બહોળી સંખ્યામાં લાભાર્થીઓ લાભ લીધો: સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા કૌશલ સન્માન યોજનાના મેગા કેમ્પ થકી જનતાની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો: ઉદય કાનગડ
ખાસ-ખબર સંવાદદાતા
68-રાજકોટ (પૂર્વ)ના ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા શહેરના અટલબિહારી બાજપાઈ ઓડીટોરિયમ ખાતે પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા કૌશલ સન્માન યોજના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા કેમ્પનો લાભ લેવા માટે સવારથી જનસૈલાબ ઉમટી પડયો હતો અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.
આ કેમ્પમાં પ્રદેશ ભાજપ બક્ષ્ાીપંચ મોરચાના અધ્યક્ષ્ા મયંકભાઈ નાયક, ધારાસભ્ય ઉદય કાનગડ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મેયર નયનાબેન પેઢડીયા, પ્રદેશ ભાજપ અગ્રણી મહેન્દ્રભાઈ સરવૈયા, પ્રદેશ ભાજપ બક્ષ્ાીપંચ મોરચાના મંત્રી પ્રજ્ઞેશભાઈ બ્રહ્મભટૃ, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર, પરીમલભાઈ પરડવા, પુજાબેન પટેલ, મંત્રી ભગવતીબેન ધરોડીયા, બક્ષ્ાીપંચ સમાજના અગ્રણીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે મેગા કેમ્પનો દીપ પ્રાગટય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું ખેસ અને બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે સ્વાગત પ્રવચન કરતાં ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ગરીબોની સેવા, વંચિતોનું સન્માન, નારી શક્તિ દેશની પ્રગતિ, યુવા શક્તિની આકાંક્ષ્ાાની પરિપૂર્ણતા, ખેડૂતોનું સુનિશ્ર્ચિત કલ્યાણ, સૌના માટે શ્રેષ્ઠ અને સરળ આરોગ્ય સેવાઓ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર, વિશ્ર્વમાં સતત વધી રહેલું દેશનું ગૌરવ, તેમજ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના પુન:નિર્માણમાંથી દેશવાસીઓની આસ્થાને બળ આપ્યુ છે. તેમજ કેન્દ્ર તેમજ રાજયની ભાજપ સરકારે સંગઠન તેમજ સમાજની શક્તિને જોડીને અનેકવિધ લોકકલ્યાણકારી અને લોકહીતકારી યોજનાઓ દ્વારા જનતામાં અપાર લોકચાહના મેળવી છે અને લોકોનું જીવનધોરણ ઉંચુ આવી રહ્યું છે તેમજ જનસુખાકારીમાં વધારો થયો છે. આમ ભારતીય જનતા પાર્ટીનો ઉદ્દેશ દેશ માટે ઉજજવળ ભવિષ્ય બનાવવાનો છે ત્યારે વિશ્ર્વકર્મા જયંતિના અવસરે લોન્ચ થયેલ પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાથી દેશના કારીગરો અને શિલ્પકારોનું પરંપરાગત કૌશલ્ય વધશે. આ યોજનાનો ઉદેશ હાથ અને સાધનો વડે કામ કરનારા કારીગરો અને શિલ્પકારો માટે પરંપરાગત સ્કિલના અભ્યાસને પ્રોત્સાહન આપવા, મજબૂત કરવા અને ગુણવતા સાથે સાથે તેમના ઉત્પાદનો અને સેવાઓની પહોંચમાં સુધારો કરવાનો પણ છે ત્યારે સમાજનો બક્ષ્ાીપંચ વર્ગ, કારીગરો માટે આશિર્વાદરૂપ એવી પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા કૌશલ સન્માન યોજનાથી દેશ આત્મનિર્ભર બનવા તરફ મકકમ ગતિ કરશે અને આત્મનિર્ભર અભિયાન વેગવંતુ બનશે.
આ કેમ્પમાં શહેર ભાજપના વિવિધ મોરચાના ભરત રાદડીયા (ભાદાભાઈ), બાબુભાઈ માટીયા, મીલન લીંબાશીયા, રતાભાઈ પરમાર, ભરતભાઈ બગડા તેમજ વિધાનસભા-68ના સમાવિષ્ટ વોર્ડના કોર્પોરેટરો, વોર્ડપ્રભારી, પ્રમુખ, મહામંત્રી તેમજ વિવિધ શ્રેણીના કાર્યર્ક્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા વિવિધ શ્રેણીના કાર્યર્ક્તાઓએ જહેમત ઉઠાવી હતી.