પથ્થર લીઝના નિયમો ભંગ બદલ ત્રણ ચરખી જપ્ત કરી સીઝ કરવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
- Advertisement -
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થાનગઢ પંથકમાં ચાલતા ગેરકાયદેસર ખનિજ ખનન બાદ હવે મૂળી પંથકના ગ્રામ્ય વિસ્તારોને ધમરોળ્યા છે. જેમાં એક બાદ એક દરેક ગામોમાં ચાલતા કોલસા અને સફેદ માટીના ગેરકાયદેસર ખનન પર દરોડા કરી કાર્યવાહી હાથ ધરાઇ હતી જે બાદ હવે મૂળી તાલુકાના દાધોળિયા ગામે ચાલતી સિયારામ મિનરલ્સ પથ્થરની ખાણ પર ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા તપાસ કરતા લીઝના કેટલાક નિયમોનું ઉલંઘન થતું હોવાનું સામે આવ્યું હતું જેને લઈ સિયારામ મિનરલ્સ ખાતેથી ત્રણ ચરખીના સેટ કિંમત 9 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી સીઝ કરવામાં આવ્યો હતો આ સાથે પથ્થર લીઝના માલિક વિરુધ નિયમોના ઉલંઘન બદલ કાર્યવાહી પણ હાથ ધરાઈ છે.