હળદરની ખેતી માટે 108 એકર જમીન લીઝ પર લઈ પૈસા પડાવી ધુમ્બો મારી દીધો
રોકાણ ઉપર 6 વર્ષ સુધી દર વર્ષે 1.20 કરોડ મળશે તેવી લાલચ આપી શીશામા ઉતાર્યા
- Advertisement -
194 કરોડની ઓફર આપી હતી : રાજકોટના DCB પોલીસ સ્ટેશનમાં નોંધાતો ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર જગન્નાથ પ્લોટમાં રહેતા અને નવલનગરમાં ધર્મભક્તિ વેન્ચર પ્રા.લિ.નામે ખેત પ્રોડક્ટ લે-વેચની ભાગીદારી કંપની ધરાવતાં પ્રશાંત પ્રદીપભાઇ કાનાબાર ઉ.32 સાથે મહારાષ્ટ્રની કંપનીના સંચાલકોએ રૂ.64.80 કરોડની છેતરપિંડી આચારતાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં 19 શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ છે કંપનીના સંચાલકોએ પોતે હળદરની ખેતી માટે પોલી હાઉસ બનાવી તેમાં જોડાવાથી 1 અબજ 94 કરોડ 40 લાખનું વળતર મળશે તેવી લાલચ આપી તેને શીશામાં ઉતારી તેની પાસેથી 64.80 કરોડનું રોકાણ કરાવી વળતર પણ ચૂકવ્યું નહોતું.
પ્રશાંત કાનાબારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ પોતાની ઓળખ મુંબઇની એ એસ એગ્રી એન્ડ એક્વા એલએલપી કંપનીના સંચાલકો તરીકે આપી હતી. પ્રશાંતને પ્રોજેક્ટ પસંદ આવતાં તેના અન્ય બે ભાગીદાર મુંબઇ ગયા હતા અને ત્યાં પણ આરોપીઓએ એ બંને વ્યક્તિને પ્રોજેક્ટ સમજાવી પોતાની જાળ ફેલાવી હતી. ધર્મભક્તિ કંપનીના તમામ ભાગીદારો હળદરની ખેતીના પ્રોજેક્ટ માટે તૈયાર થયા હતા અને જુલાઇ 2021થી સપ્ટેમ્બર 2021 એટલેકે માત્ર 3 મહિનામાં અલગ અલગ બેંક ખાતામાં રૂ.64.80 કરોડ જમા કરાવી દીધા હતા રજિસ્ટર્ડ કોન્ટ્રાક્ટ મુજબ પ્રશાંતભાઇને જાન્યુઆરી 2023માં 64.80 કરોડ, જાન્યુઆરી 2024માં 64.80 કરોડ અને જાન્યુઆરી 2025માં 64.80 કરોડ મળી ત્રણ વર્ષમાં 1 અબજ 94 કરોડ અને 40 લાખ આપવાનું વચન આપ્યું હતું જો કે પ્રથમ 16 વરશ પૂર્ણ થયા એટલે કે વર્ષ 2023થી વળતર મળ્યું નહોતું પ્રશાંતભાઇ અને તેના ભાગીદારો ઉઘરાણી કરતા દર વખતે અલગ અલગ બહાના આપવામાં આવતા હતા. અંતે પોતાની સાથે છેતરપિંડી થયાનું સ્પષ્ટ થતાં પ્રશાંતભાઇએ 19 શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધાતા જ પીઆઇ ડામોર સહિત 15 પોલીસ કર્મચારીની ટીમ મહારાષ્ટ્ર દોડી ગઇ હતી અને અલગ અલગ વિસ્તારમાંથી 4 શખ્સને ઉઠાવી લીધા હતા અને અન્ય આરોપીઓને ઝડપી લેવા ટીમે સઘન પ્રયાસો શરૂ કર્યા હતા.
- Advertisement -
વેપારી પ્રશાંતભાઇ સાથે રૂ.64.80 કરોડની છેતરપિંડી થતાં આ મુદ્દે તપાસ કરતાં આ કંપનીના ડિરેક્ટરોએ વડોદરા, અમરેલી અને મહારાષ્ટ્રમાં પણ છેતરપિંડી કરી હોય અને આ મામલે અગાઉ ચાર ફરિયાદો થઇ ચૂક્યાંનું જાણવા મળ્યું છે અને સંદેશ ગણપત ખામકર, પ્રશાંત ગોવિંદરાઓ ઝાડે તથા સંદીપ ચિંતામણ સામંત હાલમાં જેલમાં છે.
આ 19 શખ્સ સામે નોંધાઈ છે ફરિયાદ
1, સંદેશ ગણપત, ખામકર મુંબઇ
2, પ્રશાંત ગોવિંદરાઓ ઝાડે થાણે
3 હિરેન દિલીપ પટેલ નાગપુર
4 રોહિત રમેશ લોન્કર પુણે,
5 કમલેશ મહાદેવરાવ ઓઝે મુંબઇ
6 સંદીપ ચિંતામણ સામંત થાણે
7 પ્રવીણ વામન પથારે થાણે
8 હર્ષ મહાદેવરાવ ઓઝે મુંબઇ
9 વૈભવ વિલાસ કોટલાપુરે થાણે
10 સુરીંદર અવતારસિંઘ ધીમન થાણે
11 નિરંજન ક્રિશ્નાનંદ કડલે કાંદીવલી
12 જયંતા રામચંદ્ર બાંદેકર બોરીવલી
13 સાંઇનાથ સંભાજીરાવ હાડોલે આંધ્રપ્રદેશ
14 પ્રતિક વિનોદ શર્મા થાણે
15 સેન્થીલકુમાર સેલ્વારાજ નાદર મુંબઇ
16 શંકર રાધાક્રિષ્નન નાયર ઉત્તર પ્રદેશ
17 અવિનાશ બબન સાંગલે થાણે
18 શ્રીનિવાસ તુલસીદાસ ભુસેવર નાંદેડ
19 નવનીતસિંઘ બિરિન્દરપાલસીંગ તુલી નાગપુર
ભાણવડ, ઇડર, હિંમતનગર અને વિજાપુર પંથકની 108 એકર જમીન લીઝ પર લઈ 3.24 કરોડ એડવાન્સ પેમેન્ટ પણ ખેડૂતોને ચૂકવી દીધું
હળદરની ખેતી માટે અનુકૂળ આવે તેવી જમીનની શોધ પ્રશાંતભાઇ અને તેના ભાગીદારોએ શરૂ કરી હતી અને ભાણવડના ધારાગઢમાં રાજેશ મોદીની, ઇડરના રૂદરડીની, વિજાપુરની હિંમતનગરની મળી કુલ 108 એકર જમીન શોધી કાઢી હતી. કંપનીના કેટલાક શખ્સો આ જમીન જોવા પણ આવ્યા હતા ને ખેડૂતો સાથે છ વર્ષ માટે કોન્ટ્રાક્ટ કરી આ જમીન લીઝ પર લીધી હતી. જેના રૂ.3.24 કરોડ ખેડૂતોને ચૂકવ્યા હતા. જોકે આ જમીન પર કંપનીના સંચાલકોએ કોઇ પ્રોજેક્ટ શરૂ કર્યો નહોતો.