સંસદ સદસ્યતા પુનઃસ્થાપિત થયા બાદ રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા એ પહેલા રાહુલ ગાંધીએ તેમનું ટ્વિટર બાયો બદલ્યું
સંસદ સદસ્યતા પુનઃસ્થાપિત થયા બાદ રાહુલ ગાંધી સોમવારે સંસદ પહોંચ્યા હતા. રાહુલ ગાંધી 137 દિવસ પછી સંસદ પહોંચ્યા અને INDIA ગઠબંધનના સાંસદોએ તેમનું સ્વાગત કર્યું. આ પહેલા રાહુલ ગાંધીએ પણ તેમનું ટ્વિટર બાયો બદલ્યું હતું. આમાં તેમણે સંસદ સભ્ય લખ્યું છે. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ છે.
- Advertisement -
Rahul Gandhi arrives in Parliament after his Lok Sabha membership reinstated
Read @ANI Story | https://t.co/dpsl8nJLwN#RahulGandhi #LokSabha #Parliament pic.twitter.com/S96v3RisLo
— ANI Digital (@ani_digital) August 7, 2023
- Advertisement -
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ આજે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. લોકસભા સચિવાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની બે વર્ષની સજા પર રોક લગાવી દીધી હતી.આ સાથે તેમની સંસદ પુનઃસ્થાપિત કરવાનો રસ્તો સાફ થઈ ગયો.
રાહુલે 2019ની લોકસભા ચૂંટણીમાં કેરળના વાયનાડથી ચૂંટણી જીતી હતી. મોદી સરનેમ માનહાનિ કેસમાં 23 માર્ચે રાહુલને નીચલી અદાલતે બે વર્ષની સજા ફટકારી હતી. SCએ 134 દિવસ બાદ આ કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી હતી.
#WATCH | Congress MP Rahul Gandhi pays tributes to Mahatma Gandhi at the Parliament House.
Lok Sabha Secretariat restored Rahul Gandhi's Lok Sabha membership today after Supreme Court stayed his conviction in the ‘Modi’ surname remark case. pic.twitter.com/jU9bWXG6UL
— ANI (@ANI) August 7, 2023
શું હતો સમગ્ર મામલો ?
રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, “નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ સામાન્ય છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ 499, 500 હેઠળ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમની ફરિયાદમાં બીજેપી ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે, રાહુલે 2019માં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કથિત રીતે કહીને સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો કે બધા ચોરોની અટક મોદી કેમ છે?
Lok Sabha Secretariat restores membership of Wayanad MP Rahul Gandhi after the Supreme Court on Friday (August 4) stayed his conviction in the ‘Modi’ surname remark case.
He was disqualified from the lower house in March 2023. pic.twitter.com/UBE3FvCGEN
— ANI (@ANI) August 7, 2023
રાહુલનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું
કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા બાદ લોકસભા સચિવાલય દ્વારા તેમની સંસદની સદસ્યતા રદ કરવામાં આવી હતી. વાસ્તવમાં લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં જોગવાઈ છે કે જો કોઈ સાંસદ અને ધારાસભ્યને કોઈ કેસમાં 2 વર્ષ કે તેથી વધુની સજા થાય છે, તો તેમનું સભ્યપદ (સંસદ અને વિધાનસભામાંથી) રદ કરવામાં આવે છે. એટલું જ નહીં સજાનો સમયગાળો પૂરો કર્યા બાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય બની જાય છે.
Congress leader Rahul Gandhi updates his Twitter account bio from 'Dis'Qualified MP' to 'Member of Parliament' after Lok Sabha Secretariat restored his membership today.
Supreme Court on Friday (August 4) stayed his conviction in the ‘Modi’ surname remark case. pic.twitter.com/ehQjMywEms
— ANI (@ANI) August 7, 2023