બેંક સાથેના અવિસ્મરણીય સંભારણા હંમેશા યાદ રહેશે
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જેવા અનેક પ્રકલ્પો તેમણે સાકાર ર્ક્યા : દિનેશભાઇ પાઠક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતને વિશ્ર્વના નકશામાં ચમકાવનાર, રાજકોટના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું દુખદ અવસાન થયું છે. રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. પરિવારે તેમને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમની સાથેના બેંકના અવિસ્મરણીય સંભારણા યાદ ર્ક્યા હતા. રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની જેમ જ સહકારી ક્ષેત્ર માટેનું તેમનું યોગદાન અમૂલ્ય રહયું છે.
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. સાથેનો વિજયભાઇ રૂપાણીનો નાતો ઘનિષ્ઠ અને પારિવારિક રહ્યો છે. તે પૈકી કેટલાક પ્રસંગો યાદ કરીએ તો, બેંકના દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત રૂા. 100 કરોડની લોન મંજુર થઇ ત્યારે લોનના લાભાર્થીને તેઓએ ચેક એનાયત કરેલ આવી જ રીતે આ યોજના અંતર્ગત ગુજરાતભરમાં સર્વાધિક રૂા. 522 કરોડનું ધિરાણ થયું ત્યારે મુખ્યમંત્રી પદે બિરાજમાન વિજયભાઇ રૂપાણી રાજકોટ ખાતે બેંકના વિશેષ કાર્યક્રમમાં પધારેલા અને જાહેર અભિવાદન ર્ક્યું હતું. તેઓ બેંકના કર્મચારી હરીશભાઇ શાહ નિવૃત્ત થયા ત્યારે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. લોકસભા-ધારાસભાની ચુંટણી સમયે સહકારી આગેવાનો સાથે વિચાર-વિમર્શ ર્ક્યો હતો. આ ઉપરાંત રાજકોટ નાગરિક બેંક કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ.ના તેજસ્વી તારલા સત્કાર કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
બેંકના ચેરમેન દિનેશભાઇ પાઠકે વિશેષમા સંસ્મરણો યાદ કરતાં જણાવ્યું હતું કે, ‘વિજયભાઇ રૂપાણી કોઇપણ સંસ્થામાં કે કોઇપણ હોદ્ા ઉપર કાર્યરત હોય, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. સાથે આત્મીય નાતો રાખેલ છે અને હંમેશા એક વડિલ મિત્રની જેમ પડખે ઉભા રહી સહકાર થકી નાના અને મધ્યમવર્ગના આર્થિક ઉત્થાન માટે સક્રિય યોગદાન આપ્યું છે. સમાન વિચારધારાને લીધે નાગરિક પરિવારના સદસ્યને નામથી ઓળખતા અને અનેક પ્રસંગોમાં સાથે મળીને કામ ર્ક્યું છે.
બેંકના સંચાલક મંડળના સદસ્યો સાથે કટોકટી દરમિયાન જેલવાસ પણ ભોગવેલો. તેઓ અનેકવાર કહેતા કે પૂજ્ય અરવિંદભાઇ મણીઆરનો હુ માનસ પુત્ર છું. તેમના પગલે-પગલે જાહેર જીવનમાં કાર્યો કરવાની પ્રેરણા મળી છે. તાજેતરની જ વાત કરીએ તો, કોરોનાની કારમી થપાટ લાગી. સમગ્ર તંત્ર ઠપ્પ થઇ ગયું. કામધંધાની સાથોસાથ જીવન મરણનો સવાલ ઉભો થયો. રોજે-રોજનું કમાતો વર્ગ આવક વગર બે ટંકનું ક્યાંથી ભેગું કરવું એ ચિંતામાં પડી ગયો. આવા સમયે, તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પહેલ કરી, સહકારી અગ્રણી સાથે વિચાર વિમર્શ કરી કોઇને બે-પાંચ હજાર રૂપિયા આપવાના બદલે, નવી જ યોજના બનાવી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અમલમાં મુકી અને રૂા. 1 લાખ અને રૂા. 2.5 લાખની રકમ ફક્ત 2 અને 4 ટકાના નજીવા વ્યાજે ધિરાણ આપવાની વ્યવસ્થા ગોઠવી. આ યોજનામાં મહત્તમ અને સફળ કામગીરીના અવસરે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ને જાહેરમાં બિરદાવી. આવી જ રીતે, બેંકના અનેકવિધ કાર્યક્રમોમાં તેઓ અનેકવાર પધારેલા છે અને પરિવારજન પ્રત્યે સ્નેહ દર્શાવેલો છે.