રાજકોટનાં દર્શન ભાલારાએ સાતેક વર્ષ પહેલાં પાંચ બોકસથી ચાલું કરેલું હતું સાહસ
આજે ગુજરાતની સૌથી લોકપ્રિય બ્રાન્ડ બની ગઇ મધુધારા
- Advertisement -
મધના ગુણધર્મોનું ઘણા ધાર્મિક ગ્રંથોમાં વર્ણન કરવામાં આવ્યું છે. પુરાણોમાં ભગવાન વિષ્ણુને કમળના ફૂલ પર આરામ કરતી મધમાખી તરીકે દર્શાવવામાં આવ્યા છે. ઋગ્વેદમાં મધ અને મધમાખીઓ વિશેના વર્ણનો છે. બાઈબલમાં મધનો ઉલ્લેખ અનેક વખત કરાયો છે. હજારો વર્ષથી મધનું અસ્તિવ હોવાનું મનાય છે અને તેનો ઉપયોગ ખોરાક, ઔષધ ઉપરાંત ધાર્મિક પ્રવૃત્તિઓ અને પૂજામાં થતો આવ્યો છે. મધ એ સૌથી પ્રાચીન અને કુદરતી ટોનિક છે જે બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધો સુધી દરેક માટે ફાયદાકારક છે. આયુર્વેદ અને જ્યોતિષ બંનેમાં મધને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આયુર્વેદમાં તેને એક અસરકારક દવા અને કુદરતી ગળપણ તરીકે જોવામાં આવે છે, જે ત્રિદોષ (વાત, પિત્ત અને કફ)ને સંતુલિત કરવામાં મદદ કરે છે. તો જ્યોતિષમાં મધનો ઉપયોગ ગ્રહોની સ્થિતિને મજબૂત કરવા અને જન્માક્ષરના દોષોને દૂર કરવા માટે પણ થાય છે, ખાસ કરીને રાહુ અને કેતુના પ્રભાવને ઘટાડવા માટે. જ્યોતિષ શાસ્ત્રમાં મધને ગુરુ ગ્રહ સાથે સંબંધિત કહેવામાં આવે છે. જોકે, તે સૂર્ય અને મંગળ સાથે પણ સંબંધિત છે. આપણે ત્યાં મધનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં પણ ભરપૂર થાય છે. ખાસ કરીને પંચામૃત બનાવવાથી લઈને ભગવાન શિવની પૂજા કરવા સુધી. બાળકના જન્મ સમયે તેને સૌપ્રથમ મધ ચટાડવામાં આવે છે. એટલે ભારતમાં મધ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી પણ ખૂબ ઉપયોગી છે. હવે મધ આટલું પુરાણું અને આટલું અગત્યનું છે એ જાણ્યા પછી એ શુદ્ધ અને ખરું ક્યાં મળે એ જાણવું જરૂરી બની જાય છે. આજકાલ બજારમાં દૂધ, દહીં, ઘી, પનીરથી લઈ દરેક નાનીમોટી ખાદ્ય ચીજવસ્તુઓ નકલી મળવા લાગી છે. આ સમયે ભેળસેળીયા અને નકલી મધનું પણ પ્રમાણ વધ્યું છે ત્યારે જો ખોરાક, ઔષધ કે પૂજામાં ઉપયોગ કરવા ક્યાંય શુદ્ધ મધ મળતું હોય તો તે એકમાત્ર મધુધારા હની હાઉસમાં. સાતેક વર્ષ પહેલાં મધમાખીના પાંચેક બોક્સ વડે પાંચેક કિલો મધ ઉત્પાદનથી શરૂ થયેલુ મધુધારા આજે મધ ઉત્પાદન-વેંચાણ ક્ષેત્રમાં મધુ’શાલા’ બની ગયું છે.
