ટ્રાન્સફોર્મર અને વીજ વાયર પર ઝાડી ઝાંખરા હજુય હટાવાયા નથી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
સુરેન્દ્રનગર જિલ્લાનું વીજ તંત્ર સાવ ખડે ગયું હોય તેમ સામાન્ય વરસાદમાં પણ કલાકો સુધી લાઈટ ગુલ થવાના પ્રશ્નો સર્જાય છે. ત્યારે પી.જી.વી.સી.એલ તંત્ર દર વર્ષે ચોમાસાની સિઝન પૂર્વે પ્રિમોન્સુન કામગીરી આરંભે છે છતાંય પરિસ્થિતિમાં કોઈ બદલાવ આવતો નથી. તેવામાં ધ્રાંગધ્રા ખાતે પી.જી.વી.સી.એલ.તંત્રની પ્રિ મોન્સુન કામગીરીના ધજાગરા ઉડાવતા જીવ મળ્યા હતા. જેમાં ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં ચોમાસાની સિઝન શરૂ થયા બાદ પણ મોટાભાગના ટ્રાન્સફોર્મર અને વીજ વાયરો તથા વીજપોલ પર ઝાડી ઝાઝરા નજરે પડે છે. વીજ તંત્રની પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ પર થતી હોય જ્યારે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીની સમસ્યા યથાવત રહે છે.
- Advertisement -
જેના લીધે સામાન્ય વરસાદમાં પણ કલાકો સુધી લાઈટ ગુલ થઈ જાય છે અને અવર નવાર જીવતા વીજ વાયરો નીચે પટકાવવાની ઘટનાઓ બનતી હોય છે આ પ્રકારની ઘટના ગત વર્ષે બાળકીનો ભોગ લીધો હતો છતાં પણ હજુય પી.જી.વી.સી.એલ તંત્રને આંખ ઊઘડતી ન હોય તેમ ટ્રાન્સફોર્મર, વીજ વાયર અને વીજ પોલ પર ઝાડી ઝાખરાઓની સ્થિતિ યથાવત જોવા મળે છે આ મામલે ધ્રાંગધ્રાના સામાજિક કાર્યકર શાંતિલાલ રાઠોડ દ્વારા પી.જી.વી.સી.એલ તંત્રને તાત્કાલિક પ્રિમોન્સુન કામગીરી કરવા માંગ કરી છે.