150 ટન કોલસો, ચરખી, ડિટોનેટર, બકેટ સહિત 13 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફીયાઓ દ્વારા ખનિજ સંપતિને નુકશાન કરી દરરોજ કરોડો રૂપિયાનું ખનિજ બરોબર સગેવગે કરતા હતા તેવામાં એક બીજા અધિકારીની એન્ટ્રી થતા હવે એક બાદ એક કોલસાના કોલસાના ગેરકાયદે ખનન પર દરોડા કરી ખનિજ માફિયાઓને ધૂળ ચાટતા કરી દીધા છે જોકે ખનિજ માફીયાઓ પણ “ઝુકેગા નહીં” માફક પ્રાંત અધિકારીના અનેક દરોડા બાદ પણ કોલસાનું ખનન બંધ કરવામાં નથી ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા થાનગઢ તાલુકાના વેલાળા ગામે ચાલતા કોલસાના ગેરકાયદેસર ખનન પર ગઈ કાલે સાંજે દરોડો કર્યો હતો આ કોલસાનું ગેરકાયદેસર ખનન વેલાળા ગામના ખાનગી માલિકીની સર્વે નંબર 29 વળી જમીન પર ચાલતી હતી જ્યારે પ્રાંત અધિકારી અને ટીમ દ્વારા સ્થળ પર દરોડો કરી 150 ટન કોલસાનો જથ્થો, 200 નંગ ડીટોનેટર, 850 મીટર પાઇપ, દશ ચરખી, વીસ બકેટ, 60 મીટર સેફ્ટી ફ્યુઝ, 225 નંગ સુપર પાવર બેટિંગ વિસ્ફોટક, પાચ સબ મસિબલ પંપ, એક મોબાઇલ સહિત કુલ 13 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરાયો હતો આ સાથે જે જમીન પર કોલસાની ખાણો ચાલતી હતી તે જમીનની માપણી કરવાની અને 65 કબજેદાર ઈસમો વિરુધ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી.