By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    70 લાખ લોકોનું પ્રદર્શન
    4 days ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    5 days ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    5 days ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    5 days ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    5 days ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    5 days ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    5 days ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    6 days ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    5 days ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    7 days ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    7 days ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    7 days ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    5 days ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    7 days ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    1 week ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    1 week ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 days ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 days ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    6 days ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    6 days ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 days ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    1 week ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    2 weeks ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    2 weeks ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના બંન્ને એરપોર્ટનો કબજો SPGના હવાલે: એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન તેમજ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી આજે આવશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટના બંન્ને એરપોર્ટનો કબજો SPGના હવાલે: એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન તેમજ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી આજે આવશે
ખાસ-ખબરગુજરાતરાજકોટ

રાજકોટના બંન્ને એરપોર્ટનો કબજો SPGના હવાલે: એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન તેમજ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી આજે આવશે

Khaskhabar Editor
Last updated: 2023/07/26 at 12:01 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપના ડીજી સહિતના બાવન અધિકારીઓ રાજકોટમાં: એનએસજી કમાન્ડોની ટુકડીઓ પણ આવી પહોંચી

અત્યાર સુધીમાં પોલીસ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ચારેક વખત કરાયેલું રિહર્સલ: ‘ફાઈનલ’ રિહર્સલ આજે કરાશે: તૈયારીઓને અપાઈ રહેલો આખરી ઓપ

- Advertisement -

રાજકોટ જ નહીં બલ્કે આખા સૌરાષ્ટ્ર માટે ઈતિહાસ રચાવાની ઘડીઓ ગણાઈ રહી છે. ગુરૂવારે બપોરે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ‘રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ’નું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે જેને લઈને તંત્ર દ્વારા અંતિમ તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે. બીજી બાજુ વડાપ્રધાનના આગમનને હવે બે દિવસ જેટલો જ સમય બાકી હોવાથી રાજકોટના જૂના અને નવા એમ બન્ને એરપોર્ટનો કબજો સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી) દ્વારા લઈ લેવામાં આવ્યો છે.

આ સાથે જ તેની સાથે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી)ના કમાન્ડો રાજકોટ આવી પહોંચ્યા છે અને ટોચની બન્ને સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ-કર્મચારીઓ વીઆઈપીઓની સુરક્ષા માટે તૈનાત થઈ ચૂક્યા છે. બીજી બાજુ વડાપ્રધાનને એરપોર્ટથી રેસકોર્સ સભા સ્થળ સુધી પહોંચવા માટેની સ્પેશ્યલ કારનો કાફલો આવતીકાલે જામનગરથી રાજકોટ આવી પહોંચનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગામી રાજકોટ મુલાકાત દરમ્યાન આયોજિત થનાર જાહેરસભાના કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ ત્યાં થઈ રહેલ કામગીરી તેમજ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું. કાર્યક્રમના સુચારુ આયોજન અંગે જરૂરી સૂચનાઓ આપી. pic.twitter.com/quOmCAJhGZ

- Advertisement -

— Bhupendra Patel (@Bhupendrapbjp) July 22, 2023

સામાન્ય રીતે વડાપ્રધાન જે શહેરમાં જતા હોય તેના બે દિવસ અગાઉ ત્યાં એસપીજી અને એનએસજીની ટીમો તૈનાત થઈ જતી હોય છે એવી જ રીતે રાજકોટના નવા એરપોર્ટ અને જૂના એરપોર્ટ એમ બન્નેનો કબજો તેમના હાથમાં સોંપી દેવામાં આવ્યો છે. એનએસજીના ડીજી સહિતના બાવન અધિકારીઓ રાજકોટમાં વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સંભાળશે. આ ઉપરાંત એનએસજી કમાન્ડો પણ તેમની સાથે તૈનાત રહેશે. વડાપ્રધાનની કારનો કાફલો દિલ્હીથી જામનગર અને જામનગરથી વિમાન મારફતે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પહોંચશે.

