અમદાવાદ રહેતાં ભાણેજ વિરૂદ્ધ જસદણ પોલીસ મથકમાં લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાયો ગુનો
ભાણેજે ગેરકાયદે ઓરડીઓ ચણી ભાડે આપી ભાડું પણ વસૂલવા લાગ્યો હતો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં અજમેરા શાસ્ત્રીનગરમાં રહેતાં મૂળ જસદણના વતની દેવજીભાઈ હીરાભાઈ પરમાર ઉ.68એ અમદાવાદ રહેતા ભાણેજ રમેશ કરશન ચૌહાણ સામે જસદણ પોલીસમાં લેન્ડગ્રેબિંગ એક્ટ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અગાઉ બી.એસ.એન.એલ.માં સબ ડીવીઝનલ એન્જીનીયર તરીકે નોકરી કરતાં હતાં. હાલ તેઓ નિવુત જીવન ગાળે છે સંતાનમાં બે દીકરા તથા બે દીકરીઓ છે. તેમની પાસે જસદણ ગામના સર્વે નં 1194 ની હે.આરે.ચો.મી. 0-26-30ની ખેતીની જમીન લાખાભાઇ પરમાર, જયંતિભાઇ પરમાર, મગનભાઈ માણસુરભાઈ પરમારના સંયુકત ખાતામાં આવેલ છે જે જમીન ઓછી હોય જેથી ખેતીકામ કરતા ના હતા અને જમીનમાં પ્લોટિંગ પાડેલ જેમાં કુલ 20 પ્લોટ પાડેલ હતા. જેમાં પ્લોટ નં.14 નો તેઓએ તેમની બહેન ડાહીબેન કરશનભાઈ ચૌહાણને રહેવા માટે આપેલ હતો. ત્યારબાદ ભાણેજ રમેશ ચૌહાણ પણ ત્યા રહેવા આવેલ હતો. 2019માં જસદણ રહેતાં ભાઇઓએ જણાવેલ કે, આપણા ભાણેજ રમેશ ચૌહાણએ પ્લોટ નં-15માં કબ્જો કરી લીધેલ છે. જેથી તે જસદણ આવેલ હતા અને પ્લોટ ખાલી કરવા માટે કહેલ હતુ. ત્યારે રમેશે ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ અવાર નવાર કહેવા છતા આરોપીએ પ્લોટ નં-15 જે ખુલ્લો હતો.
તેમાં બાંધકામ કરીને બે ઓરડી બનાવેલ અને અન્ય લોકોને ભાડેથી આપી દીધેલ અને ભાડુ પણ લેવાં લાગ્યો હતો. જે બાદ આ અંગે કલેક્ટરમાં અરજી આપતાં લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરીયાદ નોંધવાનો હુકમ થતાં આરોપીએ રૂ.4.17 લાખનો પચાવી પાડયાની ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાએ તપાસ હાથ ધરી હતી.