By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ ગેરકાયદે વસાહતીઓનો ‘દેશ નિકાલ’ ઝડપી બનાવ્યો : અઠવાડિયે 850 લોકો ડીપોર્ટ
    10 hours ago
    ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં 21 આતંકવાદીઓને દફન કરાયા હોવાના પુરાવા સોશિયલ મીડિયામાં સામે આવ્યા
    10 hours ago
    અમેરિકામાં આયાત થતા સ્ટીલ પર 50% ટેરિફના અમલથી અમેરિકામાં મોંઘવારી વધવાની શક્યતા
    10 hours ago
    ચીનમાં ક્રિપ્ટો કરન્સી સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો, હવેથી ગેરકાનુની ગણાશે અને દંડ પણ થશે
    13 hours ago
    KILL the BILL: એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના ‘બિગ બ્યુટીફુલ બિલ’ સામે વિરોદ્ધ
    14 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    USમાં 12 દેશના નાગરિકોને નો-એન્ટ્રી વધુ 7 દેશ પર આંશિક પ્રતિબંધ લદાયો
    9 hours ago
    જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના મહાભિયાનનો માર્ચ 2027થી આરંભ
    10 hours ago
    આ ફક્ત નાસભાગ નથી, આપસી ઝઘડાના કારણે સરકાર દ્વારા પેદા કરવામાં આવેલી દુર્ઘટના: ભાજપ
    13 hours ago
    પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હી નિવાસસ્થાને સિંદૂરનો છોડ રોપ્યો
    13 hours ago
    સિક્કિમ સહિત સાત પૂર્વોત્તર રાજ્યોમાં ભૂસ્ખલન કારણે મૃત્યુઆંક 50 થયો
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    13 hours ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    15 hours ago
    આરસીબીએ પહેલીવાર આઈપીએલ ટ્રોફી જીતી લેતા બેંગલુરુમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો
    2 days ago
    ભાવનાત્મક દ્રશ્યો! IPL 2025 ફાઇનલમાં PBKSની હાર બાદ પ્રીતિ ઝિન્ટા ઉદાસ
    2 days ago
    RCBની જીતની ઉજવણી કરતાં વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ભાવુક પોસ્ટ શેર કરી
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    13 hours ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    2 days ago
    મિસ વર્લ્ડ 2025નો તાજ પોતાના સરે કરનારી ઓપલ સુચાતા હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરશે
    3 days ago
    શાહરૂખ ખાનનો ‘કિંગ’ લુક વાઇરલ થયો, ફૂલ સ્વેગમાં દેખાયો SRK
    4 days ago
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    4 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    7 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    1 week ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના બંન્ને એરપોર્ટનો કબજો SPGના હવાલે: એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન તેમજ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી આજે આવશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટના બંન્ને એરપોર્ટનો કબજો SPGના હવાલે: એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન તેમજ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી આજે આવશે
ખાસ-ખબરગુજરાતરાજકોટ

રાજકોટના બંન્ને એરપોર્ટનો કબજો SPGના હવાલે: એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન તેમજ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી આજે આવશે

Khaskhabar Editor
Last updated: 2023/07/26 at 12:01 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપના ડીજી સહિતના બાવન અધિકારીઓ રાજકોટમાં: એનએસજી કમાન્ડોની ટુકડીઓ પણ આવી પહોંચી

અત્યાર સુધીમાં પોલીસ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ચારેક વખત કરાયેલું રિહર્સલ: ‘ફાઈનલ’ રિહર્સલ આજે કરાશે: તૈયારીઓને અપાઈ રહેલો આખરી ઓપ

- Advertisement -

રાજકોટ જ નહીં બલ્કે આખા સૌરાષ્ટ્ર માટે ઈતિહાસ રચાવાની ઘડીઓ ગણાઈ રહી છે. ગુરૂવારે બપોરે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ‘રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ’નું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે જેને લઈને તંત્ર દ્વારા અંતિમ તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે. બીજી બાજુ વડાપ્રધાનના આગમનને હવે બે દિવસ જેટલો જ સમય બાકી હોવાથી રાજકોટના જૂના અને નવા એમ બન્ને એરપોર્ટનો કબજો સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી) દ્વારા લઈ લેવામાં આવ્યો છે.

આ સાથે જ તેની સાથે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી)ના કમાન્ડો રાજકોટ આવી પહોંચ્યા છે અને ટોચની બન્ને સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ-કર્મચારીઓ વીઆઈપીઓની સુરક્ષા માટે તૈનાત થઈ ચૂક્યા છે. બીજી બાજુ વડાપ્રધાનને એરપોર્ટથી રેસકોર્સ સભા સ્થળ સુધી પહોંચવા માટેની સ્પેશ્યલ કારનો કાફલો આવતીકાલે જામનગરથી રાજકોટ આવી પહોંચનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગામી રાજકોટ મુલાકાત દરમ્યાન આયોજિત થનાર જાહેરસભાના કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ ત્યાં થઈ રહેલ કામગીરી તેમજ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું. કાર્યક્રમના સુચારુ આયોજન અંગે જરૂરી સૂચનાઓ આપી. pic.twitter.com/quOmCAJhGZ

