ઊનાના નાઠેજ ગામે સ્વેચ્છાએ લોકોએ 4 કરોડની જમીન પરનું દબાણ દૂર કર્યું
ઈણાજ ગામે સતત બીજા દિવસે દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહે ડી. જાડેજાનું અત્રેના જિલ્લામાં નિમણૂક થઈ ત્યારથી સતત જિલ્લામાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની ઝુંબેશ ચાલુ છે. જેનો લોકો દ્વારા પણ સ્વેરછાએ દબાણ દૂર કરી વહિવટી તંત્ર નો સંપૂર્ણ સહયોગ આપ્યો છે. કલેકટરશ્રીના માર્ગદર્શન અને નેતૃત્ત્વ હેઠળ જિલ્લા તંત્રના વિવિધ અધિકારીઓશ્રી દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી જિલ્લામાં અવિરત અને પૂરજોશમાં ચાલુ છે.આજરોજ જિલ્લાના ઉના તાલુકાના નાંઠેજ ગામે ગૌચરની અંદાજે 40,468 ચો.મી. જમીન જેની અંદાજિત બજાર કિંમત 4,04,68,000 ની કિંમતની ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવી.હજુ પણ કાર્યવાહી ચાલુમાં છે.
- Advertisement -
તેમજ વેરાવળ તાલુકાના ઈણાજ ગામે રસ્તા ઉપર થયેલ ગેરકાયદેસર દબાણ બાબતે આજરોજ 22,234 ચોરસ મીટરનું ગેરકાયદેસર ગૌચર ઉપર થયેલ દબાણ હટાવવામાં આવ્યું. આમ કુલ 2 દિવસમાં 28,204 ચો.મી.નું અંદાજીત 2,53,83,600 રૂપિયાની બજાર કિંમતના રસ્તા તેમજ ગૌચર પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવેલ છે. આમ, જિલ્લા કલેકટર દ્વારા જણાવેલ કે લોકોના સહયોગથી દબાણ દૂર કરવાની કાર્યવાહી દ્વારા કરોડો રૂપિયાની સરકારી મિલકત બચાવવામાં સફળતા સાપડી છે.આગામી સમયમાં પણ આ દબાણ દૂર કરવાની ઝુંબેશનો પ્રવાહ લોકભાગીદારીથી ચાલુ રહેશે તેમ જણાવેલ છે.