મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ અને અધ્યાપક
સ્વખર્ચે દર વર્ષે એનાયત કરે છે એવોર્ડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા..05
- Advertisement -
વિદ્યાર્થીઓની આંતરિક પ્રતિભા ખીલે અને શૈક્ષણિક જ નહીં પરંતુ સામાજિક અને માનસિક એમ સર્વાંગી વિકાસ થાય એ હેતુથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નું મનોવિજ્ઞાન ભવન છેલ્લા પાંચ વર્ષથી ભવનના વિદ્યાર્થીઓને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ ક્લાસરૂમ અને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ ડિપાર્ટમેન્ટ એવોર્ડ આપી રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવને ભવનના વિદ્યાર્થીઓને તેમની વિવિધ પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક તેમજ સામાજિક વિકાસને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ વિવિધ એવોર્ડ આપ્યા.
જેમાં એમ.એ. સેમેસ્ટર 2 માં દેસાઈ ઉન્નતિને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ ક્લાસરૂમ એવોર્ડ, એમ.એ સેમેસ્ટર 4 માં સાખટ ગણેશને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ ક્લાસરૂમ એવોર્ડ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ક્લિનિકલ કાઉન્સેલિંગમાં રાઠોડ સેજલને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ ક્લાસરૂમ એવોર્ડ અને ખાસ ડિપ્લોમા નો જ અભ્યાસ કરતી વિદ્યાર્થીની બારીયા પ્રજ્ઞાને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ ડિપાર્ટમેન્ટ એટલે કે ભવનની બેસ્ટ વિદ્યાર્થીને તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ એવોર્ડ સેરેમનીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. નીતિન પેથાણી, પૂર્વ ઉપકુલપતિ ડો. વિજય દેસાણી, કચ્છ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. સી. બી. જાડેજા વગેરે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.