મતલબ કે, સૌરાષ્ટ્રથી લઈ સમગ્ર રાષ્ટ્રમાં શુદ્ધ મધનું સરનામું એટલે રાજકોટ સ્થિત દર્શન ભાલારાનું મધુધારા. દેશભરમાં મધ ઉત્પાદન-વેંચાણમાં મધુધારા એક બ્રાન્ડ નેમ બન્યું છે તેની પાછળનું કારણ છે, મધુધારાના હનિ પ્રોડક્શનમાં રહેલી નેચર ફ્રેન્ડલી, હાઈજિન અને પેકેજીંગ જેવી બાબતો. મધની ક્વૉલિટી, ક્વોન્ટિટી અને પ્યોરીટી પણ એવી સુપર્બ કે મધથી મહોબ્બત થઈ જાય. મધુધારા દ્વારા કોઈ જ એકસ્ટ્રા પ્રોસેસ કે રંગ-રસાયણ ઉમેર્યા-કર્યા વિના જ એકદમ શુદ્ધ દેશી પદ્ધતિથી મધ કાઢવામાં અને વેચવામાં આવે છે. અલગઅલગ રાજ્યોમાં જઈને ફૂલોના ખેતરમાં મધમાખીના બોક્સ મૂકવાના અને પછી તેમાંથી અહિંસક પદ્ધતિ વડે મધનું એકત્રિકરણ કર્યા બાદ મસ્તમજાનું આકર્ષક પેકિંગ કરી ઑનલાઈન-ઑફલાઈન માર્કેટમાં વેચવાનું. મધની બોટલ હાથમાં આવે એટલે તેને જોઈને જ વાહ પોકારી ઉઠાઈ અને મધ મોેંમાં જતા જ આફરીન થઈ જવાય. કશું નવું-અનોખું કરવાના આશય સાથે મધ માર્કેટમાં પ્રવેશેલા દર્શન ભાલારાએ હવે રાજકોટના ઉદ્યોગનગર પીજીવીસીએલ પાસે મધુધારા હની હાઉસની શરૂ કર્યું છે. મધુધારા હની હાઉસ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર મધના ટેસ્ટ – હનિના ડિટેલ્સ આપતા શો રૂમની શરૂઆત કરવામાં આવી છે. અહીં કોઈપણ વ્યક્તિ મધને ચાખી-ચકાસી શકે છે. મધુધારા હની હાઉસમાં આઠ પ્રકારના મધ જેમાં અજમાના ફૂલનું મધ, જાંબુના ફૂલનું મધ, લિચીના ફૂલનું મધ, નીલગિરીના ફૂલનું મધ, વરિયાળીના ફૂલનું મધ, કાશ્મીરી કિકરના ફૂલનું મધ, સિસમના ફૂલનું મધ અને જંગલી મધ ઉપલબ્ધ છે. આ સિવાય અહીં કાશ્મીરી કેસર અને ગુલકંદ પણ મળી રહે છે. એ પણ મધ જેટલા જ શુદ્ધ-સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક.
મધુધારામાં કોઇ કેમિકલ નથી, પેસ્ટિસાઇડ નથી, એ એકદમ શુદ્ધ-પ્રાકૃતિક અને માત્ર ઝીણાં કપડાંથી ગાળેલું છે
- Advertisement -
પહાડી અને નદીના પટ વિસ્તારમાંથી એકત્ર કરાતું મધ, અલગઅલગ મધનો રંગ અને પ્રદેશ જુદોજુદો
મધુધારા ફાર્મ દ્વારા આઠેક પ્રકારના અલગઅલગ મધ માર્કેટમાં અવેલેબલ છે. આ આઠેય મધ ભારતના નોર્થ એરિયા જેમ કે હિમાચલ જેવા પહાડી પ્રદેશ અને નદીના પટ વિસ્તારમાંથી એકત્ર કરવામાં આવે છે. અજમાનું મધ સૌરાષ્ટ્રમાંથી એકત્ર કરાય છે જેનો રંગ કાળો હોય છે. લિચી અને જાંબુનનું મધ બિહારમાંથી એકત્ર કરાય છે, લિચીના મધનો રંગ પીળો હોય છે જ્યારે જાંબુનના મધનો રંગ ડાર્ક બ્લેક હોય છે. કાશ્મીરી કિકરનું મધ કાશ્મીરના પુલવામાંમાંથી એકત્ર કરાય છે જેનો રંગ પાણી જેવો પારદર્શક હોય છે. નીલગિરી અને સિસમનું મધ પંજાબમાંથી એકત્ર કરાય છે. નીલગિરીના મધનો રંગ લાલાશ પડતો હોય છે જ્યારે સિસમના મધનો રંગ પીળાશ પડતો હોય છે.
