By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભયાનક સ્પીડમાં આવતી મર્સિડીઝ હવામાં ઉછળી હતી અને રાઉન્ડઅબાઉટ પર અથડાયા બાદ બે કાર પર કૂદી પડી હતી
    14 hours ago
    કૅનેડા,ભારતીયો માટે ખુશ ખબર, કેનેડાની H-1B વિઝાને લઈ મોટી જાહેરાત
    2 days ago
    પીએમ મોદીએ યુક્રેન પર મોટો સંદેશ મોકલ્યો કારણ કે તેઓ પુતિનને કહે છે કે ભારત આજે તટસ્થતાને બદલે શાંતિનું સમર્થન કરે છે
    2 days ago
    યુએસ એરફોર્સનું F-16 ફાલ્કન ફાઈટર જેટ કેલિફોર્નિયાની ડેથ વેલીમાં ક્રેશ થયું, પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો
    3 days ago
    પુતિનની ભારત મુલાકાત: ICC ધરપકડ વોરંટની ચિંતા કાર્ય વિના પ્રવાસ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શશી થરુરે મેરિટલ રેપને ક્રાઈમ ગણાવતું બિલ રજૂ કરતાં ચર્ચા
    11 hours ago
    આજે ઇન્ડિગોની 400 અને 4 દિવસમાં 2000+ ફ્લાઇટ્સ રદ્દ
    11 hours ago
    ઇન્ડિગો કામગીરી સ્થિર થવાનું શરૂ કરે છે, ભાડાં હળવા થવાની શક્યતા છે
    14 hours ago
    ઇં-1ઇ વિઝા માટે સોશિયલ મીડિયા તપાસ ફરજિયાત: ટ્રમ્પનો કડક આદેશ
    1 day ago
    મેલેરિયાથી 6.10 લાખના મોત, 28.2 કરોડ નવા કેસ, બે ટેકનિકથી 10 લાખને બચાવાયા : ઠઇંઘનો 2024નો રિપોર્ટ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી-રુટ: સચિન તેંડુલકરના ત્રણ મોટા રેકોર્ડ ખતરામાં! કોહલી અને રુટે ઐતિહાસિક વ્યક્તિઓ પર દબાણ વધાર્યું
    13 hours ago
    વોર્મ-અપ ભૂલથી પિચ અને બોલને વિચિત્ર દ્રશ્યોમાં અટવાયા બાદ WBBL મેચ ત્યજી દેવામાં આવી
    13 hours ago
    આ ભારતીય-અમેરિકન અબજોપતિ વિરાટ કોહલીના આરસીબીને હસ્તગત કરવા માટે સૌથી આગળ છે.
    1 day ago
    7 છગ્ગા 8 ચોગ્ગા, 47 બોલમાં સદી… IPLની હરાજી અગાઉ સરફરાઝ ખાનનું તોફાની પ્રદર્શન
    4 days ago
    એક મિલિયન પળમાં એક: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બીજી મેચમાં ભારત સતત 20મી ODI ટોસ હારી ગયું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    1 week ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    1 week ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    1 week ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    2 weeks ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સોનાં જેવા શુદ્ધ મધની ધારા મધુધારા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સોનાં જેવા શુદ્ધ મધની ધારા મધુધારા
ગુજરાતરાજકોટ

સોનાં જેવા શુદ્ધ મધની ધારા મધુધારા

Khaskhabar Editor
Last updated: 2025/05/24 at 4:44 PM
Khaskhabar Editor 7 months ago
Share
7 Min Read
SHARE

