284 બિલ્ડિંગના 2682 બ્લોક પર 76 હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા
કરણસિંહજી હાઇસ્કૂલ ખાતે પોલીસ બંદોબસ્ત તૈનાત
- Advertisement -
રાજકોટ જેલના 120 જેટલા કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહીત રાજ્યમાં આગામી 28 માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરુ થઇ રહી છે ત્યારે પરીક્ષા પૂર્વે રાજકોટમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જ્યાં સીસીટીવી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રશ્નપત્રોને સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ સાથે કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે આગામી 27 માર્ચ એટલે કે રવિવારથી ખાસ કંટ્રોલરૂમ પણ તૈયાર કરવામાં આવશે જે 12 એપ્રિલ સુધી કાર્યરત રહેશે.
- Advertisement -
રાજકોટ સહીત સમગ્ર રાજ્યમાં આગામી 28 માર્ચથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણ 10 અને 12 ની પરીક્ષા શરૂ થઇ રહી છે ત્યારે આ પરીક્ષાને લઇ તમામ તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પરીક્ષા પૂર્વે પ્રશ્નપત્ર રાજકોટ આવી પહોંચતા રાજકોટ કરણસિંહજી હાઇસ્કૂલ ખાતે સીસીટીવી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે. આ સાથે આગામી 27 માર્ચ એટલે કે રવિવારના રોજ આ માટે ખાસ કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવશે જે આગામી 12 એપ્રિલ સુધી કાર્યરત રહેશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજકોટ જેલના 120 જેટલા કેદીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે જેમાં ધોરણ 10 માં 90 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 30 જેટલા કેદી પરીક્ષા આપનાર છે. જે માટે પણ વ્યવસ્થા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોઠવવામાં આવી છે.