રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, જો નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) કેન્દ્રમાં ફરી સત્તામાં આવે છે તો તે સમગ્ર દેશમાં ‘વન નેશન-વન ઇલેક્શન’ સિસ્ટમ લાગુ કરશે.
લોકસભા ચૂંટણી વચ્ચે રક્ષામંત્રી રાજનાથસિંહનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, જો નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) કેન્દ્રમાં ફરી સત્તામાં આવે છે તો તે સમગ્ર દેશમાં ‘વન નેશન-વન ઇલેક્શન’ સિસ્ટમ લાગુ કરશે. કુડ્ડાપાહ જિલ્લાના જમ્માલામાદુગુ ખાતે ચૂંટણી રેલીને સંબોધતા તેમણે આંધ્ર પ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસ સરકારની ટીકા કરી અને આરોપ લગાવ્યો કે, તેના ભ્રષ્ટાચારને કારણે રાજ્ય 13.5 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.
- Advertisement -
વન નેશન વન ઇલેક્શન લાગુ કરીશું: રાજનાથ સિંહ
રક્ષામંત્રી રાજનાથસિંહે YSRCP પર નિશાન સાધતા કહ્યું કે, કાયદો અને વ્યવસ્થાની બગડતી સ્થિતિને કારણે લોકો શાસક પક્ષથી કંટાળી ગયા છે અને ખાતરી આપી છે કે જો આંધ્રપ્રદેશમાં NDA સત્તા પર આવશે તો રાજ્યને ‘ભ્રષ્ટાચાર’થી મુક્ત કરવામાં આવશે. ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે, આંધ્રપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની સાથે લોકસભાની ચૂંટણી પણ યોજાઈ રહી છે. અમારી પ્રતિબદ્ધતા એ છે કે, અમે આગામી પાંચ વર્ષમાં સમગ્ર દેશમાં વન નેશન વન ઇલેક્શન લાગુ કરીશું જેથી સમય અને શક્તિની બચત થાય.
Addressing a public meeting at Jammalamadugu in Kadpa (Aandhra Pradesh) https://t.co/w9N80VU1Pj
- Advertisement -
— Rajnath Singh (मोदी का परिवार) (@rajnathsingh) May 5, 2024
10 વર્ષ પછી તમે કોઈપણ બાળકને પૂછશો તો તે કહેશે કે કોંગ્રેસ પાર્ટી……
કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું હતું કે, પૃથ્વી પરથી ડાયનાસોર ગાયબ થઈ ગયા હતા તેવી જ રીતે સૌથી જૂની પાર્ટી દેશના રાજકીય માહોલમાંથી અદૃશ્ય થઈ જશે. 10 વર્ષ પછી તમે કોઈપણ બાળકને પૂછશો તો તે કહેશે કે કોંગ્રેસ પાર્ટી શું છે. પાકિસ્તાનમાં રાહુલ ગાંધીના વખાણ થાય છે તેવો આક્ષેપ કરતાં તેમણે કહ્યું કે, ગાંધી પરિવારને ભારતમાં રાજકારણ કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી. રાજનાથ સિંહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ જોકે પૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવને અવગણ્યા પરંતુ NDA એ જ તેમને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કર્યો હતો. તેમણે કહ્યું કે, મોદી વડાપ્રધાન બન્યા બાદ ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે.
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સાડા ચાર કલાક રોકાઈ ગયું હતું……
રાજનાથ સિંહે કહ્યું કે, મોદીના નેતૃત્વમાં દેશના 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે મોદીના કારણે જ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સાડા ચાર કલાક રોકાઈ ગયું હતું જેથી ભારત પોતાના 22,000 નાગરિકોને બહાર કાઢી શક્યું. ભાજપના નેતાઓએ કહ્યું કે, જ્યારે કોંગ્રેસ અગાઉ સત્તામાં હતી ત્યારે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો હતા, જ્યારે અટલ બિહારી વાજપેયી કે મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારો પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ લગાવવામાં આવ્યો ન હતો. તેમણે કહ્યું કે ભાજપે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ, કલમ 370 હટાવવા અને ટ્રિપલ તલાક નાબૂદ જેવા વચનો પૂરા કર્યા.