મધુધારા ફાર્મનો ફક્ત મધ અને ખડી સાકરથી બનેલો ગુલકંદ છે ગુણિયલ
મધુધારા ફાર્મના દર્શન ભાલારા જણાવે છે કે, દેશી ગુલકંદ આખા વર્ષમાં માત્ર માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં જ તૈયાર થાય છે. ઉનાળાની ગરમીમાં ગુલકંદ બનાવવાની સિઝન આવે છે. મધુધારા ફાર્મમાં દેશી તડકા-છાયાની પદ્ધતિ દ્વારા કલર કે કેમિકલના ઉપયોગ વિના ગુલકંદ બનાવવામાં આવે છે. સૌથી પહેલા તાજા ગુલાબ તોડીને તેની પાંખડીઓ અલગ કરી તડકે સૂકવવામાં આવે છે અને સાંજના સમયે તેને છાયામાં લઈ લેવામાં આવે છે. આ પ્રક્રિયા આશરે 35થી 45 દિવસ જેટલી ચાલે છે. ત્યારબાદ તેમાં મધુધારા ફાર્મનું જ શુદ્ધ મધ અને ખડી સાકર સાથે પ્રીમિયમ ડ્રાયફ્રૂટ ઉમેરી ગુલકંદ તૈયાર કરવામાં આવે છે. મધુધારા ફાર્મ દ્વારા ત્રણ પ્રકારના ગુલકંદ જેમ કે, દેશી ગુલાબથી બનેલો પ્રીમિયમ ડ્રાયફ્રૂટ ગુલકંદ, કેસર ઈલાયચી ગુલકંદ અને સાદો ગુલકંદ બનાવવામાં આવે છે. જે પ્રકારે મધુધારા ફાર્મના એકપણ મધમાં કોઈ એકસ્ટ્રા પ્રોસેસ કે ઈન્ક્રીડિયન્સ ઉમેરવામાં આવતા નથી તે જ પ્રકારે મધુધારા ફાર્મના ગુલકંદમાં પણ કોઈ કલર કે એસન્સ કે પ્રિજવેટિવ એડ કરવામાં આવતા નથી. આ ગુલકંદ બારેમાસ કોઈપણ ખાઈ શકે છે અને ગરમીઓમાં તે અત્યંત ગુણકારી સાબિત થાય છે.
મધુધારા ફાર્મ દ્વારા બનાવેલા મધ-ગુલકંદના કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર અફલાતૂન!
આજકાલથી નહીં પરંતુ અનાદીયુગથી ગિફ્ટમાં ગળી વસ્તુઓ આપવાનું ચલણ રહ્યું છે. આ ચલણ છેલ્લે ક્યાંક એકમાત્ર ચોકલેટ પર આવીને અટકી ગયું હતું. જોકે હવે મિત્રોથી લઈ મોટાગજાની વ્યક્તિઓને વિવિધતસભર ગુણકારી ગળી વસ્તુઓ ગિફ્ટમાં આપવી હોય તો મધુધારા ફાર્મ દ્વારા મધ-ગુલકંદના અફલાતૂન કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર બનાવવામાં આવ્યા છે. અટ્રેક્ટિવ પેકિંગ અને તેની અંદર નેચર ફ્રેન્ડલી, હાઈજીન, હેલ્થ જેવી બાબતોને અગ્રતા આપી બનાવેલા વિવિધ ફ્લેવર્સના મધ અને ગુલકંદ. મધુધારા ફાર્મના કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર અલગ-અલગ સાઈઝ અને બજેટ મુજબ કસ્ટમાઈઝ પણ કરી આપવામાં આવે છે. મધુધારા ફાર્મની વધુ વિગતો તેમના હની હાઉસ શો રૂમ તેમજ વેબસાઈટ પરથી મળી રહેશે.
મધુધારા ફાર્મના મધ, ગુલકંદ અને કેસર મેળવવા સંપર્ક-સરનામું
મધુધારા હની હાઉસ
બી-29, ઉદ્યોગનગર-4, ઉદ્યોગનગર પીજીવીસીએલ સામે, રાજકોટ
મો.નં. 9662166770
સમય સવારે 9થી સાંજે 7
: વેબસાઈટ :
www.madhudhara.com