ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં 135 લોકોનો ભોગ લેનાર ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા અચાનક જ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે રાજકોટના સરકારી વકીલ એસ. કે. વોરાની નિમણુંક કરવામાં આવતા મોરબીના વકીલ આલમમાં આશ્ચર્ય ફેલાયું છે.મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોના મૃત્યુ થવા મામલે મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલતા કેસમાં રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે રાજકોટ જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાને સ્પેશિયલ પી.પી. તરીકે નિમણુંક આપવામાં આવી છે. 135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર આ ગંભીર દુર્ઘટનામાં હાલના મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો રીટની સુનાવણી ચાલુ છે તેવા સમયે જ મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં દાખલ થયેલ કેસમાં હવે તમામ કાર્યવાહી સ્પેશિયલ પી. પી. મારફતે કરાશે.
મોરબી ઝૂલતાં પુલ દુર્ઘટના કેસમાં રાજકોટના સરકારી વકીલની સ્પેશિયલ પીપી તરીકે નિમણૂંક
