મોદી સરકારની ગ્રાન્ટ-લૂંટનો જનતા 24ની ચૂંટણીમાં જવાબ આપશે
વડાપ્રધાન મોદીએ ખરેખરા પ્રશ્ર્નો ઉપરથી ધ્યાન બીજે દોરવું ન જોઈએ : ભાવ વધારા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ : કોંગ્રેસ પ્રમુખ
- Advertisement -
ઈ-કોમર્સ પોલિસીની ટુંક સમયમાં કરાશે જાહેરાત, નાના અને ઓફલાઈન વેપારીઓનું રખાશે ધ્યાન : પીયૂષ ગોયલ
ખાસ-ખબર સંવાદદાતા
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે આજે (શુક્રવારે) ભાજપનાં નેતૃત્વ નીચેની કેન્દ્ર સરકાર ઉપર તૂટી પડયા હતા. સતત વધી રહેલા, રોજીંદી વપરાશની ચીજવસ્તુઓના ભાવ વિષે સરકારને આડેહાથ લેતાં તેઓએ કહ્યું હતું કે, આ રોજેરોજ વધતા ભાવનો, સૌથી વધુ માર તો દેશના સૌથી વધુ ગરીબ તેવા 20 ટકા લોકો ઉપર પડે છે. આ સાથે આ પીઢ રાજકારણીએ તેઓના ઠ ઉપર ટિવટ કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ ખરેખરા પ્રશ્નો ઉપરથી ધ્યાન બીજે દોરવું ન જોઈએ. ભાવ વધારા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, ભાવ ઘટાડવા જોઈએ જેથી લોકોની યાતનાઓનો અંત આવી શકે. તેઓએ વધુમાં કહ્યું : આડી અવળી વાતો કરો નહીં. ખરેખરા પ્રશ્નોની વાત કરો. આડી-અવળી વાતો કરીને મોદીજી ફૂગાવાને લીધે થતી લૂંટ ઉપરથી ધ્યાન બીજે દોરી રહ્યા છે.આ સાથે આ પીઢ રાજકારણીએ આક્ષેપ કર્યો હતો કે મોદીજી ફૂગાવાને લીધે થઈ રહેલી લૂંટ પરથી જનતાનું ધ્યાન બીજે દોરવા માગે છે. કેન્દ્રની મોદી સરકારની ગ્રાન્ડ-લૂટ નો સૌથી વધુ માર તો દેશના સૌથી વધુ ગરીબ તેવા 20 ટકા લોકો ઉપર પડે છે, તેનાથી તેઓની કમર તૂટી ગઈ છે. ખડગેએ વધુમાં કહ્યું હતું કે, ખાદ્ય પદાર્થોની ચીજોના ભાવ તો આસમાને સ્પર્શી રહ્યા છે અને હવે લોકોને ખાતરી થતી જાય છે કે, તેમની મુશ્કેલીઓનું એક માત્ર કારણ છે – ભારતીય જનતા પાર્ટી (ભાજપા) આગામી ચૂંટણીમાં જનતા ભાજપને પદાર્થ પાઠ ભણાવી આ લૂંટનો બદલો લેશે. ફૂગાવાના પ્રશ્ને ઇંડિયા જૂથનાં સૂત્ર ’જુડેગા ભારત, જીતેગા ઇંડિયા’નો કોંગ્રેસ પ્રમુખે ઉલ્લેખ કર્યો હતો. આ સાથે તેઓએ તેઓનાં ઠ પોસ્ટ ઉપર ભાવ વધારાના છેલ્લામાં છેલ્લા આંકડા આપતાં કહ્યું હતું કે, જીવન જરૂરિયાતોના ભાવમાં સરેરાશ 10 ટકાથી પણ વધુ વધારો થયો છે. તેમાંએ અડદ દાળમાં 37.1 ટકા, મરી-મસાલામાં 28.6%, ડુંગળીમાં 23.2 ટકા, જયારે દૂધમાં 9.4 ટકા. તેમજ ચોખામાં 9.1 ટકાનો વધારો થયો છે. કોંગ્રેસ કેન્દ્ર સરકારની ઉપર ભાવ વધારા અંગે સતત પ્રહારો કરી રહેલ છે.