-કોંગ્રેસના નેતા રાહુલ છાવણીમાં પણ જશે
મણીપુરમાં છેલ્લા બે માસથી હિંસા અને 120થી વધુ લોકોના મોત થયા વ્યાપક રીતે જે લોકો બેઘર બન્યા છે તેમાં મોદી સરકારની નિષ્ફળતા અંગે અનેક વખત આકરી ભાષાનો પ્રયોગ કરી ચૂકેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા આવતીકાલથી બે દિવસના મણીપુર પ્રવાસે જશે.
- Advertisement -
હાલમાં જ સરકારે મણીપુર અંગે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી પણ તમો વિપક્ષોએ રાજય સરકારને બરતરફ કરીને કેન્દ્ર જ રાષ્ટ્રપતિ શાસન મારફત રાજયમાં હિંસા પર કાબુ કરવાની માંગણી કરી હતી પણ સરકારે તેના પર કોઈ પ્રતિભાવ આપ્યો નથી. આ વચ્ચે રાહુલ ગાંધી હવે બે દિવસ ઈમ્ફાલ તથા આસપાસના હિંસાગ્રસ્ત ક્ષેત્રોની મુલાકાત લેશે અને રાહત છાવણીમાં જશે.
રાહુલ ગાંધીનો આ નિર્ણય કેન્દ્રની મોદી સરકાર માટે સંકોચભર્યો સાબીત થઈ શકે છે. વિપક્ષો માંગ કરી રહ્યા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણીપુર જઈને સ્થિતિની સમીક્ષા કરે અગાઉ ગૃહમંત્રી અમીત શાહે ત્રણ દિવસ મણીપુરમાં કેમ્પ કર્યો હતો અને વહીવટીતંત્રમાં કેટલાક ફેરફાર કરીને ખાસ અધિકારીઓને જવાબદારી સોપી હતી પણ છતા રાજયમાં પરીસ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર થયો નથી.0