વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 18 એટલે કે સોમવારથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે પ્રથમ દિવસે જ ગુજરાત રાયના કમાન્ડો કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ માંથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ત્રણ શાળાની મુલાકાત લેનાર છે. મુલાકાત લઈને ગુજરાત રાયના એડીશનલ સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર દ્રારા ત્રણ શાળાઓને વાર્તાલાપ પૂર્વે આજે રિહર્સલ કરવાના આદેશ આપ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છો પ્રથમ દિવસે સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શાળાની મુલાકાત લેશે.તાજેતરમા વોશિંગ્ટનથી વલ્ડ બેન્કના ગ્લોબલ એયુકેશન ડાયરેકટર હાઇમે સાવેદરાની આગેવાનીમા ગુજરાતના શાળા શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા આમૂલ પરિવર્તનનો અભ્યાસ કરવા માટે રાયની મુલાકાત લીધી હતી.ગુજરાતનાં શાળા શિક્ષણ ક્ષેત્રે . 10,000 કરોડના ખર્ચે મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ દ્રારા થઈ રહેલા આમૂલ પરિવર્તન અને કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર મારફતે થઈ રહેલા ડેટા આધારિત ઈનીશીએટિવ્સથી પ્રભાવિત થઈને કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટરનો અને શૈક્ષણિક સુધારાઓનાં ગુજરાત મોડેલનો જાતે અભ્યાસ કરી તેને ગ્લોબલ બેસ્ટ પ્રેકિટસ જાહેર કરવા માટે ની દિશામા પ્રયાસ કરવામા આવી રહ્યો છે.
જેમાં બનાસકાંઠાના અંબાજીમાં કચ્છના મુન્દ્રા તાલુકાના વાંકી ખાતે તાપીના કુકરમુંડાના ઊટાવદર એમ ત્રણ શાળાઓમાં વડાપ્રધાનના વાર્તાલાપ પૂર્વે આજે રિહર્સલ કરવાના આદેશ કરવામાં આવ્યા છે.પોલીસ રજા રદ અધિક પોલીસ મહાનિર્દશકે પરિપત્ર કર્યેા જાહેરગુજરાતના પ્રવાસે વડાપ્રધાન આવવાના હોવાથી પોલીસ કર્મીઓની રજા પર પ્રતિબધં મૂકવામા આવ્યો છે.તા.18 એપ્રિલ થી 20 એપ્રિલ સુધી વડાપ્રધાન તેમજ 24 એપ્રિલ સુધી વીવીઆઈપી ગુજરાતની મુલાકાતે હોવાથી રજા પર પ્રતિબધં મુકવામાં આવ્યો તમામ પોલીસ અધિકારી,અને કર્મચારીઓની અનિર્વાય સંજોગો સિવાયની રજા મંજૂર કરવા પર તા.24 એપ્રિલ સુધી પ્રતિબધં મુકવામાં આવ્યો છે.