વડાપ્રધાન મોદીના માતા હિરાબાની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓને UN મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આથી કદાચ એમ કહી શકાય કે હીરાબાની તબિયત લથડતા કદાચ PM મોદી અમદાવાદ આવે તો નવાઇ નહીં.
વડાપ્રધાન મોદીના માતા હીરાબાને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન મોદીના માતા હીરાબાને અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. જેઓની તબિયત નાદુરસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ અંગે સત્તાવાર વિગતો સામે નથી આવી. વડાપ્રધાન મોદીના માતા કે જેઓ 100 વર્ષના છે. જ્યારે પણ વડાપ્રધાન મોદી ગુજરાત આવે ત્યારે તેઓ અચૂકથી માતાને મળવા માટે જાય છે. આથી કદાચ એમ કહી શકાય કે હીરાબાની તબિયત લથડતા કદાચ વડાપ્રધાન મોદી અમદાવાદ આવે તો નવાઇ નહીં. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે વડાપ્રધાન મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારને પણ અકસ્માત નડ્યો હતો.
- Advertisement -
ગઇકાલે વડાપ્રધાન મોદીના ભાઇની કારને અકસ્માત નડ્યો હતો
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદી મંગળવારે તેમના પરિવાર સાથે માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ ઘટના કર્ણાટકના મૈસૂરમાં બની હતી. અકસ્માત સમયે તેમની સાથે કારમાં તેમની પત્ની, પુત્ર અને પુત્રવધૂ સહિત કુલ 5 વ્યક્તિ કારમાં હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં તેમના પુત્ર અને પુત્રવધૂને ઈજાઓ પહોંચી હોઇ તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ જ્યારે આ અકસ્માત થયો ત્યારે તે કારમાં મૈસૂર (કર્ણાટક) પાસે બાંદીપુરા જઈ રહ્યા હતા. તેમની કારને કડાકોલામાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેમની કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. આ અકસ્માતમાં તેમના પુત્ર અને પુત્રવધૂને નાની-મોટી ઈજાઓ પહોંચ્યા દાખલ કરવામાં આવ્યા હતા.



