ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ અયોધ્યાથી આવેલ પૂજીત અક્ષત કળશ ધર્મેશભાઈ નંદવાણી પત્રકારના રાયજીબાગ નિવાસ્થાને પધરામણી કરેલ જેમાં નંદવાણી પરિવાર તેમજ આવેલ અતિથિગણે કળશનું પૂજન તેમજ સામુહિક આરતી કરેલ હતી.
આ રામમય કાર્યમાં વિહીપના સેવા પ્રમુખ પરાગભાઈ તન્ના, સહ સેવા પ્રમુખ જોગીભાઈ કોટેચા, સંતોષભાઈ હુંદવાણી અને વિશેષમા સૌરાષ્ટ્ર પ્રાંત સહ પ્રચાર પ્રસારના પ્રમુખ હિરેનભાઈ રૂપારેલીયા તેમજ જૂનાગઢ મહાનગરના મંત્રી અને અભિયાનના સંયોજક જયેશભાઈ ખેશવાણીની ઉપસ્થિતિ રહીને અક્ષત કળશનું ઉમળકા ભેર સ્વાગત સાથે પૂજન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢના રાયજીનગરમાં અયોધ્યાથી આવેલા પૂજીત અક્ષત કળશનું પૂજન-અર્ચન કરાયું
