ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમ્રગ ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવે છે,તેમજ આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
- Advertisement -
સ્વચ્છતા માટેના સ્વૈચ્છિક અને સામુહિક પ્રયાસોને મજબુત કરવા “સ્વચ્છતા હી સેવા” પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત કમિશનર ડો.ઓમ પ્રકાશના માર્ગદર્શન અને નાયબ કમિશનર એ.એસ.ઝાપડા, આસિ.કમિશનર જયેશભાઈ પી.વાજા તથા સેક્રેટરી અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ કલ્પેશભાઈ જી. ટોલીયાની સુચના અન્વયે શહેરમાં દૈનિક જુદી જુદી થીમ સાથે ખાસ સફાઈ અભિયાન શરુ કરવામાં આવેલ જેમાં શહેરના જાહેર શૌચાલયો, રીક્ષા સ્ટેન્ડ, પીકઅપ સ્ટેન્ડ તથા ધોરીમાર્ગોની સફાઈ અને સ્વચ્છતા જન જાગૃતિ માટે શેરી નાટકો કરવામાં આવ્યા,આ કાર્યક્રમના માધ્યમથી શહેરને સ્વચ્છ રાખવામાં મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા શહેરી જનોને અનુરોધ કરવામાં આવ્યો હતો.