વેપારીઓએ ચીન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણ મળી આવ્યું હતું. જેના વિરોધમાં સમગ્ર દેશમાં લસણની હરાજી સામે હડતાળ જાહેર કરવામાં આવી છે. આજે ગોંડલ સહિતના માર્કેટિંગ યાર્ડોમાં પણ લસણની હરાજી બંધ રાખવામાં આવી છે અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. વેપારીઓ યાર્ડ ખાતે એકઠા થયા હતા અને ચીન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ આ પ્રકારનું લસણ ગેરકાયદે રીતે ભારતમાં ન ઘૂસી જાય તેના તકેદારીના પગલા લેવાય તેવી માગ કરી છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેપારીના પ્રમુખ યોગેશ ક્યાડાએ જણાવ્યું છે કે, અત્યારે જે આપણા ભારત દેશમાં ચીનનું લસણ જે ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવે છે અને કાળો કારોબાર કરવામાં આવે છે. તેના વિરોધમાં સમગ્ર ભારત વર્ષના માર્કેટયાર્ડમાં એના હડતાલ રૂપે, એનું પ્રતિકારરૂપે જ્યારે હડતાળ જાહેર કરવામાં આવી હોય ત્યારે અમે ટેકો જાહેર કરીએ છીએ.
આ લસણ આપણા ખેડૂતો માટે અને ખાવા માટે પણ સ્વાસ્થ્યમાં એટલું હાનિકારક હોય, 2006માં જ ભારતની કેન્દ્ર સરકારે આ લસણના ઉપર પ્રતિબંધ જાહેર કર્યો છે. તો બિન કાયદેસર રીતે જે લસણ ભારતમાં ઘુસાડવામાં આવે છે, તેની તકેદારીના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવે, તેના માટે અમે એક દિવસ પૂરતું સમગ્ર ભારત વર્ષના માર્કેટ યાર્ડમાં લસણની હરાજીનું કામકાજ બંધ રાખ્યું છે. તેના સપોર્ટમાં અમે અહીં ગોંડલ માર્કેટ યાર્ડમાં એક દિવસની હડતાલ જાહેર કરી છે.
ચીનનું લસણ કડીમાં થોડુંક મોટું આવે છે અને આપણી લસણને જે આપણું દેશી લસણ હોય છે તેના કરતા તેની સાઈઝ કરતા થોડી મોટી હોય છે. જે આપણો હિમાચલ ક્વોલેટી આવે છે એને લાગુ પડતું લસણ હોય છે. ચીનનું લસણ બ્લીચ કરેલું હોય છે. કેમકે એ લસણ ત્યાં બહુ ઉપર ફોતરું ને એવું ગંદુ હોય છે તેને બ્લીચ કરવામાં એને સાફ કરવા માટે બ્લીઝ કરવું પડે છે. જેના કારણે તેની અંદર ફંગલ અને કેમીકલના ભાગ આવે છે. એવું બધું જે ખાવા માટે પણ હાનિકારક હોય એના માટે આપણે લસણ ભારત સરકારે બેન કરેલો છે.
સાવલિયા ટ્રેડિંગના મનિષ સાવલિયાએ જણાવ્યું હતું કે, અમે બધા ચીનના લસણના વિરોધમાં આજે એકઠા થયા છીએ. જે ગેરકાયદેસર રીતે ભારતમાં આવ્યું છે. ક્ધટેનરના ક્ધટેનરો ભારતના માર્કેટમાં ઠલવાય છે. જેને લીધે આપણા ભારત દેશના તમામ ખેડૂતોને જે દિવસ-રાત મહેનત કરે છે. તેમને નુકસાન થાય છે, ભાવમાં વળતર પુરુ મળતું નથી. જેના વિરોધમાં અમે આખા ભારતના તમામ લસણના વેપારીઓ બંધ માટે આજે જોડાયા છીએ. તો તમામ વેપારીઓને હું વિનંતી કરું છું કે આજના દિવસે પૂરો સહકાર આપીને તમામ એપીએમસીનું કામ બંધ રાખે અને કેન્દ્ર સરકાર જેથી આ ગેરકાયદેસર રીતે આવતા ચીનના માલને અટકાવી શકે.
સુલતાનપુરના ખેડૂત ગીરીસભાઈ દામજીભાઈ ગોંડલીયાએ જણાવ્યું છેકે, આ લોકોએ આજે બંધ પાડેલું હતું. તેના ટેકામાં અમે અત્યારે ભેગા થયા છીએ. ચીન લસણ અમને આ પોષણ ભાવમાં અત્યારે બહુ જ નડે એમ છે. આ ચાર પાંચ વર્ષે એક દિવસ અમારા ભાવ સારા મળે એમ હોય તેવામાં થોડાક નીચામાં બજાર જાય તો અમને બહુ મોટી નુકસાન થાય એમ છે એટલે અમે આ વિરોધમાં જોડાયા છીએ. ચીનના લસણને બેન કરવું પડશે.