કલેકટર પ્રભવ જોશીની ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના MD તરીકે બદલી કરવામાં આવી
શહેરી વિકાસના અગ્ર સચિવ અશ્વિનીકુમારની રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગમાં બદલી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં ફરી એકવાર IAS અધિકારીની બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો છે. રાજકોટ કલેકટર, જૂનાગઢ મ્યુ. કમિશનર સહિત 9 IAS ધિકારીની બદલી કરવામાં આવી છે. જ્યારે 4 ઈંઅજને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
- Advertisement -
શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગમાં અગ્ર સચિવ તરીકે કાર્યરત અશ્વિનીકુમારને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગમાં બદલી કરવામાં આવી છે. અશ્વિનીકુમાર પાસે લેજિસ્લેટિવ એન્ડ પાર્લામેન્ટરી અફેર્સ વિભાગનો ચાર્જ પણ યથાવત રહેશે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગમાં કાર્યરત એમ.થેન્નારસનની શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી કરવામાં આવી છે. MGVCLના MD તરીકે કાર્યરત હતા જેઓની જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. અન્ન નાગરિક અને પુરવઠા વિભાગના અગ્ર સચિવ રમેશ ચંદ મીણાને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના અગ્ર સચિવ તરીકેનો વધારાનો ચાર્જ સોંપાયો છે. નાણા વિભાગ(ઈકોનોમિક અફેર્સ)ના સચિવ આરંતી કંવરને નઆમા વિભાગના (એક્સપેન્ડીચર)નો વધારાનો ચાર્જ સોંપાયો છે. સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ એન્ડ ઈન્સપેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન જેનુ દેવનને MGVCLના MDનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ડાંગ આહવા ટ્રાઈબલ એરિયા સબ પ્લાનના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર પાટીલ આનંદ અશોકને ડાંગ-આહવાના ઉઉઘ તરીકેનો વધારાનો ચાર્જ સોંપાયો છે.
મૂળ રાજસ્થાનના વતની ડૉ. ઓમ પ્રકાશ રાજકોટમાં આસિ. કલેકટરની જવાબદારી નિભાવી ચૂક્યા છે
મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની ડો.ઓમ પ્રકાશનો જન્મ તા.1-4-1985ના રોજ થયો હતો. ડો.ઓમ પ્રકાશ ખઇઇજનો અભ્યાસ કરેલો છે, ઉપરાંત તેઓ પબ્લિક મેનેજમેન્ટ (જાહેર વહીવટનો 2 વર્ષનો અભ્યાસક્રમ)માં અનુસ્નાતક છે તેમજ જન આરોગ્યમાં પીજી ડિસ્લોમા થયેલા છે. ડો.ઓમ પ્રકાશ રાજસ્થાની, હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષાના જાણકાર છે. શિસ્તના આગ્રહી હોવાની સાથે સાથે તેઓ મિલનસાર સ્વભાવના હોઈ કર્મચારીઓ સહિતમાં લોકપ્રિય બની રહે છે. તેઓની કામ પ્રત્યેની કોઠાસૂઝ અને તટસ્થપણે નિર્ણય લેવાની ક્ષમતા પ્રશંસનિય છે. આઈએએસ તરીકે ડો.ઓમ પ્રકાશે આસીસ્ટન્ટ કલેક્ટર તરીકે ગીર સોમનાથ જિલ્લામાં ફરજ બજાવી હતી, સફળતાપૂર્વક આ જવાબદારી નિભાવ્યા બાદ રાજકોટ આસીસ્ટન્ટ કલેક્ટર તરીકેની જવાબદારી પણ સૂપેરે નિભાવી હતી. ડિસેમ્બર 2019માં તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર (હેલ્થ એન્ડ હોસ્પિટલ) તરીકે એપોઈન્ટ કરાયા હતા. જ્યાં સમગ્ર કોરોનાકાળ દરમિયાન અમદાવાદ શહેરના કોવિડના ઈન્ચાર્જ તરીકે ખૂબ જ સારી કામગીરી તેઓએ કરી છે. પોતે ડોક્ટર હોવાથી કોરોનાકાળ દરમિયાન સમગ્ર વિશ્વમાં કોરોનાની સ્થિતિ અને કોરોના વાયરસના બદલાતા સ્ટ્રેઈન વગેરેનો સતત અભ્યાસ કરીને તે મુજબ અમદાવાદમાં પણ જરૂરી તકેદારીનાં પગલાં લેવામાં અગ્રેસર રહ્યા છે. ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ, ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન પણ તેમની સુઝબુઝનું પરિણામ છે. કઠીનમાં કઠીન પરિસ્થિતિમાં પણ હકારાત્મક અભિગમ સાથે યોગ્ય ઉકેલ લાવવાની તેમની ક્ષમતાને લઈને કોરોનાકાળમાં ખાનગી હોસ્પિટલો સાથે પણ સારી રીતે તાલમેલ સાધી વધુમાં વધુ દર્દીઓને સારી સારવાર મળી રહે તેવી કામગીરી સૂપેરે નિભાવી ચૂક્યા છે.