TRPગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ તમામ શહેરીજનોને રાજકોટના વેપારીઓ દ્રારા ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી દુ:ખ વ્યક્ત કર્યું. રાજકોટની લાખાજીરાજ રોડ, ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ, પરાબજાર સહિતની બજારોએ અડધો દિવસ બંધ પાળી વેપારીઓએ શોક વ્યક્ત કર્યો.
- Advertisement -
કેન્ડલ માર્ચ દ્વારા દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલિ પાઠવતું ઈન્ડિયા ગઠબંધન
કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા કેન્ડલ માર્ચમાં જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.27
- Advertisement -
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશભાઈ જોશીએ રાજકોટના કાલાવડ રોડ પર તંત્ર વાહકોની ઘોર બેદરકારી અને અક્ષમ્ય લાપરવાહીને પગલે સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાની સર્જાયેલી દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનાને લઈ ઇન્ડિયા ગઠબંધન દ્વારા તમામ મૃતકોને ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોના આત્માને ઈશ્ર્વર શાંતિ અર્પે એ માટે રાજકોટના રેસકોર્સ ના બહુમાળી ભવન પાસેના સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે ઇન્ડિયા ગઠબંધનના તમામ કાર્યકર અને આગેવાન, રાજકોટ શહેરના નગરજનો દ્વારા કેન્ડલ માર્ચનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.