- Advertisement -

— Bhupendra Patel (@Bhupendrapbjp) July 22, 2023

સામાન્ય રીતે વડાપ્રધાન જે શહેરમાં જતા હોય તેના બે દિવસ અગાઉ ત્યાં એસપીજી અને એનએસજીની ટીમો તૈનાત થઈ જતી હોય છે એવી જ રીતે રાજકોટના નવા એરપોર્ટ અને જૂના એરપોર્ટ એમ બન્નેનો કબજો તેમના હાથમાં સોંપી દેવામાં આવ્યો છે. એનએસજીના ડીજી સહિતના બાવન અધિકારીઓ રાજકોટમાં વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સંભાળશે. આ ઉપરાંત એનએસજી કમાન્ડો પણ તેમની સાથે તૈનાત રહેશે. વડાપ્રધાનની કારનો કાફલો દિલ્હીથી જામનગર અને જામનગરથી વિમાન મારફતે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પહોંચશે.

જાણવા મળતી વિગતો પ્રમાણે વડાપ્રધાનનું વિમાન રાજકોટ એરપોર્ટ ઉપર લેન્ડ કરે અને તેમના હસ્તે એરપોર્ટનું લોકાર્પણ થઈ જાય ત્યારપછી જૂના એરપોર્ટ સુધી પહોંચવા માટે હેલિકોપ્ટરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે રાજકોટમાં અત્યારે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે જે ગુરૂવાર સુધી આવી રીતે જ પડ્યે રાખે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને જો હેલિકોપ્ટરની ઉડાન શક્ય ન બને તો વડાપ્રધાન જે પ્લેનમાં દિલ્હીથી રાજકોટ આવ્યા હશે તે જ પ્લેન જૂના એરપોર્ટ ઉપર પહોંચશે. આ બન્ને વસ્તુ શક્ય ન બને તો પછી કાર મારફતે વડાપ્રધાનને રાજકોટ સુધી લાવવાની વ્યવસ્થા કરવા માટેની તૈયારીઓ ચાલી રહ્યાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે તા.27 જુલાઈના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (ફેઝ-1), રાજકોટ ખાતે વિવિધ જનસુવિધા કાર્યો તેમજ સૌની યોજના લિંક-3 ના પેકેજ 8 અને 9 ના થશે લોકાર્પણ. સૌરાષ્ટ્રવાસીઓને મળશે વિકાસની… pic.twitter.com/rbaXS3m3jV

— CMO Gujarat (@CMOGuj) July 24, 2023

બીજી બાજુ વડાપ્રધાન કક્ષાના મહાનુભાવ રાજકોટ આવી રહ્યા હોય તેમની સુરક્ષામાં કોઈ જ પ્રકારની કચાશ ન રહી જાય તે માટે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે ચારેક વખત રિહર્સલ કરી લેવામાં આવ્યું છે જ્યારે ફાઈનલ રિહર્સલ આજે સાંજે અથવા આવતીકાલે એસપીજી-એનએસજીના અધિકારીઓની હાજરીમાં કરવામાં આવશે.બીજી બાજુ ટોચની બન્ને સુરક્ષા એજન્સીના અધિકારીઓ રાજકોટ આવી પહોંચ્યા હોય તેમણે વડાપ્રધાનના સમગ્ર રૂટ ઉપરાંત શહેરના અમુક વિસ્તારોનું પણ નિરીક્ષણ કર્યું હતું. સૌરાષ્ટ્રનું પહેલું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ રાજકોટમાં નિર્માણ પામ્યું છે ત્યારે તેને સૌરાષ્ટ્ર બેઈઝ થીમ ઉપર શણગારવાની કવાયત પણ ઓથોરિટી દ્વારા ચાલી રહી છે. એકંદરે તૈયારીઓને લઈને અત્યારે ઓથોરિટી સહિતનું તંત્ર ઉંધા માથે થઈ ગયાનું ચિત્ર ઉપસ્થિત થયું છે.

