ખાદ્યચીજોનું વેચાણ કરતાં
39 ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગની ચકાસણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ચોમાસાની ઋતુ શરૂ થતાંની સાથે જ રોગચાળો વકરી રહ્યો છે, હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી છે ત્યારે આ વકરતો રોગચાળો અટકાવવા ફૂડ વિભાગની ટીમ દ્વારા ખાદ્યચીજોનો વેપાર કરતાં ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરવામાં આવી હતી, તો બીજીબાજુ રાજુભાઈ ઢોસાવાળા ને રાજુભાઈ ઈડલીવાળાને ત્યાં વાસી મેંદુવડા, દાળવડા, બાંધેલો લોટ મળી આવતાં સ્થળ પર જ અખાદ્ય ચીજોનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યુબેલી ચેમ્બર ગ્રા.ફલોર શોપ નં. એલ-2, ઢેબર રોડ વનવે મહાત્મા ગાંધી મ્યુઝિયમ પાછળ આવેલા રાજુભાઈ ઢોસાવાળાની તપાસ કરતાં પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલો મેંદુવડા, દાળવડાનો લોટ 15 કિ.ગ્રા. તથા ચટણી 4 કિ.ગ્રા. કુલ મળીને 19 કિ.ગ્રા. જથ્થો અને જ્યુબેલી ચેમ્બર ગ્રા.ફલોર, ઢેબર રોડ વન-વે, મહાત્મા ગાંધી મ્યુઝિયમ પાછળ આવેલા રાજુભાઈ ઈડલીવાળાની તપાસ કરતાં પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલા મેંદુવડા, દાળવડા તથા બાંધેલો લોટનો 7 કિ.ગ્રા. જથ્થો વાસી અખાદ્ય મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા લાયસન્સ મેળવવા બાબતે આ બંનેને નોટીસ આપવામાં આવી હતી.
- Advertisement -
ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકીંગ દરમિયાન શહેરના સંત કબીર રોડ તથા કોઠારીયા ગામ રોલેક્ષ રોડ વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 37 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 28 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના તેમજ ખાદ્યચીજોના કુલ 39 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
ચકાસણી દરમિયાન જય માતાજી છોલે ભટુરે, ગજાનંદ સ્વીટ્સ, ગોકુલ ગાંટીયા, રવેચી હોટલ, ફેમસ વડાપાઉં, દેવાંગી ડેરી ફાર્મ, જગદીશ ગાંઠીયા, ક્રિષ્ના દાળપકવના, મયુર દાળપકવાન, ચામુંડા ડેરી એન્ડ ફરસાણ, બાપા સીતારામ દાળપકવાન, શિવશંકર દાળપકવાન, આકાશ દાળપકવાન, શિવમ દાળપકવાન, ઠાકરધણી વડાપાઉં, દર્શન દાબેલી, દિલખુશ દાબેલી, બાલાજી ઘુઘરા, બિગબોસ ચાઈનીઝ પંજાબી, રામ વડાપાઉં, ફૂડ બોક્સ, શિવ દાબેલી, મહાકાળી પાણીપુરી, બોમ્બે સ્ટાઈલ ભેળ, શ્યામ ગાંઠીયા, રજવાડી પાઉંભાજી, મુરલીધર સમોસા અને સુરતી ખાવસા સહિતના તમામને લાઈસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી તથા જય મંદિર કોલ્ડ્રિંક્સ, જય ઠાકર રોટરી શાક, પટેલ વિજય ફરસાણ, ક્રિષ્ના બેકરી, રાધેશ્યામ ડેરી ફાર્મ, રિધન વડાપાઉં, બી-2 ચાઈનીઝ પંજાબી, પટેલ કેન્ડી, ખોડલ પાણીપુરી, ધારા બેકરી એન્ડ કેક શોપ, રાજવી ગોલાની ચકાસણી કરવામાં આવી હતી તેમજ ઈડલી, સંભાર, ડુંગળી, ગાંઠીયા, સબ્જીના નમૂના લેવામાં આવ્યા હતા.