જાણવા મળતી વિગતો પ્રમાણે વડાપ્રધાનનું વિમાન રાજકોટ એરપોર્ટ ઉપર લેન્ડ કરે અને તેમના હસ્તે એરપોર્ટનું લોકાર્પણ થઈ જાય ત્યારપછી જૂના એરપોર્ટ સુધી પહોંચવા માટે હેલિકોપ્ટરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે રાજકોટમાં અત્યારે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે જે ગુરૂવાર સુધી આવી રીતે જ પડ્યે રાખે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને જો હેલિકોપ્ટરની ઉડાન શક્ય ન બને તો વડાપ્રધાન જે પ્લેનમાં દિલ્હીથી રાજકોટ આવ્યા હશે તે જ પ્લેન જૂના એરપોર્ટ ઉપર પહોંચશે. આ બન્ને વસ્તુ શક્ય ન બને તો પછી કાર મારફતે વડાપ્રધાનને રાજકોટ સુધી લાવવાની વ્યવસ્થા કરવા માટેની તૈયારીઓ ચાલી રહ્યાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે તા.27 જુલાઈના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (ફેઝ-1), રાજકોટ ખાતે વિવિધ જનસુવિધા કાર્યો તેમજ સૌની યોજના લિંક-3 ના પેકેજ 8 અને 9 ના થશે લોકાર્પણ. સૌરાષ્ટ્રવાસીઓને મળશે વિકાસની… pic.twitter.com/rbaXS3m3jV

— CMO Gujarat (@CMOGuj) July 24, 2023

બીજી બાજુ વડાપ્રધાન કક્ષાના મહાનુભાવ રાજકોટ આવી રહ્યા હોય તેમની સુરક્ષામાં કોઈ જ પ્રકારની કચાશ ન રહી જાય તે માટે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે ચારેક વખત રિહર્સલ કરી લેવામાં આવ્યું છે જ્યારે ફાઈનલ રિહર્સલ આજે સાંજે અથવા આવતીકાલે એસપીજી-એનએસજીના અધિકારીઓની હાજરીમાં કરવામાં આવશે.બીજી બાજુ ટોચની બન્ને સુરક્ષા એજન્સીના અધિકારીઓ રાજકોટ આવી પહોંચ્યા હોય તેમણે વડાપ્રધાનના સમગ્ર રૂટ ઉપરાંત શહેરના અમુક વિસ્તારોનું પણ નિરીક્ષણ કર્યું હતું. સૌરાષ્ટ્રનું પહેલું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ રાજકોટમાં નિર્માણ પામ્યું છે ત્યારે તેને સૌરાષ્ટ્ર બેઈઝ થીમ ઉપર શણગારવાની કવાયત પણ ઓથોરિટી દ્વારા ચાલી રહી છે. એકંદરે તૈયારીઓને લઈને અત્યારે ઓથોરિટી સહિતનું તંત્ર ઉંધા માથે થઈ ગયાનું ચિત્ર ઉપસ્થિત થયું છે.

બંદોબસ્તમાં તૈનાત તમામ પોલીસ જવાનો બોડીવૉર્ન કેમેરા સહિતના સાધનોથી રહેશે સજ્જ
ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ રેસકોર્સમાં જાહેરસભાને સંબોધિત કરવાના છે ત્યારે તેને લઈને પોલીસ બંદોબસ્તની ફાળવણી કરી દેવામાં આવી છે. ખાસ કરીને વડાપ્રધાનના બંદોબસ્તમાં તૈનાત પોલીસ જવાનો બોડીવૉર્ન કેમેરા, સીસીટીવી, બાયનોક્યુલર તેમજ એચએચએમડી, ડીએફએમડી, વરુણ, વ્રજ, બેગેજ સ્કેનર સહિતના આધુનિક ઉપકરણોથી સજ્જ રહેનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આજથી બે દિવસ સુધી રાજકોટના એક પણ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુરૂવારે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવા રાજકોટ આવી રહ્યા છે ત્યારે તેમની સુરક્ષાને લઈને જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી બાજુ કોઈ અનિચ્છનીય બનાવ આકાર ન લઈ જાય તે માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા આજથી બે દિવસ સુધી શહેરના એક પણ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. ડ્રોન ઉપરાંત ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ તેમજ માનવ સંચાલિત માઈક્રો લાઈટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર, પેરા મોટર, હોટ એર બલુન, પેરા જમ્પીંગ સહિતની પ્રવૃત્તિ ચલાવવાની કે કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી ૨૭ જુલાઈએ રાજકોટ નજીક નિર્માણ થયેલા અદ્યતન હિરાસર ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરનાર છે. આ કાર્યક્રમના આયોજન સંદર્ભમાં જિલ્લા વહીવટીતંત્ર અને એરપોર્ટ ઓથોરિટી તેમજ અન્ય વિભાગોની તૈયારીઓની સમીક્ષા રાજકોટ ખાતે ઉચ્ચસ્તરીય… pic.twitter.com/f80kg38uIO