રાજકોટનાં દર્શન ભાલારાએ સાતેક વર્ષ પહેલાં પાંચ બોકસથી ચાલું કરેલું હતું સાહસ

આજે ગુજરાતની સૌથી લોકપ્રિય બ્રાન્ડ બની ગઇ મધુધારા

- Advertisement -

મધના ગુણધર્મોનું ઘણા ધાર્મિક ગ્રંથોમાં વર્ણન કરવામાં આવ્યું છે. પુરાણોમાં ભગવાન વિષ્ણુને કમળના ફૂલ પર આરામ કરતી મધમાખી તરીકે દર્શાવવામાં આવ્યા છે. ઋગ્વેદમાં મધ અને મધમાખીઓ વિશેના વર્ણનો છે. બાઈબલમાં મધનો ઉલ્લેખ અનેક વખત કરાયો છે. હજારો વર્ષથી મધનું અસ્તિવ હોવાનું મનાય છે અને તેનો ઉપયોગ ખોરાક, ઔષધ ઉપરાંત ધાર્મિક પ્રવૃત્તિઓ અને પૂજામાં થતો આવ્યો છે. મધ એ સૌથી પ્રાચીન અને કુદરતી ટોનિક છે જે બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધો સુધી દરેક માટે ફાયદાકારક છે. આયુર્વેદ અને જ્યોતિષ બંનેમાં મધને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આયુર્વેદમાં તેને એક અસરકારક દવા અને કુદરતી ગળપણ તરીકે જોવામાં આવે છે, જે ત્રિદોષ (વાત, પિત્ત અને કફ)ને સંતુલિત કરવામાં મદદ કરે છે. તો જ્યોતિષમાં મધનો ઉપયોગ ગ્રહોની સ્થિતિને મજબૂત કરવા અને જન્માક્ષરના દોષોને દૂર કરવા માટે પણ થાય છે, ખાસ કરીને રાહુ અને કેતુના પ્રભાવને ઘટાડવા માટે. જ્યોતિષ શાસ્ત્રમાં મધને ગુરુ ગ્રહ સાથે સંબંધિત કહેવામાં આવે છે. જોકે, તે સૂર્ય અને મંગળ સાથે પણ સંબંધિત છે. આપણે ત્યાં મધનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં પણ ભરપૂર થાય છે. ખાસ કરીને પંચામૃત બનાવવાથી લઈને ભગવાન શિવની પૂજા કરવા સુધી. બાળકના જન્મ સમયે તેને સૌપ્રથમ મધ ચટાડવામાં આવે છે. એટલે ભારતમાં મધ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી પણ ખૂબ ઉપયોગી છે. હવે મધ આટલું પુરાણું અને આટલું અગત્યનું છે એ જાણ્યા પછી એ શુદ્ધ અને ખરું ક્યાં મળે એ જાણવું જરૂરી બની જાય છે. આજકાલ બજારમાં દૂધ, દહીં, ઘી, પનીરથી લઈ દરેક નાનીમોટી ખાદ્ય ચીજવસ્તુઓ નકલી મળવા લાગી છે. આ સમયે ભેળસેળીયા અને નકલી મધનું પણ પ્રમાણ વધ્યું છે ત્યારે જો ખોરાક, ઔષધ કે પૂજામાં ઉપયોગ કરવા ક્યાંય શુદ્ધ મધ મળતું હોય તો તે એકમાત્ર મધુધારા હની હાઉસમાં. સાતેક વર્ષ પહેલાં મધમાખીના પાંચેક બોક્સ વડે પાંચેક કિલો મધ ઉત્પાદનથી શરૂ થયેલુ મધુધારા આજે મધ ઉત્પાદન-વેંચાણ ક્ષેત્રમાં મધુ’શાલા’ બની ગયું છે.

મતલબ કે, સૌરાષ્ટ્રથી લઈ સમગ્ર રાષ્ટ્રમાં શુદ્ધ મધનું સરનામું એટલે રાજકોટ સ્થિત દર્શન ભાલારાનું મધુધારા. દેશભરમાં મધ ઉત્પાદન-વેંચાણમાં મધુધારા એક બ્રાન્ડ નેમ બન્યું છે તેની પાછળનું કારણ છે, મધુધારાના હનિ પ્રોડક્શનમાં રહેલી નેચર ફ્રેન્ડલી, હાઈજિન અને પેકેજીંગ જેવી બાબતો. મધની ક્વૉલિટી, ક્વોન્ટિટી અને પ્યોરીટી પણ એવી સુપર્બ કે મધથી મહોબ્બત થઈ જાય. મધુધારા દ્વારા કોઈ જ એકસ્ટ્રા પ્રોસેસ કે રંગ-રસાયણ ઉમેર્યા-કર્યા વિના જ એકદમ શુદ્ધ દેશી પદ્ધતિથી મધ કાઢવામાં અને વેચવામાં આવે છે. અલગઅલગ રાજ્યોમાં જઈને ફૂલોના ખેતરમાં મધમાખીના બોક્સ મૂકવાના અને પછી તેમાંથી અહિંસક પદ્ધતિ વડે મધનું એકત્રિકરણ કર્યા બાદ મસ્તમજાનું આકર્ષક પેકિંગ કરી ઑનલાઈન-ઑફલાઈન માર્કેટમાં વેચવાનું. મધની બોટલ હાથમાં આવે એટલે તેને જોઈને જ વાહ પોકારી ઉઠાઈ અને મધ મોેંમાં જતા જ આફરીન થઈ જવાય. કશું નવું-અનોખું કરવાના આશય સાથે મધ માર્કેટમાં પ્રવેશેલા દર્શન ભાલારાએ હવે રાજકોટના ઉદ્યોગનગર પીજીવીસીએલ પાસે મધુધારા હની હાઉસની શરૂ કર્યું છે. મધુધારા હની હાઉસ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર મધના ટેસ્ટ – હનિના ડિટેલ્સ આપતા શો રૂમની શરૂઆત કરવામાં આવી છે. અહીં કોઈપણ વ્યક્તિ મધને ચાખી-ચકાસી શકે છે. મધુધારા હની હાઉસમાં આઠ પ્રકારના મધ જેમાં અજમાના ફૂલનું મધ, જાંબુના ફૂલનું મધ, લિચીના ફૂલનું મધ, નીલગિરીના ફૂલનું મધ, વરિયાળીના ફૂલનું મધ, કાશ્મીરી કિકરના ફૂલનું મધ, સિસમના ફૂલનું મધ અને જંગલી મધ ઉપલબ્ધ છે. આ સિવાય અહીં કાશ્મીરી કેસર અને ગુલકંદ પણ મળી રહે છે. એ પણ મધ જેટલા જ શુદ્ધ-સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક.

