ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ
કોડીનાર નગરપાલિકા ખાતે પ્લાસ્ટિક મૂક્ત શહેર અભિયાન અંતર્ગત કોડીનારના વેપારીઓ સાથે વર્કશોપ યોજાયો હતો તેમજ પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા અંગે લોકજાગૃતિ રેલી યોજાઈ હતી.
આ રેલીમાં કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવા સોલંકી, ચીફ ઓફિસર વિનોદભાઈ રાઠોડ તેમજ દરેક વોર્ડના સભ્યો તથા નગરપાલિકાના સ્ટાફ દ્વારા કોડીનારની મુખ્ય બજારોમાં ફરી અને કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રેલી દરમિયાન તમામ સભ્યોએ બજારોમાં ફરી અને દુકાનદારો તેમજ લારી અને ગલ્લાવાળાઓને પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડની થેલીનો વપરાશ કરે તે અંગે સમજૂતી આપી હતી. વર્કશોપમાં વેપારીઓ અને દુકાનદારો દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
કોડીનારમાં પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા અંગે લોકજાગૃતિ રેલી યોજાઈ