બંદોબસ્તમાં તૈનાત તમામ પોલીસ જવાનો બોડીવૉર્ન કેમેરા સહિતના સાધનોથી રહેશે સજ્જ
ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ રેસકોર્સમાં જાહેરસભાને સંબોધિત કરવાના છે ત્યારે તેને લઈને પોલીસ બંદોબસ્તની ફાળવણી કરી દેવામાં આવી છે. ખાસ કરીને વડાપ્રધાનના બંદોબસ્તમાં તૈનાત પોલીસ જવાનો બોડીવૉર્ન કેમેરા, સીસીટીવી, બાયનોક્યુલર તેમજ એચએચએમડી, ડીએફએમડી, વરુણ, વ્રજ, બેગેજ સ્કેનર સહિતના આધુનિક ઉપકરણોથી સજ્જ રહેનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આજથી બે દિવસ સુધી રાજકોટના એક પણ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુરૂવારે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવા રાજકોટ આવી રહ્યા છે ત્યારે તેમની સુરક્ષાને લઈને જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી બાજુ કોઈ અનિચ્છનીય બનાવ આકાર ન લઈ જાય તે માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા આજથી બે દિવસ સુધી શહેરના એક પણ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. ડ્રોન ઉપરાંત ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ તેમજ માનવ સંચાલિત માઈક્રો લાઈટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર, પેરા મોટર, હોટ એર બલુન, પેરા જમ્પીંગ સહિતની પ્રવૃત્તિ ચલાવવાની કે કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી ૨૭ જુલાઈએ રાજકોટ નજીક નિર્માણ થયેલા અદ્યતન હિરાસર ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરનાર છે. આ કાર્યક્રમના આયોજન સંદર્ભમાં જિલ્લા વહીવટીતંત્ર અને એરપોર્ટ ઓથોરિટી તેમજ અન્ય વિભાગોની તૈયારીઓની સમીક્ષા રાજકોટ ખાતે ઉચ્ચસ્તરીય… pic.twitter.com/f80kg38uIO

— Bhupendra Patel (@Bhupendrapbjp) July 22, 2023

કાલથી એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન સંજીવ કુમાર રાજકોટમાં: કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી પણ કાલે જ આવી જાય તેવી શક્યતા
ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન થાય તેના પહેલાં આવતીકાલથી એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (એએઆઈ)ના ચેરમેન સંજીવ કુમાર સહિતના અધિકારીઓ રાજકોટ આવી પહોંચશે અને તૈયારીઓને ફાઈનલ ટચ આપશે. આ ઉપરાંત કાલે જ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના મંત્રીઓ પણ રાજકોટ આવી પહોંચે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.

ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સીઆઈએસએફનો 240 ઉપરાંત એરપોર્ટનો 150થી વધુનો સ્ટાફ રહેશે તૈનાત
જાણવા મળેલી વિગતો પ્રમાણે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થઈ ગયા બાદ ત્યાં સીઆઈએસએફના 240 જેટલા અધિકારીઓ-કર્મચારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત એરપોર્ટનો 100 જેટલો સ્ટાફ ઉપરાંત 50થી વધુ કોન્ટ્રાક્ટ બેઈઝના કર્મીઓ ફરજ બજાવશે. આ તમામ માટે ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી પહોંચવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

You Might Also Like

વડોદરા પાસે 955 વર્ષ દેશનું સૌથી જૂનું હેરિટેજ વૃક્ષ બાઓબાબ

7 વર્ષથી ગુજરાતનો વન વિસ્તાર સ્થિર, માત્ર 11% હરિયાળું આવરણ

રૈયા ગામની કરોડોની જમીન પચાવી પાડવાનો મહિલા સહિતે ઘડયો પ્લાન

રાજકોટના મવડી વિસ્તારમાં 40 વર્ષ જૂનું મકાન થયું ધરાશાયી

રાજુલા: કાન્હા વિશ્વ વિદ્યાલયના સંચાલકોએ શાળાની માન્યતા માટે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોવાની રજૂઆત કરતા ખળભળાટ

TAGGED: AIRPORTAUTHORITYCHAIRMAN, hirasarairport, JyotiradityaScindia, narendramodi, PRIMEMINISTER, Rajkot, SANJIVKUMAR, SPG, UNIONAVIATIONMINISTER
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષનો સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અધીર રંજન ચૌધરીએ દરખાસ્ત રજુ કરી
Next Article રાજકોટ હિરાસર એરપોર્ટ: 1405 કરોડના ખર્ચે તૈયાર થયેલું ગુજરાતનું પ્રથમ ગ્રીનફીલ્ડ એરપોર્ટ, જાણો તેની વિશેષતાઓ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વડોદરા

વડોદરા પાસે 955 વર્ષ દેશનું સૌથી જૂનું હેરિટેજ વૃક્ષ બાઓબાબ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
7 વર્ષથી ગુજરાતનો વન વિસ્તાર સ્થિર, માત્ર 11% હરિયાળું આવરણ
રૈયા ગામની કરોડોની જમીન પચાવી પાડવાનો મહિલા સહિતે ઘડયો પ્લાન
રાજકોટના મવડી વિસ્તારમાં 40 વર્ષ જૂનું મકાન થયું ધરાશાયી
રાજુલા: કાન્હા વિશ્વ વિદ્યાલયના સંચાલકોએ શાળાની માન્યતા માટે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોવાની રજૂઆત કરતા ખળભળાટ
FRC ચેરમેનની તાત્કાલિક નિમણુંક કરવા NSUIની જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

વડોદરા

વડોદરા પાસે 955 વર્ષ દેશનું સૌથી જૂનું હેરિટેજ વૃક્ષ બાઓબાબ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ગુજરાત

7 વર્ષથી ગુજરાતનો વન વિસ્તાર સ્થિર, માત્ર 11% હરિયાળું આવરણ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

રૈયા ગામની કરોડોની જમીન પચાવી પાડવાનો મહિલા સહિતે ઘડયો પ્લાન

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?