ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીનાં સભ્યોએ નરસિંહ મહેતા યુનિવર્સિટીની મુલાકાતે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
ગુજરાત ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ ખાતેથી સિનીયર પ્રોગ્રામ મેનેજર નિલેષ ભારતિય અને સંજય વાલંદે મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સંજયભાઇએ જણાવ્યુ હતુ કે થેલેસેમિયા અંગે યુવાવસ્થાએ જાગૃતિ ખુબ આવશ્યક છે. થેલેસેમિયા માઈનોર હોવાનું સામાન્ય રીતે ઓછાો ખ્યાલ આવે છે. પરંતુ થેલેસેમિયાનાં બે માઇનોર વ્યકતિ દંપતિ તરીકે જો લગ્નગ્રંથીથી જોડાય ત્યારે તેમનાં સંતાનો મેજર થેલેસમિયા હોવાની શક્યતા વધી જાય છે.
- Advertisement -
ભારતમાં સિકલ સેલ પણ એક વ્યાપક રોગ છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળ જેવા કેટલાક પ્રદેશોમાં કેટલાક સમુદાયોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. સિકલ સેલ જિનનું કેરિયર પ્રમાણ 1% થી 35% સુધી હોય છે, તેથી અનેક લોકોને સિકલ સેલ રોગ હોય છે.થેલેસેમિયા અને સીકલ સેલ રોગ હેમોગ્લોબિનોપથીઝ તરીકે ઓળખાય છે. આ બંને રોગ લોહીના રક્તકણોને લગતી સમસ્યા સર્જે છે. થેલેસેમિયા અને સીકલ સેલ રોગ એક પ્રકારે જીનેટીક ડિસઓર્ડર છે જે લોહીમાં રહેલા હિમોગ્લોબિનના સ્ટ્રક્ચર અને પ્રોડક્શનને નકારાત્મક અસર કરે છે.ગુજરાતના નાગરિકોમાં થેલેસેમિયા અને સિકલ સેલ જેવી હેમોગ્લોબિનોપથીઝને નાબૂદ કરવા માટે રેડ ક્રોસે થેલેસેમિયા અને સિકલ સેલ પ્રિવેન્શન પ્રોગ્રામશરૂ કર્યો છે.આ પ્રોગ્રામ દેશની અન્ય આરોગ્ય સુરક્ષા સંસ્થાઓ માટે પણ પ્રેરણાસ્રોત બની ગયો છે. ગુજરાતની રેડ ક્રોસની આ કામગીરીએ અનેક રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય સ્તરના બહુમાન પ્રાપ્ત કર્યા છે.