કંપનીમાં કેમિકલના લીધે જીવજંતુ, પશુઓ અને માનવ જીવન પર પણ ખતરો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
દેશને સર્વોચ્ચ ટોચ પર લઇ જવા માટે ઇન્ડસ્ટ્રીઝ અને રોજગારી ખૂબ જ જરૂૂરી છે પરંતુ સ્થાનિકોના જીવન જોખમે ઇન્ડસ્ટ્રીઝ સ્થાપવી કેટલા અંશે સારી વાત કહી શકાય ? ત્યારે આ પ્રકારનો પ્રશ્ર્ન પણ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે ઉદભવ થયો છે જેમાં ધ્રાંગધ્રા – માલવણ હાઇવે પર આવેલા હરીપર ગામ સામે કેમિકલ ઓકતી કંપની નિર્માણ થઈ રહી છે જે કંપની દ્વારા દર મહિને ત્રણ હજાર ટન જેટલું કેમિકલ ઉત્પાદન કરશે જે અંગે આ કંપનીને શરૂ કરવા હરીપર ગામ ખાતે જિલ્લા કલેકટર તથા જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની ઉપસ્થિતિમાં પબ્લિક હિયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીના શરૂ થયા પછી જે પ્રકારે કેમિકલ ઉત્પાદન સમયે થતાં નુકશાન અંગે સમીક્ષા કરતા આજુબાજુના દશ કિલોમીટર કરતાં વધુ વિસ્તાર પ્રભાવિત થવાની અંદાજ લગાવવામાં આવ્યો છે.
- Advertisement -
ખાસ કરીને હરીપર ગામની સર્વે નબર 659, 671 અને 672 પૈકી 1 વાળી જમીન પર જે પ્રકારે આ ઝેર ઓકતી કંપનીને સ્થાપિત કરાઈ છે તે હાઇવેથી માત્ર 30 મીટર દૂર છે અને હરીપર ગામ માત્ર 76 મુઆત્ર દૂર છે. કંપનીના નજીક અતિસંવેદનશીલ તરીકે ગણવામાં આવતા સ્કૂલ અને હોસ્પિટલ, અભ્યારણ્ય વિસ્તાર પણ ખુબજ નજીક હોવાના લીધે સ્કૂલના બાળકો, હોસ્પિટલમાં બીમાર દર્દીઓ અને અભ્યારણ્ય વિસ્તારમાં પશુઓને નુકશાનીનો અંદાજો લગાવી શકાય છે. આ કંપનીમાં કુલ પાંચ પ્રકારના કેમિકલનું ઉત્પાદન થઈ શકે છે. જે માનવ જીવન માટે અતિ ખાતર રૂપી સાબિત થાય ટીમ છે ત્યારે આ પ્રકારે કેમિકલ ઓકતી કંપની સામે સ્થાનિકો દ્વારા હાલ રોષ ભભુકી ઉઠયો છે અને કેમિકલ ઓકતી કંપનીને શરૂ નહિ કરવા માટે હરીપર, ઈશદ્રા, વાવડી સહિતના ગામોના રહીશો દ્વારા માંગ કરાઈ છે.