રાજકોટ મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગાવાહિની દ્વારા સ્વ.વિજયભાઇને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શ્રદ્ધાંજલિ અર્પણ દરમિયાન પરેશ રૂપારેલીયા, વિનય કારીયા, રવીન્દ્ર બડ ગુજર, દીપક ગમઢા, આર.ડી.પટેલ, આલાપ બારાઇ, પૂર્વીબેન શુક્લા (દુર્ગાવાહિની), દિલીપભાઈ દવે, જયદીપ વિસપરા તથા અન્ય અનેક કાર્યકર્તાઓ અંતિમયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ તમામ કાર્યકર્તાઓએ રુશભ રૂપાણી અને અંજલિબેનને સંવેદના પાઠવી અને આ દુ:ખની ઘડીએ તેમને ધીરજ તથા હિંમત આપવાનો પ્રયાસ કર્યો હતો. જય શ્રીરામ અને વિજયભાઇ અમર રહોના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું. પ્રત્યેક કાર્યકર્તાની આંખોમાં ભીની લાગણી અને ઊંડા શોકની છાયા સ્પષ્ટ જોવા મળી હતી.
રાજકોટ મહાનગર વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગાવાહિની દ્વારા સ્વ.વિજયભાઇને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ
You Might Also Like
Follow US
Find US on Social Medias