જૂનાગઢ કે ગુજરાત નહીં ભારતભરમાં વસ્તુનું વેંચાણ થશે
ગુજરાતમાં સૌપ્રથમ વખત જૂનાગઢની જિલ્લા પંચાયતની પહેલ : સખી મંડળનાં બહેનોેની સ્વરોજગારીમાં વધારો થશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા સખી મંડળનાં બહેનોને સ્વરોજગારી મળી રહે તે માટે સોશિયલ મિડિયાનાં પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યુ છે. જિલ્લાનાં સખી મંડળનાં બહેનો દ્વારા ઉત્પાદીત 32 જેટલી વસ્તુનું એમેઝનો ચેનલ અને સાઇટ સાથે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. હવે જૂનાગઢનાં બહેનનો દ્વારા ઉત્પાદીત વસ્તુઓ જૂનાગઢ કે ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્રભારતમાં મળી રહશે. આ પ્રયોગથી બહેનોની સ્વરોજગારીમાં વધારો થશે અને બહેનો આત્મનિર્ભર બનશે. તાજેતરમાં જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા સખી મંડળનાં બહેનો દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓનાં વેંચાણ માટે ગોંડલની સંસ્થા સાથે એમઓયુ કર્યાં હતાં. આ સંસ્થાનાં કારણે બહેનોને દ્વારા ઉત્પાદીત વસ્તુનું વિદેશ સુધી માર્કેટીંગ થઇ રહ્યું છે. જૂનાગઢ જિલ્લામાં આવેલા સખી મંડળનાં બહેનોને વધુમાં વધુ સ્વરોજગારી મળી રહે અને આત્મનિર્ભર બને તેવા પ્રયાસ જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરિખ, જિલ્લા પ્રમુખ શાંતાબેન ખટારિયા અને ટીમ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. ત્યારે સખી મંડળનાં બહેનો દ્વારા ઉત્પાદીત પ્રાકૃતિક વસ્તુને વૈશ્ર્વિક ફલક મળી રહે તે માટે સોશિયલ મિડિયાનાં માધ્યથી એમેઝોન દ્વારા ખાસ સાઇટ બનાવવામાં આવી છે.
આ સાઇટનું ઇ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જિલ્લાભરમા અનેક સખી મંડળની બેહનો દ્વારા પ્રાકૃતીક ચીઝ વસ્તુમાંથી બનાવેલ પ્રોડક્ટને રાજ્યની સાથે દેશભરમા પૂરતું માર્કેટિંગ મળી રહે અને સખી મંડળની બેહનો પોતે આત્મનિર્ભર બનીને વધુ પગભર થાય તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરિખે કહ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ વખત જૂનાગઢમાં આ પહેલા કરવામાં આવી છે. એમેઝોન પર જુદીજુદી વસ્તુઓને રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ પ્રયાસથી બહેનોએ બનાવેલી વસ્તુનું માત્ર જૂનાગઢ કે ગુજરાત નહી પરંતુ ભારતભરમાં માર્કેટ મળી રહેશે. અમારો હેતું બહેનો વધુને વધુ સ્વરોજગારી મળે અને પગભર થાય તેવો છે.

- Advertisement -
જિલ્લામાં પ્રથમ વખત વિદ્યાદાન પ્રોજેકટનો પ્રારંભ
જૂનાગઢ જિલ્લામાં તાલુકા કક્ષાએ લાઇબ્રેરી બનાવવામાં આવી છે. આ અંગે ડીડીઓ મિરાંત પરિખે કહ્યું હતું કે, જિલ્લામાં 18 લાઇબ્રેરીનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતમાં પ્રથમ વખત જૂનાગઢ જિલ્લામાં વિદ્યાદાન પ્રોજેકટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટ અંતર્ગત લોકો પુસ્તકનું દાન કરી શકશે. જેમાં બાળકો, વડિલો અને સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયાર કરતા યુવાનોને ઉપયોગી થાય તેવા પુસ્તકનું દાન કરી શકાશે. પુસ્તકના દાન માટે જિલ્લા પંચાયત કચેરી જૂનાગઢ અથવા તાલુકા પંચાયત કચેરીએ સંપર્ક કરી દાન આપી શકાશે. લોકો વધુમાં વધુ પુસ્તકનું દાન કરે તે જરૂરી છે.
સખી મંડળનાં બહેનો દ્વારા ઉત્પાદીત વસ્તુ ખરીદવા આહ્વાન
જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરિખે લોકોને અપિલ કરતા કહ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં સખી મંડળનાં બહેનો દ્વારા ઉત્પાદીત વસ્તુની વધુમાં વધુ ખરીદી કરવી જોઇએ. જેના કારણે સખી મંડળની બહેનો પગભર થાય અને વધુ આવક મેળવી શકે તથા બહેનો દ્વારા નિર્મિત વસ્તુઓ વૈશ્ર્વિક બજાર પણ મળે તેમજ બહેનોને સ્વરોજગારી મળી રહે.