મધુધારામાં કોઇ કેમિકલ નથી, પેસ્ટિસાઇડ નથી, એ એકદમ શુદ્ધ-પ્રાકૃતિક અને માત્ર ઝીણાં કપડાંથી ગાળેલું છે

- Advertisement -

પહાડી અને નદીના પટ વિસ્તારમાંથી એકત્ર કરાતું મધ, અલગઅલગ મધનો રંગ અને પ્રદેશ જુદોજુદો

મધુધારા ફાર્મ દ્વારા આઠેક પ્રકારના અલગઅલગ મધ માર્કેટમાં અવેલેબલ છે. આ આઠેય મધ ભારતના નોર્થ એરિયા જેમ કે હિમાચલ જેવા પહાડી પ્રદેશ અને નદીના પટ વિસ્તારમાંથી એકત્ર કરવામાં આવે છે. અજમાનું મધ સૌરાષ્ટ્રમાંથી એકત્ર કરાય છે જેનો રંગ કાળો હોય છે. લિચી અને જાંબુનનું મધ બિહારમાંથી એકત્ર કરાય છે, લિચીના મધનો રંગ પીળો હોય છે જ્યારે જાંબુનના મધનો રંગ ડાર્ક બ્લેક હોય છે. કાશ્મીરી કિકરનું મધ કાશ્મીરના પુલવામાંમાંથી એકત્ર કરાય છે જેનો રંગ પાણી જેવો પારદર્શક હોય છે. નીલગિરી અને સિસમનું મધ પંજાબમાંથી એકત્ર કરાય છે. નીલગિરીના મધનો રંગ લાલાશ પડતો હોય છે જ્યારે સિસમના મધનો રંગ પીળાશ પડતો હોય છે.

મધુધારા ફાર્મનો ફક્ત મધ અને ખડી સાકરથી બનેલો ગુલકંદ છે ગુણિયલ

મધુધારા ફાર્મના દર્શન ભાલારા જણાવે છે કે, દેશી ગુલકંદ આખા વર્ષમાં માત્ર માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં જ તૈયાર થાય છે. ઉનાળાની ગરમીમાં ગુલકંદ બનાવવાની સિઝન આવે છે. મધુધારા ફાર્મમાં દેશી તડકા-છાયાની પદ્ધતિ દ્વારા કલર કે કેમિકલના ઉપયોગ વિના ગુલકંદ બનાવવામાં આવે છે. સૌથી પહેલા તાજા ગુલાબ તોડીને તેની પાંખડીઓ અલગ કરી તડકે સૂકવવામાં આવે છે અને સાંજના સમયે તેને છાયામાં લઈ લેવામાં આવે છે. આ પ્રક્રિયા આશરે 35થી 45 દિવસ જેટલી ચાલે છે. ત્યારબાદ તેમાં મધુધારા ફાર્મનું જ શુદ્ધ મધ અને ખડી સાકર સાથે પ્રીમિયમ ડ્રાયફ્રૂટ ઉમેરી ગુલકંદ તૈયાર કરવામાં આવે છે. મધુધારા ફાર્મ દ્વારા ત્રણ પ્રકારના ગુલકંદ જેમ કે, દેશી ગુલાબથી બનેલો પ્રીમિયમ ડ્રાયફ્રૂટ ગુલકંદ, કેસર ઈલાયચી ગુલકંદ અને સાદો ગુલકંદ બનાવવામાં આવે છે. જે પ્રકારે મધુધારા ફાર્મના એકપણ મધમાં કોઈ એકસ્ટ્રા પ્રોસેસ કે ઈન્ક્રીડિયન્સ ઉમેરવામાં આવતા નથી તે જ પ્રકારે મધુધારા ફાર્મના ગુલકંદમાં પણ કોઈ કલર કે એસન્સ કે પ્રિજવેટિવ એડ કરવામાં આવતા નથી. આ ગુલકંદ બારેમાસ કોઈપણ ખાઈ શકે છે અને ગરમીઓમાં તે અત્યંત ગુણકારી સાબિત થાય છે.

