અધિકારીએ કહ્યું- સાંબામાં આ પોસ્ટ પર મહિલા સૈનિકોએ પાકિસ્તાની હુમલા સામે બહાદુરીથી મુકાબલો કર્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27
- Advertisement -
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન સામેની તેની કાર્યવાહી વિશે માહિતી જણાવી હતી. આ દરમિયાન, એક પોસ્ટનું નામ સિંદૂર અને બે અન્ય પોસ્ટનું નામ શહીદ જવાનોના નામ પર રાખવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. BSFના આઈજી જમ્મુ શશાંક આનંદે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન, BSFની મહિલા સૈનિકોએ ફોરવર્ડ પોસ્ટ પર લડાઈ લડી હતી. ઇજઋ પોસ્ટ પર ડ્રોન હુમલા અને ફાયરિંગ દરમિયાન, અમે સબ-ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ, કોન્સ્ટેબલ દીપક કુમાર અને ભારતીય સેનાના નાયક સુનીલ કુમારને ગુમાવ્યા. તેથી અમે અમારી બે પોસ્ટ્સને અમારા ગુમાવેલા જવાનોના નામ પર અને એક પોસ્ટનું સિંદૂર નામ રાખવાનો પ્રસ્તાવ મૂકીએ છીએ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે મહારાષ્ટ્રના નાંદેડમાં કહ્યું: ઓપરેશન સિંદૂરએ દુનિયાને સંદેશ આપ્યો છે કે જે કોઈ પણ ભારતીય સેના, તેના લોકો અને સરહદનો સામનો કરશે તેને યોગ્ય જવાબ મળશે. જો કોઈ હુમલો કરશે તો ગોળીનો જવાબ ગોળાથી આપવામાં આવશે. શાહે કહ્યું- પાકિસ્તાન ભૂલી ગયું છે કે નરેન્દ્ર મોદીની સરકાર દેશમાં 11 વર્ષથી સત્તામાં છે. આતંકવાદીઓએ ઉરી પર હુમલો કર્યો, અમે સર્જિકલ સ્ટ્રાઈક કરી. તેમણે પુલવામામાં હુમલો કર્યો, અમે હવાઈ હુમલો કર્યો.
હવે જ્યારે તેમણે પહેલગામ પર હુમલો કર્યો, ત્યારે ઓપરેશન સિંદૂર હેઠળ તેમના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. બીજી તરફ, આજે પહેલગામમાં જમ્મુ અને કાશ્મીર સરકારની ખાસ કેબિનેટ બેઠક યોજાશે. આ પહેલી વાર છે જ્યારે ઓમર અબ્દુલ્લા સરકારની કેબિનેટ બેઠક ઉનાળુ રાજધાની શ્રીનગર કે શિયાળુ રાજધાની જમ્મુ સિવાય અન્યત્ર યોજાઈ રહી છે. 22 એપ્રિલે, પહેલગામમાં જ, આતંકવાદીઓએ 26 પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછીને મારી નાખ્યા હતા.