નહીં હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.