મધુધારા ફાર્મ દ્વારા બનાવેલા મધ-ગુલકંદના કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર અફલાતૂન!

આજકાલથી નહીં પરંતુ અનાદીયુગથી ગિફ્ટમાં ગળી વસ્તુઓ આપવાનું ચલણ રહ્યું છે. આ ચલણ છેલ્લે ક્યાંક એકમાત્ર ચોકલેટ પર આવીને અટકી ગયું હતું. જોકે હવે મિત્રોથી લઈ મોટાગજાની વ્યક્તિઓને વિવિધતસભર ગુણકારી ગળી વસ્તુઓ ગિફ્ટમાં આપવી હોય તો મધુધારા ફાર્મ દ્વારા મધ-ગુલકંદના અફલાતૂન કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર બનાવવામાં આવ્યા છે. અટ્રેક્ટિવ પેકિંગ અને તેની અંદર નેચર ફ્રેન્ડલી, હાઈજીન, હેલ્થ જેવી બાબતોને અગ્રતા આપી બનાવેલા વિવિધ ફ્લેવર્સના મધ અને ગુલકંદ. મધુધારા ફાર્મના કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર અલગ-અલગ સાઈઝ અને બજેટ મુજબ કસ્ટમાઈઝ પણ કરી આપવામાં આવે છે. મધુધારા ફાર્મની વધુ વિગતો તેમના હની હાઉસ શો રૂમ તેમજ વેબસાઈટ પરથી મળી રહેશે.

મધુધારા ફાર્મના મધ, ગુલકંદ અને કેસર મેળવવા સંપર્ક-સરનામું

મધુધારા હની હાઉસ
બી-29, ઉદ્યોગનગર-4, ઉદ્યોગનગર પીજીવીસીએલ સામે, રાજકોટ
મો.નં. 9662166770
સમય સવારે 9થી સાંજે 7
: વેબસાઈટ :
www.madhudhara.com

You Might Also Like

ધુળેટીની ભૂલ સુધરી: ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખમાં ફેરફાર, ધો. 10-12ની પરીક્ષાઓની નવી તારીખો જાહેર!

જૈન સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા તા. 22થી 27 સુધી નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

રાજકોટથી દિલ્હીના ભાવ આસમાને: ભાડું રૂ. 25થી 40 હજાર સુધી પહોંચી જતાં મુસાફરોમાં દેકારો

ગોંડલના રાજકુમાર જાટના મોત મામલે ગણેશ ગોંડલનો થશે નાર્કો ટેસ્ટ

મેડિકલની છાત્રાને લગ્નની લાલચ આપી તાલાલાના શખ્સે વારંવાર આચર્યું દુષ્કર્મ

TAGGED: honey
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભાગ્ય v/s પરિશ્રમ કોણ જીતશે?
Next Article વેરાવળ પાલિકા તંત્ર દ્વારા પ્રતિબંધિત 1500 કિલો પ્લાસ્ટિકનો જથ્થો સીઝ કરવામાં આવ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બસ સ્ટેન્ડ રોડ ઉપર જર્જરિત ઈમારતનો બીજા માળનો રવેશ તૂટી પડયો: સદનસીબે જાનહાનિ ટળી

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વેરાવળના વિવિધ સ્થળો પર સઘન તપાસ
વેરાવળ ખાતે શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક યોજાઈ
કોડીનાર તાલુકાના બરડા ગામ ખાતે કલેક્ટર ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ
જૂનાગઢમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયા દ્વારા મહાશિવરાત્રી મેળો અને ખેડૂતલક્ષી કામગીરીની સમીક્ષા
બે થેલી ખાતર પણ ભેળસેળવાળું મળતાં ખેડૂતોમાં રોષ સાથે આક્ષેપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ધુળેટીની ભૂલ સુધરી: ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખમાં ફેરફાર, ધો. 10-12ની પરીક્ષાઓની નવી તારીખો જાહેર!

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

જૈન સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા તા. 22થી 27 સુધી નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

રાજકોટથી દિલ્હીના ભાવ આસમાને: ભાડું રૂ. 25થી 40 હજાર સુધી પહોંચી જતાં મુસાફરોમાં દેકારો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?