— Bhupendra Patel (@Bhupendrapbjp) July 22, 2023

કાલથી એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન સંજીવ કુમાર રાજકોટમાં: કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી પણ કાલે જ આવી જાય તેવી શક્યતા
ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન થાય તેના પહેલાં આવતીકાલથી એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (એએઆઈ)ના ચેરમેન સંજીવ કુમાર સહિતના અધિકારીઓ રાજકોટ આવી પહોંચશે અને તૈયારીઓને ફાઈનલ ટચ આપશે. આ ઉપરાંત કાલે જ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના મંત્રીઓ પણ રાજકોટ આવી પહોંચે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.

ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સીઆઈએસએફનો 240 ઉપરાંત એરપોર્ટનો 150થી વધુનો સ્ટાફ રહેશે તૈનાત
જાણવા મળેલી વિગતો પ્રમાણે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થઈ ગયા બાદ ત્યાં સીઆઈએસએફના 240 જેટલા અધિકારીઓ-કર્મચારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત એરપોર્ટનો 100 જેટલો સ્ટાફ ઉપરાંત 50થી વધુ કોન્ટ્રાક્ટ બેઈઝના કર્મીઓ ફરજ બજાવશે. આ તમામ માટે ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી પહોંચવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

You Might Also Like

દિવાળીની પૂજામાં કયા કપડાં ન પહેરવા જોઈએ? માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના નિયમો જાણો

ST વિભાગના તમામ કર્મચારીઓને ‘તહેવાર પેશગી એડવાન્સ’ તરીકે રૂ. 10,000 અપાશે

દિવાળી મિની વેકેશનમાં રાજકોટ અને તેની આસપાસ ફરવાલાયક સ્થળો…

રાજકોટનાં યુવાન કર્મ ભટ્ટએ ચિંધ્યો નવો રાહ સગા-સંબંધી, મિત્રોનાં નામે ગરીબ બાળકોને દિવાળી સેલિબ્રેશનની કીટ આપી!

રાજકોટમાં 5 હંગામી ફાયર સ્ટેશન ઊભા કરાયા, 445 કર્મચારી નવા વર્ષની સવાર સુધી ખડેપગે રહેશે

TAGGED: AIRPORTAUTHORITYCHAIRMAN, hirasarairport, JyotiradityaScindia, narendramodi, PRIMEMINISTER, Rajkot, SANJIVKUMAR, SPG, UNIONAVIATIONMINISTER
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષનો સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અધીર રંજન ચૌધરીએ દરખાસ્ત રજુ કરી
Next Article રાજકોટ હિરાસર એરપોર્ટ: 1405 કરોડના ખર્ચે તૈયાર થયેલું ગુજરાતનું પ્રથમ ગ્રીનફીલ્ડ એરપોર્ટ, જાણો તેની વિશેષતાઓ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ
ચોટીલા માર્કેટિંગ યાર્ડનું નામ બદલાયું: હવે ‘સ્વર્ગસ્થ ભરતભાઈ ધાધલ માર્કેટિંગ યાર્ડ’ તરીકે ઓળખાશે
ધ્રાંગધ્રાના સોલડી ગામે ગૌવંશ પર હુમલો કરનાર વિરુઘ્ધ ગુનો નોંધ્યો
રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાંથી બન્યું ‘રંગીન’
કાલાવડ રોડ પર આવેલા ‘પ્રેમવતી’ રેસ્ટોરન્ટના પંજાબી શાકમાંથી ઈયળો નીકળતાં ગ્રાહકોનો દેકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

દિવાળીની પૂજામાં કયા કપડાં ન પહેરવા જોઈએ? માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના નિયમો જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાજકોટ

ST વિભાગના તમામ કર્મચારીઓને ‘તહેવાર પેશગી એડવાન્સ’ તરીકે રૂ. 10,000 અપાશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાજકોટ

દિવાળી મિની વેકેશનમાં રાજકોટ અને તેની આસપાસ ફરવાલાયક સ્થળો…

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?