ખાદ્યચીજોનો મોંઘવારી દર હજુ રિઝર્વ બેન્કનાં ‘કમ્ફર્ટ ઝોન’થી ઉંચો: મૌસમનાં મારનો પણ પ્રભાવ
ખાસ-ખબર સંવાદદાતા
રીટેઈલ તથા હોલસેલ મોંઘવારી દરમાં સતત ઘટાડો છતાં દુધ-દાળ જેવી ખાદ્યચીજોમાં કોઈ રાહત મળતી નથી અને ભાવો બેકાબુ જ રહ્યા છે દુધ-દાળ ઉપરાંત ઘઉં તથા ચોખાના ભાવ પણ ઉંચા છે અને રીઝર્વ બેન્કનાં કમ્ફર્ટ ઝોનથી વધુ છે.
કેન્દ્ર સરકારે હોલસેલ ફુગાવાનો આંક જાહેર કર્યો હતો તે નેગેટીવ હોવાનું જાહેર કરાયુ હોવા છતતાં ખાદ્યચીજોનાં ભાવો અને તેનો મોંઘવારી દર ઉંચો જ હોવાનું બહાર આવ્યુ છે. દાળ તથા અનાજની કિંમતોમાં સૌથી મોટો ભાવ વધારો રહ્યો હતો.દાળનો ફૂગાવો એપ્રિલ-2022 માં 0.34 ટકા હતા તે એપ્રિલ 2023 માં 5.55 ટકા નોંધાયો છે.માર્ચ 2023 માં 3.03 ટકા હતો. આજ રીતે ધાન (અનાજ)નો ફૂગાવો એપ્રિલ 2022 માં 1.48 ટકા હતો તે એપ્રિલ 2023 માં 7.12 ટકા રહ્યો છે.માર્ચ 2023 માં તે 7.75 ટકા હતો. એપ્રિલમાં ખાદ્ય ચીજોનો સરેરાશ મોંઘવારી દર 3.54 ટકા હતા તે માર્ચમાં 5.48 ટકા રહ્યો હતો. રીઝર્વ બેન્કનાં કમ્ફર્ટઝોન અંતર્ગત તે પાંચ ટકાથી નીચે આવે તે જરૂરી છે.
દુધના ભાવમાં પણ સ્થિતિ સમાન છે અને ભાવ સતત વધી રહ્યા છે.દુધનો જથ્થાબંધ ફૂગાવો ગત એપ્રિલનાં 5.56 ટકા હતો. તે આ વખતે 7.1 ટકા રહ્યો છે. માર્ચમાં 8.48 ટકા હતો.ઘઉંનો ફૂગાવો એપ્રિલ 2022 માં 11.02 ટકા હતો તે એપ્રિલ 2023 માં ઘટીને 7.27 ટકા રહ્યો છે.માર્ચ 2023 માં 9.16 ટકા હતો.
સરકારનાં જ રીપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે છેલ્લા એક વર્ષમાં દુધ, ધાન, જેવી ચીજોની કિંમત વધી છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે કલાયમેન્ટ ચેંજની અસર પણ ખેત ઉત્પાદનો-ખાદ્યચીજો પર પડી રહી છે. અનિશ્ર્ચિત વાતાવરણમાં માવઠાનાં મારથી ઘઉ,ધાન, કઠોળ, દાળ, જેવી ચીજોનાં ઉત્પાનને અસર થઈ છે. વેપારીઓ અછત સર્જાવાની ગણતરીએ સંગ્રહ કરવા લાગ્યા છે. પરીણામે ભાવ મોરચે અસર થવાનું જોખમ છે.